Webdunia - Bharat's app for daily news and videos

Install App

No-Confidence Motion: BJP સાંસદોએ કરી રાહુલના ભાષણની ડિમાંડ, જાણો કોણે શુ કહ્યુ

Webdunia
મંગળવાર, 8 ઑગસ્ટ 2023 (12:32 IST)
avishvas prastav
Avishwas Prastav 2023 LIVE: લોકસભામાં મંગળવારથી અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા શરૂ થઈ રહી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગંધી વિપક્ષની તરફથી પ્રસ્તાવ પર ચર્ચાની શરૂઆત કરી શકે છે.  જો આવુ થાય છે તો પીએમ મોદી અને રાહુલ ગાંધી એકવાર ફરી સદનમાં સામસામે હશે. જ્યા રાહુલ સંપૂર્ણ તૈયારી સાથે સરકાર પર તીખો હુમલો કરશે. રાહુલ ગાંધી મણિપુરને લઈને ઘેરશે. કારણ કે તેમને પોતે ત્યા જઈને ગ્રાઉંડ જીરો અવલોકન કર્યુ છે. જો રાહુલ ચર્ચાની શરૂઆત કરે છે તો પીએમના બોલવા પછી તેમને કેટલીક મુદ્દા પર સ્પષ્ટીકરણ કરવાની તક ફરીથી મળશે. જેમા રાહુલ વધુ આક્રમક થઈ શકે છે. રાહુલને ચર્ચાની શરૂઆત કરવા માટે કોંગ્રેસને આસન તરફથી પરમિશન લેવી પડશે.  ઉલ્લેખનીય છે કે  ગૃહમાં અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ કોંગ્રેસના ઉપનેતા ગૌરવ ગોગોઈ દ્વારા આપવામાં આવી હતી, તેથી તેમની પાસે ચર્ચા શરૂ કરવાનો અધિકાર છે. પરંતુ જો તેઓ ઇચ્છે તો સ્પીકરને તેમની જગ્યાએ રાહુલ ગાંધીને બોલવાની તક આપવા માટે અપીલ કરી શકે છે. લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પરની ચર્ચાના દરેક અપડેટ જુઓ.

<

In order to break the vow of silence taken by the Prime Minister of not speaking in the Parliament, we have moved a no-confidence motion in the Parliament.#NoConfidenceMotion #GauravGogoi pic.twitter.com/CaowYRpkoE

— Ashish (@error040290) August 8, 2023 >
લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પહેલા રાજ્યસભામાં પણ તાપમાન ઊંચુ હતું. ટીએમસી સાંસદ ડેરેક ઓ બ્રાયન એક વાતને લઈને એટલા ગુસ્સે થયા કે સમજાવવા છતાં તેમણે અધ્યક્ષ જગદીપ ધનખર પર પ્રહારો કર્યા. તે બૂમો પાડતા સીટ પાસે પહોંચ્યા. આનાથી નારાજ ધનખરે તેમને આખી સિઝન માટે સસ્પેન્ડ કરી દીધા હતા.  

 મંગળવારે લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા પહેલા અજીબોગરીબ સ્થિતિ ઉભી થઈ હતી. કૉંગ્રેસના ગૃહના ઉપનેતા ગૌરવ ગોગોઈ અવિશ્વાસની પ્રસ્તાવને રજુ કરવા માટે ઉભા થયા ત્યારે, ભાજપના સાંસદોએ તેનો વિરોધ કર્યો, કહ્યું કે  રાહુલ ગાંધી દ્વારા પ્રસ્તાવ રજુ કરવામાં આવે. આ અંગે વિપક્ષ તરફથી પત્ર પણ મોકલવામાં આવ્યો હતો.  સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે અમે પહેલા રાહુલ ગાંધીનું ભાષણ સાંભળવા માંગીએ છીએ. રાહુલ દ્વારા પ્રસ્તાવ રજુ કરવો જોઈએ, જેથી તેઓ ગૃહમાં પ્રથમ ભાષણ આપે. જો કે, ગૌરવ ગોગોઈએ જ ગૃહમાં પ્રસ્તાવ મૂક્યો હતો અને તેમના વતી શરૂઆતનું ભાષણ પણ આપવામાં આવ્યું હતું.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Gandhi Jayanti 2024: દર વર્ષે 2 ઓક્ટોબરના રોજ કેમ ઉજવાય છે ગાંધી જયંતી, જાણો તેનુ મહત્વ અને ઈતિહાસ

Vishvambhari Ambe Stuti - વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા

સરફરાઝ ખાનનો ભાઈ મુશીર ખાન અકસ્માતનો ભોગ બન્યો, ગંભીર રીતે ઘાયલ

TATA ની ફેક્ટરીમા લાગી આગ, ધુમાડો જોઈને કાળજુ કંપી જશે જુઓ ખોફનાક Video

સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર 36 બુલડોઝર દોડ્યા, કાર્યવાહી પહેલા જ હંગામો, 1400 પોલીસકર્મીઓ તૈનાત

આગળનો લેખ
Show comments