Webdunia - Bharat's app for daily news and videos

Install App

NDA ઉમેદવાર હરિવંશસિંહ બન્યા ઉપસભાપતિ, મોદીએ પ્રશંસા કરતા કહ્યુ હવે સૌની પર કાયમ રહે હરિકૃપા

Webdunia
ગુરુવાર, 9 ઑગસ્ટ 2018 (13:04 IST)
રાજ્યસભાના ઉપસભાપતિ પદ માટે આજે મતદાન થયું. એનડીએના ઉમેદવાર હરિવંશ સિંહે આ ચૂંટણીમાં મોટી જીત પ્રાપ્ત કરી છે. હરિવંશ સિંહ જેડીયુમાંથી રજ્યસભાના સાંસદ છે. તેમણે વિપક્ષની તરફથી કૉંગ્રેસના બીકે હરિપ્રસાદને માત આપી. હરિવંશના પક્ષમાં કુલ 125 મત પડ્યા તો બીકે હરિપ્રસાદના હકમાં કુલ 105 વોટ પડ્યા. વોટિંગમાં કુલ 222 સાંસદોએ ભાગ લીધો. જ્યારે બે સભ્યો વોટિંગમાં ગેરહાજર રહ્યાં
 
આ રીતે એનડીએએ યૂપીએના ઉમેદવારને 20 મતથી હરાવ્યા છે. રાજ્યસભામાં હાલમાં 244 સાંસદ છે, પરંતુ 230 સાંસદોએ જ વોટિંગમાં ભાગ લીધો હતો. એનડીએના ઉમેદવારને બહુમતના આંકડા 115થી 10 વોટ વધારે મળ્યા.
 
મોદીએ આપી શુભેચ્છા 
 
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હરિવંશને રાજ્યસભાના ડિપ્ટી ચેયરમેન તરીકે પસંદગી થવા બદલ શુભેચ્છા અપી છે. ચૂંટણી પછી મોદી પોતે હરિવંશને મળવા તેમની સીટ સુધી ગયા. તેમણે મજાકમાં કહ્યુ કે હવે અબ્ધુ સદનમાં હરિને ભરોસે છે. મોદીએ તેમના વખાણમાં કહ્યુ કે હરિવંશજી કલમના ધનવાન છે. હરિવંશજી ચંદ્રશેખર જીના લાડલા હતા. જે ભૂમિ પરથી તેઓ આવ્યા છે આઝાદીની લડાઈમાં તેની મોટી ભૂમિકા રહી. ઓગસ્ટની ક્રાંતિમાં બલિયાની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. મોદીએ કહ્યુ કે હરિવંશે પત્રકારિતાને જન આંદોલનની જેમ લીધુ. 
 
 
જાણો હરિવંશરાય વિશે.. 
 
ભાજપના નેતૃત્વવાળી NDAએ જેડીયુના હરિવંશ નારાણય સિંહને ઉમેદવાર બનાવ્યા હતા. તે બિહારથી સાંસદ છે અને પૂર્વ પત્રકાર છે. જેડીયુના ઉમેદવારને નોમિનેટ કરી ભાજપ પોતાના સહયોગી દળોની નારાજગીને દૂર કરવાની કોશિષ કરી તેની ફરિયાદ રહે છે કે તેમને અલગ છોડી દેવામાં આવ્યા છે. રાજ્યસભામાં હાલનો આંકડો 244નો છે. પરંતુ ગૃહમાં 2 સભ્યો ગેરહાજર હતા.આ ચૂંટણીમાં જીતથી બાજપને બેવડો ફાયદો થવા જઇ રહ્યો છે કારણ કે ચેરમેન વેંકૈયા નાયડુની સાથે જ ડેપ્યુટી ચેરમેન પણ તેની પસંદના થઇ ગયા છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Bullet Train: બુલેટ ટ્રેનની પહેલી ઝલક, ડ્રીમ રૂટ પર 350 kmph ની સ્પીડથી દોડશે

ઈમરજંસી હેલ્પલાઈન નંબર, 7 જીલ્લાઓમાં ચાલી રહ્યુ છે પાયલોટ પ્રોજેક્ટ

ગુજરાતી મૂળની Dhruvi Patel ના માથે સજાયો Miss India Worldwide 2024 નો તાજ

નવરાત્રીમાં અસામાજિક તત્વો માટે, પોલીસનો એક્શન પ્લાન તૈયાર

PM મોદી આજે મહારાષ્ટ્રની મુલાકાતે, આ મહત્વની યોજનાઓનું કરશે લોકાર્પણ ખાસ ટપાલ ટિકિટો પાડશે બહાર

આગળનો લેખ
Show comments