Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં ઓમિક્રૉનના વધુ સાત કેસ, દેશમાં કુલ 32 કેસ

Webdunia
શનિવાર, 11 ડિસેમ્બર 2021 (09:52 IST)
ભારતમાં, કોરોનાના નવા પ્રકાર ઓમિક્રોનથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 32 થઈ ગઈ છે. ચોંકાવનારી વાત એ છે કે ઓમિક્રોનથી સંક્રમિત નવા દર્દીઓમાં મહારાષ્ટ્રની સાડા ત્રણ વર્ષની બાળકી પણ સામેલ છે. મહારાષ્ટ્રમાં સાત અને ગુજરાતમાં બે નવા કેસ નોંધાયા બાદ આ સંખ્યા સામે આવી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, છેલ્લા ત્રણ દિવસમાં ઓમિક્રોન વેરિઅન્ટનો એક પણ કેસ દેશમાં નોંધાયો નથી. દેશમાં અત્યાર સુધીમાં ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશ આ નવા પ્રકારથી સંક્રમિત જોવા મળ્યા છે. તેમાંથી મહારાષ્ટ્રમાં સૌથી વધુ 17, રાજસ્થાનમાં નવ, ગુજરાત ત્રણ, કર્ણાટકમાં બે અને દિલ્હીમાં એક છે.
 
 
શુક્રવારના રોજ મહારાષ્ટ્રમાં ઓમિક્રૉન વૅરિયન્ટના વધુ સાત કેસો નોંધાયા છે, જેની સાથે દેશમાં આ વૅરિયન્ટના કુલ કેસોની સંખ્યા 32 થઈ ગઈ છે. સમાચાર એજન્સી એએનઆઈએ માહિતી આપી હતી કે, નોંધાયેલા નવા 7 કેસો પૈકી 3 મુંબઈના છે અને 4 પીંપરી ચિંચવાડના રહેવાસી છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ અહીં કેસ નોંધાઈ ચૂક્યા છે. આ સાથે મહારાષ્ટ્રમાં ઓમિક્રૉન વૅરિયન્ટના કુલ કેસોની સંખ્યા 17 થઈ ગઈ છે. હાલમાં દેશમાં ઓમિક્રૉન વૅરિયન્ટનાં કુલ કેસોની સંખ્યા 32 છે.
 
જે પૈકી સૌથી વધુ 17 કેસ મહારાષ્ટ્રમાં છે, જ્યારબાદ નવ કેસ રાજસ્થાનમાં છે, 3 કેસ ગુજરાતમાં છે, 2 કેસ કર્ણાટકમાં અને 1 કેસ દિલ્હીમાં નોંધાયો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

થિલાઈ નટરાજ મંદિર

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

આગળનો લેખ
Show comments