Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાયુ વાવાઝોડાની દિશા બદલાઈ, આગામી 48 કલાકમાં ધોધમાર વરસાદની આગાહી

Webdunia
ગુરુવાર, 13 જૂન 2019 (11:52 IST)
વાયુ વાવાઝોડાને લઈને સૌથી મોટો ખતરો ટળી ગયો હોય એવું લાગે છે. વાયુ વાવાઝોડું હવે ગુજરાતના દરિયાકાંઠા પર નહીં ટકરાય પરંતુ ત્યાંથી માત્ર પસાર થઈને નીકળી જશે. આ સાથે તેઓએ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી 48 કલાક સુધી ભારે પવન સાથે અતિ ભારે વરસાદની આગાહી કરી છે.
 
વાયુ વાવાઝોડના કારણે ગુજરાતના 17 જિલ્લાઓમાં વરસાદ વરસ્યો હતો. તો હવે વાવાઝોડું ફંટાઈ ગયા બાદ પણ આગામી 48 કલાક ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો માટે ભારે હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. પોરબંદર નજીકથી પસાર થવાને કારણે અહીં ભારે પવન સાથે અતિ ભારે વરસાદ વરસી શકે છે. આ વાવાઝોડાને કારણે 135 કિમી/કલાકથી 145 કિમી/કલાકની ઝડપથી લઈ 175 કિમી/કલાકની ઝડપ પકડી શકે છે.
આગામી 2 દિવસમાં વેરાવળ અને ઓખામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન એજન્સીએ કરી છે. દ્વારકા, જૂનાગઢ, નલિયા અને રાજકોટમાં પણ ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે.
 
અમરેલી જિલ્લામાં વાયુ વાવાઝોડાની અસર વર્તાઇ રહી છે. જાફરાબાદ સહિતમાં દરિયાઇ વિસ્તારોમાં મોડી રાતથી પવન અને વરસાદ છે. આ ઉપરાંત અમરેલી, બગસરા, બાબરા સહિતનાં વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જ્યારે કંડલા પોર્ટમાં વહેલી સવારથી પવનની ગતી વધી રહી છે.
 
વાયુ વાવાઝોડાનો ખતરો હજી ગુજરાત પરથી ટળ્યો નથી અને વાવાઝોડું આગળ વધી રહ્યું છે. હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે તે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાને સ્પર્શીને આગળ વધશે. હાલ વાયુ વાવાઝોડું વેરાવળથી 110 કિલોમિટર અને પોરબંદરથી 150 કિલોમિટર દૂર છે.
 
સૌ પ્રથમ વાવાઝોડું ગુજરાતના મહુવા અને વેરાવળ વચ્ચે ત્રાટકવાનું હતું, જે બાદ તેની દિશામાં ફેરફાર થયો અને તે વેરાવળ તથા દ્વારકાના દરિયાકિનારે ત્રાટકવાનું હતું. જોકે, તેની દિશા વધારે ફંટાતા હવે તે માત્ર સૌરાષ્ટ્રના દરિયાકિનારાને જ સ્પર્શ કરશે.
 
પોરબંદરના દરિયાકાંઠે સવારથી ઊંચાં મોજાં ઊછળતાં જોવાં મળ્યાં હતાં. 
 
વાવાઝોડાની દિશા પલટાઈ છે પણ હજી ખતરો ટળ્યો નથી. આજે બપોર સુધીમાં પોરબંદર, વેરાવળ પાસેથી વાવાઝોડું પસાર થશે. વાવાઝોડાની દિશા બદલાઈ એ પછી રાજ્યના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે જણાવ્યું છે કે સરકાર હજી પણ એટલી જ ઍલર્ટ રહીને કામ કરી રહી છે. લોકોએ હજી પણ સુરક્ષિત વિસ્તારમાં જ રહેવું જોઈએ

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

આ રાજ્યમાં 2 હજારથી વધુ કોન્સ્ટેબલની જગ્યાઓ માટે ભરતી, જાણો કોણ કરી શકે છે અરજી

LIVE | India vs New Zealand 2nd Test: ભારતે લંચ સુધી ગુમાવી 7 વિકેટ પર 107 રન, ન્યુઝીલેંડ હજુ પણ 152 રનથી આગળ

અમરોહામાં ચાલતી સ્કુલ બસ પર ફાયરિંગ, હુમલાવરોએ ઈંટ-પત્થર પણ માર્યા, 30-35 બાળકો હતા સવાર

મોંઘવારીની કડાહીમાં સૌથી વધારે મોંઘુ સરસવનુ તેલ ડુંગળી અને ટમેટા પણ ઉછાળો

તિરુપતિમાં બ્લાસ્ટની ધમકી, હોટલોને ઉડાવી દેવાનો ઈમેલ આવ્યો, પોલીસ આખી રાત સર્ચ કરતી રહી

આગળનો લેખ
Show comments