Webdunia - Bharat's app for daily news and videos

Install App

મમતા બેનર્જી VS શુભેંદ્રુ અધિકારી - મમતા બેનર્જી શુભેંદુના ગઢ નંદીગ્રામમાંથી લડશે ચૂંટણી

Webdunia
સોમવાર, 18 જાન્યુઆરી 2021 (14:58 IST)
પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકીય પારો વધવા માંડ્યો છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સોમવારે એ જ નંદિગ્રામ વિધાનસભા બેઠક પરથી આગામી ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી જ્યાંથી તેમના વિશેષ શુભેન્દુ અધિકારીએ 2016 માં ચૂંટણી જીતી હતી. શુભેન્દુ તાજેતરમાં જ તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) છોડીને ભાજપમાં જોડાયા છે
 
પૂર્વ મિદનાપુરમાં આવેલ નંદીગ્રામને શુભેન્દુનો ગઢ માનવામાં આવે છે. અહીંની રેલી દરમિયાન મમતાએ કહ્યું હતું કે કોઈના દળ બદલવાથી કોઈ ફરક નથી પડતો. જ્યારે TMCની રચના કરવામાં આવી હતી, ત્યારે આમાંથી કોઈ પણ પાર્ટી સાથે નહોતુ. જો શક્ય હોય તો હું નંદીગ્રામ અને ભવાનીપુર બંને તરફથી ચૂંટણી લડીશ.
 
TMCમાં તૂટ ચાલુ 
 
19 ડિસેમ્બરે શુભેન્દુ સાથે સાંસદ સુનિલ મંડલ, પૂર્વ સાંસદ દશરથ તિર્કી અને 10 MLA પણ ભાજપમાં જોડાયા હતા. તેમાંથી 5 ધારાસભ્યો TMCના હતા. આ અગાઉ ગત મહિને તાપસી મંડલ, અશોક ડિંડા, સુદિપ મુખર્જી, સૈકત પાંજા, શીલભદ્ર દત્તા, દિપાલી બિસ્વાસ, શુક્ર મુંડા, શ્યામદાદા મુખર્જી, વિશ્વજીત કુંડુ અને બનશ્રી માઈતી ભાજપમાં જોડાયા હતા.
 
નંદીગ્રામથી મમતાના ચૂંટણી લડવાનો મતલબ 
 
મિદનાપુરમાં શુભેન્દુના પરિવારનું વર્ચસ્વ છે. તેમના પિતા ધારાસભ્ય અને કોંગ્રેસના સાંસદ રહી ચૂક્યા છે. તેઓ યુપીએ સરકારમાં ગ્રામીણ વિકાસ રાજ્યમંત્રી હતા અને હાલમાં તેઓ તૃણમૂલના સાંસદ છે. ખુદ શુભેન્દુ સતત ધારાસભ્ય અને સાંસદની ચૂંટણી જીતતા આવ્યા છે. શુભેન્દુનો એક ભાઈ સાંસદ અને બીજો મ્યુનિસિપલ પ્રેસિડેન્ટ છે. 6 જિલ્લાની 80 થી વધુ બેઠકો પર આ પરિવારનો પ્રભાવ છે.
 
વિજયવર્ગીયએ સરકાર પાડવાનો કર્યો હતો દાવો 
 
આ પહેલા 14 જાન્યુઆરીએ બંગાળ ભાજપના પ્રભારી કૈલાસ વિજયવર્ગીયએ દાવો કર્યો હતો કે તેમની પાસે 41 TMC ધારાસભ્યોની યાદી છે જેઓ ભાજપમાં જોડાવવા માંગે છે. જો આ લોકો ભાજપમાં જોડાશે તો અહીંની સરકાર પડી જશે.
 
બંગાળમાં ચૂંટણીમાં હલચલ મચી ગઈ છે
ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા 10 ડિસેમ્બરે બંગાળની મુલાકાતે આવ્યા હતા. ત્યારે તેમની કાર પર હુમલો થયો હતો. જેમાં બંગાળના પ્રભારી કૈલાસ વિજયવર્ગીયને ઈજા થઈ હતી. આ હુમલાના એક મહિના પછી, બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા ફરીથી 9 જાન્યુઆરીએ બંગાળ પ્રવાસ પર હતા. તેમણે બર્ધમાનની બેઠકમાં કહ્યું હતું કે મુખ્ય પ્રધાન મમતા બેનર્જીની પગ તળિયેની જમીન ખસી ગઈ છે. તૃણમૂલ કાર્યકર ત્રિપાલ ચોર છે. અમ્ફાનના તોફાન સમયે, કેન્દ્ર દ્વારા લોકોને હંગામી મકાનો બનાવવા માટે તાડપત્રી મોકલવામાં આવી હતી. ટીએમસીના લોકો તાડપત્રી પોતાના ઘરે લઈ ગયા. 

સંબંધિત સમાચાર

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

આગળનો લેખ
Show comments