Webdunia - Bharat's app for daily news and videos

Install App

જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સેના અને ચરમપંથીઓ વચ્ચે ઍન્કાઉન્ટર

Webdunia
રવિવાર, 11 ઑગસ્ટ 2024 (13:11 IST)
જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં શનિવારે ભારતીય સેના અને ચરમપંથીઓ વચ્ચે ઍન્કાઉન્ટર થયું.
 
સમાચાર એજન્સી એએનઆઈ અને પીટીઆઈની માહિતી પ્રમાણે, "અનંતનાગમાં થયેલા ઍન્કાઉન્ટરમાં સેનાના બે જવાનો શહીદ થયા છે. આ ઉપરાંત ત્રણ સૈનિકો ઈજાગ્રસ્ત થયા છે."
 
કાશ્મીર ઝોન પોલીસે પોતાના સત્તાવાર એક્સ અકાઉન્ટ પર પોસ્ટ કરીને જણાવ્યું, "અનંતનાગ જિલ્લાના અહલાન ગગરમાંડૂ વિસ્તારમાં ઍન્કાઉન્ટર ચાલી રહ્યું છે. પોલીસ અને સુરક્ષા દળ કામ પર લાગ્યા છે."
 
ભારતીય સેનાના ચિનાર કૉર્પ્સે પોતાના સત્તાવાર ઍક્સ અકાઉન્ટ પર પોસ્ટ કરી, "ચાલી રહેલા ઑપરેશનમાં આતંકવાદીઓના ગોળીબારને કારણે બે નાગરિકોને પણ ઈજા થઈ છે. તેમને તાત્કાલિક સારવાર 
 
આપવામાં આવી છે."
 
ચિનાર કૉર્પ્સએ બીજી એક પોસ્ટ કરીને જાણકારી આપતા કહ્યું, "ભારતીય સેના, જમ્મુ-કાશ્મીર પોલીસ અને સીઆરપીએફએ વિશેષ ગુપ્ત જાણકારીના આધારે અનંતનાગના કોકરનાગ વિસ્તારમાં એક ઑપરેશન 
 
શરૂ કર્યું. ગોળીબારમાં બે જવાન પણ ઈજાગ્રસ્ત થયા છે."
 
જોકે, ભારતીય સેનાએ કોઈ પણ સૈનિકના મૃત્યુની જાણકારી જાહેર કરી નથી.
 
હાલના દિવસોમાં ભારતીય સેના અને ચરમપંથીઓ વચ્ચે કેટલાક ઍન્કાઉન્ટરો થયાં છે જેમાં સૈનિકોનો પણ જીવ ગયો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં ગોંમાસનીચરબી અને માછલીનું તેલ હોવાની પુષ્ટિ, TDP એ બતાવી લેબ રિપોર્ટ

રવિચંદ્રન અશ્વિને બેટથી બતાવ્યો જાદુઈ અવતાર, એમએસ ધોનીના ઐતિહાસિક રેકોર્ડની કરી બરાબરી

સૂરત આર્થિક ક્ષેત્ર ગુજરાતને 3500 અરબ ડોલરની અર્થવ્યવસ્થા બનાવવામાં મોટી ભૂમિકા ભજવશે - પટેલ

દેશનુ ગ્રોથ એંજિન ગુજરાત એવુ જ ગુજરાતનુ ગ્રોથ એંજીન સૂરત - સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ

કોંગ્રેસ અને પાકિસ્તાનના ઈરાદા એક જેવા, 370 પર પાક મંત્રીના દાવા પછી અમિત શાહનો કરારો જવાબ

આગળનો લેખ
Show comments