Webdunia - Bharat's app for daily news and videos

Install App

Lakhimpur Violence: લખીમપુર હિંસા મામલે જલ્દી અરેસ્ટ થઈ શકે છે આશીષ મિશ્રા, 6 કલાકથી ચાલી રહી છે પૂછપરછ

Webdunia
શનિવાર, 9 ઑક્ટોબર 2021 (18:10 IST)
લખીમપુર હિંસા મામલે મુખ્ય આરોપી બનાવેલ બીજેપી નેતા આશીષ મિશ્રાની પોલીસ સતત 6 કલાકથી પૂછપરછ કરી રહી છે. કોઈપણ સમયે તેમની ધરપકડ થઈ શકે છે. આશિષ મિશ્રા કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય કુમાર મિશ્રાના પુત્ર છે. સૂત્રો તરફથી સમાચાર આવી રહ્યા છે કે જ્યાં 3 ઓક્ટોબરના દિવસે આશિષ 2:36 થી 3:30 સુધી હતો, તે જવાબ આપી શક્યો નથી. અગાઉ, શુક્રવારે સવારે 10 વાગ્યે આશિષને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો, પરંતુ તે આખો દિવસ ગેરહાજર રહ્યો હતો. આશિષ મિશ્રા સમયમર્યાદાના 22 મિનિટ પહેલા સવારે 10.38 કલાકે ક્રાઈમ બ્રાન્ચ ઓફિસ પહોંચ્યા હતા. તેની પૂછપરછ માટે ક્રાઈમ બ્રાન્ચે લગભગ 32 પ્રશ્નોની યાદી તૈયાર કરી છે. પૂછપરછની વીડિયોગ્રાફી પણ કરવામાં આવી રહી છે.
 
આશિષ મિશ્રા વિરુદ્ધ IPC કલમ 147, 148, 149 (રમખાણો સંબંધિત), 279 (બેદરકારીથી ગાડી ચલાવવી), 338 (કોઈપણ વ્યક્તિને નુકશાન પહોંચાડવુ જેનાથી તેનો જીવ જોખમમા મુકાય), 304-A (બેદરકારીથી મોત) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. 302 (હત્યા) અને 120 બી (ગુનાહિત કાવતરું). સમગ્ર વિપક્ષ અને ખેડૂતોના સંગઠનો આશિષની ધરપકડને લઈને યુપી સરકાર પર સતત દબાણ કરી રહ્યા છે.
 
4 ખેડૂતો સહિત આઠના મોત
 
ઉલ્લેખનીય છે કે, 3 ઓક્ટોબરના રોજ લખીમપુર ખેરીમાં થાર જીપ દ્વારા ચાર ખેડૂતોનું કચડાઈને મોત થયું હતું. આ પછી, ફાટી નીકળેલી હિંસામાં વધુ ચાર લોકોના મોત થયા હતા. યુપી સરકારે તમામ મૃતકોના પરિવારજનોને 45-45 લાખ રૂપિયાનું વળતર આપ્યું છે. તેમજ પરિવારના સભ્યને સરકારી નોકરી આપવાની જાહેરાત કરવામાં આવી છે

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

આગળનો લેખ
Show comments