Webdunia - Bharat's app for daily news and videos

Install App

પતિ-પત્નીનો 5 બાળકો સાથે આપઘાત

Webdunia
ગુરુવાર, 2 માર્ચ 2023 (08:00 IST)
Rajasthan Family Suicide- રાજસ્થાનનાં જાલોર જિલ્લો (Jalore)માં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જિલ્લાનાં સાંચોર શહેર (Sanchore) માં બુધવારે પતિ-પત્નીએ તેમના 5 બાળકો સાથે નર્મદા કેનાલમાં ઝંપલાવીને આત્મહત્યા કરી હતી. બપોરે 2.30 કલાકે બનેલા આ અકસ્માતમાં પોલીસે બચાવ કામગીરી હાથ ધરી હતી અને સાંજે 6.30 કલાકે તમામના મૃતદેહ કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. સાંજે 4 વાગ્યે પરિવારના એક બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો, જ્યારે સાડા છ વાગ્યાની આસપાસ દોરડા વડે બાંધેલા પતિ-પત્ની અને 4 બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા.
 
પાડોશીઓના કહેવા મુજબ અગાઉ પણ ઝઘડો થયો હતો
 
એક રીપોર્ટ મુજબ એક વ્યક્તિએ 101 હેલ્પલાઈન પર માહિતી આપી હતી કે ગાલીપા વિસ્તારના શંકરાનો તેની પત્ની સાથે ઝઘડો થયો છે. ભંવર સિંહ રાજપૂત તરીકે પોતાનું નામ આપનાર આ વ્યક્તિએ કહ્યું કે ઝઘડા પછી શંકર ગુસ્સામાં પોતાની પત્ની અને બાળકોને સાથે લઈને ઘરની બહાર નીકળી ગયો હતો. બાદમાં તેઓના કપડા અને મોબાઈલ સિદ્ધેશ્વરમાં નર્મદા મુખ્ય કેનાલ પાસે પડેલા મળી આવ્યા હતા. ત્યારપછી તેની શોધખોળ શરૂ કરવામાં આવી, ત્યારે જ બચાવ કામગીરીમાં તેનો મૃતદેહ મળી આવ્યો.

પોલીસના જણાવ્યા અનુસાર રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન તમામના મૃતદેહ નહેર પાસે જે જગ્યાએથી કપડા મળ્યા હતા તેનાથી લગભગ 200 મીટર આગળ મળી આવ્યા હતા. તેમાં શંકરારામ (32), તેની પત્ની બદલી (30), પુત્રી રમીલા (12), પુત્ર પ્રકાશ (10), પુત્રી કેગી (8), પુત્રી જાનકી (6) અને પુત્ર હિતેશ (3)નો સમાવેશ થાય છે. આ સાથે જ નજીવા ઘરકંકાસમાં શંકરારામનો આખો પરિવાર ખતમ થઈ ગયો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ઘરે પર આ 5 steps માં બનાવો મલાઈ કોફતા અને સ્વાદનો લો મજા

તજ અને વરિયાળીનું પાણી આરોગ્ય માટે છે લાભકારી, ખાલી પેટ પીશો તો વજન અને શુગર રહેશે કંટ્રોલમાં

કુટીનો દારો નો ચીલા

Jade Plant- જેડના પ્લાંટમાં આ એક વસ્તુ નાખી દેવાથી છોડ

કાગડા અને કોયલ

વધુ જુઓ..

નવીનતમ

મનોજ કુમાર પંચતત્વમાં વિલીન, પુત્ર કુણાલે આપી મુખાગ્નિ, રાજકીય સમ્માન સાથે આપી વિદાય

CID માં ACP પ્રદ્યુમનની થશે મોત ? બીજી સીજનમાં જોવા મળશે મોટું ટ્વીસ્ટ, જાણો શું છે હકીકત

હંસિકા મોટવાણીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો, ભાભીના આરોપો ખોટા ગણાવ્યા

Bahuchar mataji mandir- અષ્ટમીના દિવસે લોકો સુરતના બહુચર માતાના મંદિરે દર્શન માટે જાય છે, તેને સંતાન પ્રાપ્તિ માટે શુભ માનવામાં આવે છે.

શશિ કપૂર - ધર્મેન્દ્ર લાલચી છે.. મનોજ કુમારનો જ્યારે ફુટ્યો ગુસ્સો, બંને એક્ટરને માર્યો હતો ટોણો

આગળનો લેખ
Show comments