Webdunia - Bharat's app for daily news and videos

Install App

પરિવારમાં જન્મી પુત્રી તો બૈતૂલમાં પંપ માલિકે ફ્રી માં વહેંચ્યુ પેટ્રોલ, ત્રણ દિવસ ચલાવી સ્કીમ

Webdunia
શનિવાર, 16 ઑક્ટોબર 2021 (14:46 IST)
પેટ્રોલના ભાવ આસમાને છે. આવી સ્થિતિમાં, જો પેટ્રોલ પંપ માલિક મફત પેટ્રોલ વહેંચવાનું શરૂ કરે તો તમે શું કહેશો? આવું જ કંઈક મધ્યપ્રદેશના બેતુલ જિલ્લામાં થયું છે. અહીં, રાજેન્દ્ર સૈની નામના પેટ્રોલ પંપ માલિકે પોતાના પરિવારમાં દીકરી જન્મવાની ખુશીમાં લોકોને મફત પેટ્રોલ વહેંચ્યું. તેમણે 13 થી 15 ઓક્ટોબર, ત્રણ દિવસ સવારે 9 થી 11 અને સાંજે 5 થી 7 સુધી પાંચથી 10 ટકા વધારાનું પેટ્રોલ આપવાની યોજના શરૂ કરી.
 
મૂક બધિર ભત્રીજીની ત્યા જન્મી સંતાન 
 
બેતુલના પંપ સંચાલક  રાજેન્દ્ર સૈનાની (રાજુ) ના મોટા ભાઈ સ્વ.ગોપાલદાસ સૈનાનીની પુત્રી શિખા જન્મથી જ બહેરી છે. ઘણા વર્ષો પહેલા શિખાના પિતા ગોપાલદાસનું બીમારીના કારણે નિધન થયું હતું. ત્યારથી જ રાજેન્દ્ર સૈનાનીએ જ શિખાની સંભાળ લીધી હતી. તેમણે ધામધૂમથી તેના લગ્ન કર્યા. ઝાબુઆમાં પરણેલી શિખાનો પતિ પણ બહેરો છે અને ભોપાલમાં કામ કરે છે. 9 ઓક્ટોબરે શિખાએ બેતુલની એક ખાનગી હોસ્પિટલમાં બાળકીને જન્મ આપ્યો હતો. જ્યારે બહેરા-મૂંગા દંપતીના ખોળામાં કિલકારી પડઘો પડ્યો ત્યારે સમગ્ર પરિવારમાં ઉજવણીનું વાતાવરણ ઉભુ થયુ.
 
ચલાવી અનોખી યોજના 
 
આ ખુશીને બમણી કરવા માટે, સૈનીએ તેના બેતુલના ઇટારસી રોડ પેટ્રોલ પંપ પર જાહેરાત કરી કે ગ્રાહકોને ત્રણ દિવસ માટે વધારાનું પેટ્રોલ મફત આપવામાં આવશે. આ યોજના અંતર્ગત ગ્રાહકો 100 રૂપિયાના પેટ્રોલ પર 5 ટકા અને 200 થી 500 રૂપિયાના પેટ્રોલ પર 10 ટકા વધારાનો લાભ મેળવી શકે છે. લોકો સૈનાનીના આ પગલાની ખુલ્લેઆમ પ્રશંસા કરી રહ્યા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ઘરે પર આ 5 steps માં બનાવો મલાઈ કોફતા અને સ્વાદનો લો મજા

તજ અને વરિયાળીનું પાણી આરોગ્ય માટે છે લાભકારી, ખાલી પેટ પીશો તો વજન અને શુગર રહેશે કંટ્રોલમાં

કુટીનો દારો નો ચીલા

Jade Plant- જેડના પ્લાંટમાં આ એક વસ્તુ નાખી દેવાથી છોડ

કાગડા અને કોયલ

વધુ જુઓ..

નવીનતમ

મનોજ કુમાર પંચતત્વમાં વિલીન, પુત્ર કુણાલે આપી મુખાગ્નિ, રાજકીય સમ્માન સાથે આપી વિદાય

CID માં ACP પ્રદ્યુમનની થશે મોત ? બીજી સીજનમાં જોવા મળશે મોટું ટ્વીસ્ટ, જાણો શું છે હકીકત

હંસિકા મોટવાણીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો, ભાભીના આરોપો ખોટા ગણાવ્યા

Bahuchar mataji mandir- અષ્ટમીના દિવસે લોકો સુરતના બહુચર માતાના મંદિરે દર્શન માટે જાય છે, તેને સંતાન પ્રાપ્તિ માટે શુભ માનવામાં આવે છે.

શશિ કપૂર - ધર્મેન્દ્ર લાલચી છે.. મનોજ કુમારનો જ્યારે ફુટ્યો ગુસ્સો, બંને એક્ટરને માર્યો હતો ટોણો

આગળનો લેખ
Show comments