Webdunia - Bharat's app for daily news and videos

Install App

હું સીએમ પદનો ઉમેદવાર નથી સમર્થકોને મળીને આગામી રણનિતિ તૈયાર કરીશું - શંકરસિંહ વાઘેલા

Webdunia
મંગળવાર, 20 જૂન 2017 (15:22 IST)
છેલ્લા એક મહિનાથી કોંગ્રેસ છોડવાની ચાલતી અટકળો વચ્ચે આજે ગુજરાત વિઘાનસભાના વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ પત્રકારોને જણાવ્યું હતું કે હું મુખ્યમંત્રી પદનો ઉમેદવાર નથી અને પક્ષને નુકશાન થાય એવું કોઇ કામ મેં કર્યું નથી. હું નવો પક્ષ પણ બનાવવાનો નથી અને ભાજપમાં પણ જોડાવાનો નથી. તેમણે ઉમેર્યું હતું કે રાજકારણમાં હારજીતનું ચક્ર ચાલ્યા કરે. મે પણ સામેથી સરકાર છોડી હતી. હું સોનિયા ગાંધી અને કોંગ્રેસનો આભારી છું. તેમણે ચૂંટણી અંગે કહ્યું હતું કે ચૂંટણી માટે ખાસ તો હોમવર્ક જરૂરી છે. જેના માટે ઉમેદવારો પણ અત્યારથી જ જાહેર કરી દેવા જોઈએ. ચૂંટણી જીતવા માટે હાલથી જ કામે લાગવાની અને યોગ્ય તૈયારીઓની જરૂર છે.

તેમણે તાજેતરમાં સોનિયા ગાંધીને લખેલા પત્ર વિશે કહ્યું હતું કે મેં ક્યારેય કોઈ પક્ષ છોડવાનો પત્ર સોનિયાજીને લખ્યો નથી. મારા વિશે મીડિયામાં ખોટી વાતો ચાલ્યા કરે છે. મને પદ કે હોદ્દાનો મોહ નથી પણ પૂરતા હોમવર્કના અભાવથી હું નારાજ છું. હું મારા સમર્થકોને મળીને આગળની રણનિતિ તૈયાર કરીશ. 
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

અમેરિકાએ ઘણા ભારતીયોને ભાડાના ચાર્ટર્ડ પ્લેનથી પરત મોકલ્યા, જાણો કારણ

લખનૌની અનેક હોટલોને બોમ્બથી હોટલને ઉડાવવાની ધમકી મળી

હિમાચલના મંડીમાં દુઃખદ અકસ્માત, કાર 300 મીટર ખાઈમાં પડી, પાંચ લોકોએ જીવ ગુમાવ્યા

સુરતના ઉધનામાં સવારની ટ્રેન માટે રાતથી લોકો કતારમાં ઉભા છે, ભીડના કારણે સ્ટેશનની હાલત ખરાબ્

ટોરન્ટોમાં ગાડી અથડાતા ગોધરાના ભાઈ બેન સહિત 4નાં મૃત્યુ

આગળનો લેખ
Show comments