Webdunia - Bharat's app for daily news and videos

Install App

Surgical Strike 2: એયર ચીફ માર્શલ બોલ્યા - અમારુ કામ લક્ષ્ય ભેદવાનુ હતુ, લાશો ગણવાનુ નહી

Surgical Strike 2
Webdunia
સોમવાર, 4 માર્ચ 2019 (15:18 IST)
પાકિસ્તાનના કબજાવાળા વિસ્તારમાં જૈશના ઠેકાણા પર એયર સ્ટ્રાઈક કર્યા પછી પહેલીવાર એયર ચીફ માર્શલ બીએસ ધનોઆએ મીડિયાને બ્રિફિંગ આપી. તેમણે કહ્યુ કે ભારતીય સેના દરેક નાપાક હરકતનો જ્વાબ આપવાની તાકત ધરાવે છે. એયર સ્ટ્રાઈકમાં કેટલા આતંકવાદી માર્યા ગયા ? જેના સવાલ પર એયર ચીફ માર્શલે કહ્યુ કે અમારુ કામ લક્ષ્ય ભેદવાનુ હતુ, લાશો ગણવાનુ નહી. 
 
એયર ચીફ માર્શલે કહ્યુ, 'પાકિસ્તાનના બાલાકોટમાં અમે ટાર્ગેટને ભેદ્યુ. જે અમારુ કામ હતુ. એયરફોર્સનુ કામ એ બતાવવાનુ નથી કે જમીન પર કેટલા લોકો હતા. અમારી પાસે કેટલા લોકો માર્યા ગયા તેની કોઈ માહિતી નથી. ભારત સરકાર તેના પર વધુ સારી રીતે બતાવી શકે છે. 
 
એયર ચીફ માર્શલે કહ્યુ, જો અમે કોઈ ટારગેટને હિટ કરવાનો પ્લાન બનાવીએ છીએ તો અમે તેને હિટ કરીએ છીએ. જો અમે જંગલમાં બોમ્બ ફેક્યા હોત તો પાકિસ્તાનના પ્રધાનમંત્રી એયર સ્ટ્રાઈક પર પ્રતિક્રિયા કેમ આપતા ?
 
તેમણે કહ્યુ, 'F-16 થી ડૉગ ફાઈટ માટે મિગ 21 નો ઉપયોગ કરવામાં આવ્યો.  અમને તેના પુરાવા મળ્યા છે. જેને અધિકારીઓને સોંપવામાં આવ્યા છે. એયર ચીફ માર્શલે કહ્યુ, પાકિસ્તાનએ f-16 ઉપયોગ કરવાનો નિયમ તોડ્યો છે  પાકિસ્તાન પર કાર્યવાહી હાલ ખતમ થઈ નથી. 
 
એયર સ્ટ્રાઈકમાં મિગ 21 નો ઉપયોગ કેમ થયો ? તેના સવાલ પર વાયુસેના પ્રમુખે કહ્યુ, મિગ 21 અમારુ એક કામગાર વિમાન છે. જેને અપગ્રેડ કરી દેવામાં આવ્યુ છે. આ વિમન પાસે સારા રડાર છે. તેમણે જણાવ્યુ, જે પણ વિમાન અમારી પાસે છે તેનો અમે અમારી લડાઈમાં ઉપયોગ કરીએ છીએ. 
 
આ ઉપરાંત ધનોએ એ એવુ પણ કહ્યુ,. 'જ્યારે તમે કોઈ ઓપરેશન પ્લાન કરો છો તો તમે એ પણ પ્લાન કરો છો કે આ ઓપરેશનમાં કયુ એયરક્રાફ્ટ વપરાશે.  પણ જ્યારે દુશ્મન તરફથી સ્ટ્રાઈક થાય છે તો એ સમયે જે એયર ક્રાફ્ટ ઉપલબ્ધ હોય છે તેનો જ ઉપયોગ સ્ટ્રાઈકનો જવાબ આપવા માટે કરવામાં આવે છે.  તેમણે એ પણ કહ્યુ કે બધા એયરક્રાફ્ટમાં દુશ્મન સાથે લડવાની ક્ષમતા છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

નવરાત્રી સ્પેશિયલ પ્રિમિક્સ કેવી રીતે બનાવશો-

Skin Care tips- જો તમે આ કોરિયન બ્યુટી ટિપ્સને ફોલો કરશો તો ત્વચાની સમસ્યાઓ ઓછી થશે અને તમારો ચહેરો ચમકશે

બોધ વાર્તા ગુજરાતી- "જે થયું તે થઈ ગયું.

April Fools Day History- એક એપ્રિલના દિવસે જ શા માટે ઉજવાય છે એપ્રિલ ફૂલ્સ ડે

યુરિક એસિડને નિયંત્રિત કરવામાં ડુંગળીનું સેવન ફાયદાકારક છે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

વધુ જુઓ..

નવીનતમ

Jokes- એપ્રિલ ફૂલ જોક્સ

ગુજરાતી જોક્સ - ઘઉં વેચવા ગયો

ગુજરાતી જોક્સ - ત્રીજા માળના ફ્લેટ

ક્રિકેટર પર આવ્યુ મલાઈકા અરોરાનુ દિલ ? વાયરલ તસ્વીરે ઈંટરનેટ પર મચાવી ધમાલ

શ્રી ચામુંડા માતાજી મંદિર - ચોટીલા

આગળનો લેખ
Show comments