Webdunia - Bharat's app for daily news and videos

Install App

સાવરકર ન હોત તો આજે આપણે અંગ્રેજી જ ભણી રહ્યા હોત, અખિલ ભારતીય રાજભાષા સંમેલનમાં બોલ્યા અમિત શાહ

Webdunia
શનિવાર, 13 નવેમ્બર 2021 (14:56 IST)
ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) માં થનારી વિધાનસભા ચૂંટણી (UP Assembly elections) ની તૈયારીઓને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અને બીજેપીના વરિષ્ઠ નેતા અમિત શાહ (Amit Shah)રાજ્યના પ્રવાસ પર છે. અખિલ ભારતીય રાજભાષા સંમેલનને સંબોધિત કરતા અમિત શાહે કહ્યુ કે જો તુલસીદાસે અવધિમં રામચરિત માનસ ન લખ્યુ હો તો રામાયણ વિલુપ્ત થઈ જાત. 
 
અમિત શાહે કહ્યુ કે વીર સાવરકર ન હોત તો આજે આપણે અંગ્રેજી જ વાંચી રહ્યા હોત. તેમણે કહ્યુ કે સાવરકરે જ હિન્દી શબ્દકોશ બનાવ્યો હતો. અંગ્રેજી આપણા પર થોપવામાં આવી હતી. તેમણે કહ્યુ કે હિન્દીના શબ્દકોશ માટે કામ કરવુ પડશે અને તેને મજબૂત કરવુ પડશે. 
 
તેમણે કહ્યુ કે હુ પણ હિન્દી ભાષી નથી. ગુજરાતથી આવુ છુ. મારી માતૃભાષા ગુજરાતી છે. મને ગુજરાતી બોલવાથી કોઈ પરેજ નથી. પણ હુ ગુજરાતી જ જેટલુ પણ કદાચ તેનાથી વધારે હિન્દીનો ઉપયોગ કરુ છે. 
 
અમિત શાહે કહ્યુ કે અખિલ ભારતીય રાજભાષા સંમેલને રાજધાની દિલ્હીમાંથી બહાર કરવાના નિર્ણહ્યને અમે વર્ષ 2019થી જ કરી લીધો હતો. બે વર્ષ કોરોનાકાળને કારણે અમે કરી ન શક્યા.  પણ આજે મને ખુશી છે કે આ નવી શુભ શરૂઆત આઝાદીના અમૃત મહોત્સવમાં થવા જઈ રહી છે. આઝાદીના અમૃત મહોત્સવના હેઠળ દેશના બધા લ ઓકોનુ આહવાન કરવા માંગુ છુ કે સ્વભાષા માટે આપણે એક લક્ષ્ય જે છૂટી ગયુ હતુ, અમે તેનુ સ્મરણ કરીએ અને તેને આપણા જીવનનો ભાગ બનાવીએ. હિન્દી અને આપણી બધી સ્થાનીક ભાષાઓ વચ્ચે કોઈ અંતરવિરોધ નથી. 
 
સ્વરાજ તો મળી ગયુ, પણ સ્વદેશી અને સ્વભાષા પાછળ છૂટી ગઈ 
 
અમિત શાહે કહ્યુ કે પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ છે કે અમૃત મહોત્સવ, દેશને આઝાદી અપાવનારા લોકોની સ્મૃતિને પુન જીવંત કરીને યુવા પેઢીને પ્રેરણા આપવા માટે જ છે,  આ અમારે માટે સંકલ્પનુ વર્ષ પણ છે.  આઝાદીના આંદોલનને ગાંધીજીએ લોક આંદોલનમાં પરિવર્તિત કર્યુ તેમા ત્રણ સ્તંભ હતા -   સ્વરાજ, સ્વદેશી અને સ્વભાષા

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ચેતજો- દૂધની ચા વધારે ઉકાળવાથી થઈ શકે છે આ ગંભીર નુકશાન

'જ અક્ષર પરથી છોકરાઓના નામ'

World Vitiligo Day 2024: શા માટે હોય છે સફેદ ડાઘ, જાણો શરૂઆતી લક્ષણ અને સારવાર

એગલેસ ચોકલેટ કેક eggless chocolate cake

monsoon skin care- માનસૂનમાં બની રહેશે ચેહરાની સુંદરતા જો આ ટિપ્સને કરશે ફોલો

વધુ જુઓ..

નવીનતમ

RRR ડાયરેક્ટર રાજામૌલી, શબાના આઝમી સહિત 11 ભારતીયોને ઓક્સર અકાદમીમાંથી મળ્યુ ઈનવાઈટ,જુઓ આખુ લિસ્ટ

HBD અર્જુન કપૂર - ફિલ્મોમાં આવતા પહેલા આવો દેખાતો હતો અર્જુન કપૂર

Travel Tips For Puri Rath Yatra 2024: જગન્નાથ રથયાત્રામાં પરિવારની સાથે થઈ રહ્યા છો શામેલ તો આ 5 વાતનુ રાખો ધ્યાન

વરસાદી મીમ્સ

Birthday Special- આ ગીતમાં કરિશ્મા કપૂરએ બદલી હતી 30 વાર ડ્રેસ, ફિલ્મનો નામ જાણીને રહી જશો હેરાન

આગળનો લેખ
Show comments