Webdunia - Bharat's app for daily news and videos

Install App

બોર્ડની પરિક્ષામાં જો રિસિપ્ટ ખોવાય તો પરીક્ષા ખંડના સાથી પરીક્ષાર્થીને પૂછીને પરીક્ષા આપવા દેવાશે

Webdunia
મંગળવાર, 3 માર્ચ 2020 (12:13 IST)
આગામી 5મી માર્ચથી એસ.એસ.સી. અને એચ.એસ.સી.ની પરીક્ષાઓનો પ્રારંભ થઈ રહ્યો છે. વહીવટી તંત્રએ તમામ તૈયારીઓ પુર્ણ કરી દીધી છે. ત્યારે પંચમહાલ જિલ્લામાં 1615 ખંડોમાં સીસીટીવી કેમેરા લગાવેલા છે. પણ 37 પરીક્ષા ખંડમાં સીસીટીવી કેમેરા ન હોવાથી ટેબલેટ ગોઠવામાં આવશે. આ ટેબલેટથી ગાંધીનગર બેસેલા અધિકારીઓ ખંડની તમામ ગતિવીધી દેખાશે. આ વખતે પ્રથમ વખત રિસિપ્ટ ઓનલાઇન શાળા ડાઉનલોડ કરીને આચાર્યની સહિ સિક્કા કરીને રિસિપ્ટ આપી છે. વિધાર્થી આ રિસિપ્ટની ત્રણ જેટલી ઝેરોક્ષ કઢાવી નાખવી જોઇએ. પરીક્ષાર્થીની રિસિપ્ટ ખોવાઇ જાય તો પરીક્ષાર્થીનો સમય ન બગડે અને પરીક્ષાર્થી પરીક્ષાથી વંચિત ન રહે તે માટે પરીક્ષાખંડમાં તેના સાથી પરીક્ષાર્થીઓને પુછીને તેને પરીક્ષા આપવા દેવામાં આવશે. બીજે દિવસે પરીક્ષાર્થીએ તેના પુરાવા રજુ કરવા પડશે. પરીક્ષાર્થીઓએ રિસિપ્ટનો સપૂર્ણ અભ્યાસ કરી લેવો જોઇએ. રિસિપ્ટમાં શાળાના આચાર્યનો સહિ સિક્કો કરેલો હશે તે જ માન્ય રિસિપ્ટ ગણાશે. અને જો રિસિપ્ટમાં કોઇ ભુલ હોય તો આચાર્યનો સપર્ક કરવો. પરીક્ષાના સમય દરમિયાન વીજપુરવઠો ખોરવાય તો શાળાઓએ નોંધ લેશે અને એમજીવીસીએલ પાસે પુરવઠો કેમ બંધ રહ્યો તેનો જવાબ લેવાશે. આ ઉપરાંત, પરીક્ષાકેન્દ્ર વિસ્તારોને તા.5મી માર્ચથી તા.21 માર્ચ સુધી કલમ-144 હેઠળ પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરાયાં છે. બોર્ડમાં 1700 થી 1800 શિક્ષકોની પરીક્ષામાં ફરજ બજાવવાની જરૂરયાતની સામે માધ્યમિકના 1400 શિક્ષકો સહિત પ્રાથમિક શાળાના 400 શિક્ષકો પણ પરીક્ષામાં ફરજ માટો આદેશ કર્યા છે. પરંતુ઼ કેટલાક પ્રાથમિક શિક્ષકો તાલિમ તથા અન્ય બહાને પરીક્ષામાં આવવાં ટાળી રહ્યાનું જાણવા મ‌ળ્યું છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાત સરકારના આ નિર્ણયથી પ્રોપર્ટી થશે સસ્તી, મધ્યમવર્ગીય ફેમિલીને થશે મોટો લાભ

હવે દુનિયાની સેનાઓ કરશે ઈંડિયન એયરફ્રાક્ટનો ઉપયોગ, કયો દેશ કરશે મદદ જાણી લો

ઈરાન પર ઈઝરાયેલનો મોટો હુમલો, અનેક શહેરોમાં વિસ્ફોટ

શિવસેના-યુબીટીએ 15 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને અને ક્યાંથી મળી ટિકિટ?

Dhanteras 2024 - ધનતેરસના દિવસે તમારી રાશિ પ્રમાણે કરો ખરીદી, કુંડળીના ક્રૂર ગ્રહો શાંત થશે, માતા લક્ષ્મી પણ વરસાવશે આશીર્વાદ.

આગળનો લેખ
Show comments