Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

PM મોદીએ ગુજરાતને આપી બે મોટી ભેટ, બોલ્યા - આત્મવિશ્વાસ સાથે નિર્ણય લઈ રહ્યુ છે ભારત

PM મોદીએ ગુજરાતને આપી બે મોટી ભેટ, બોલ્યા - આત્મવિશ્વાસ સાથે નિર્ણય લઈ રહ્યુ છે ભારત
નવી દિલ્હી , સોમવાર, 18 જાન્યુઆરી 2021 (12:40 IST)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)એ સોમવારે ગુજરાતને બે મોટી ભેટ આપી. પીએમ મોદીએ અમદાવાદ મેટ્રો પરિયોજનાના બીજા ચરણ અને સૂરત મેટ્રો રેલ પરિયોજના (Surat Metro)ના માટે ભૂમિ પૂજન કર્યુ. વીડિયો કૉન્ફ્રેસિંગના માઘ્યમથી આયોજીત થઈ. આ કાર્યક્રમમાં ગુજરાતના રાજ્યપાલ દેવવ્રત, મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રી હરદીપ સિંહ પુરી હાજર હતા. પીએમ મોદીએ કાર્યક્રમ દરમિયાન સૂરત, અમદાવાદ, ગાંધીનગર અને અન્ય શહેરો માટે કરવામાં આવેલ વિકાસ કાર્યોની માહિતી પણ આપી. 
 
આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતું કે ઉત્તરાયણની શરૂઆતમાં આજે અમદાવાદ અને સુરતને ખૂબ મહત્વની ભેટ મળી રહી છે. દેશમાં મેટ્રો રૂટ મજબૂત કરવામાં આવી રહ્યો છે. આ સુરતના બિઝનેસ નેટવર્કને જોડશે. આજે અમદાવાદમાં 17 હજાર કરોડ રૂપિયાથી વધુના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ શરૂ થઈ રહ્યું છે. આ બતાવે છે કે કોરોનાના આ યુગમાં પણ, નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણ માટે દેશના પ્રયત્નો સતત વધી રહ્યા છે.
 
પીએમ મોદીએ કહ્યું કે, '2014 પહેલા 10-12 વર્ષોમાં, ફક્ત 225 કિલોમીટરની મેટ્રો લાઇન કાર્યરત હતી. તે જ સમયે, છેલ્લા 6 વર્ષમાં 450 કિમીથી વધુનું મેટ્રો નેટવર્ક કાર્યરત થઈ ગયું છે. અમદાવાદ પછી મેટ્રો જેવી આધુનિક જાહેર પરિવહન પ્રણાલીથી જોડાયેલું સુરત ગુજરાતનું બીજું મોટું શહેર છે. સુરતમાં મેટ્રો નેટવર્ક એક રીતે સમગ્ર શહેરના મહત્વપૂર્ણ વેપારી કેન્દ્રને જોડશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

82 % ભારતીયો વોટ્સએપ છોડવા તૈયાર છે, 91% લોકોએ કહ્યું - વોટ્સએપ પે નો ઉપયોગ નહીં કરે