Webdunia - Bharat's app for daily news and videos

Install App

લોકસભા ચૂંટણી 2019- જામનગરમાં કોંગ્રેસના ઉમેદવારે ચોકીદાર શબ્દને નીચ કક્ષાનો ગણાવ્યો

Webdunia
સોમવાર, 8 એપ્રિલ 2019 (12:14 IST)
જામનગરમાં કોંગ્રેસ ઉમેદવારે વડાપ્રધાન સામે પ્રહાર કરતાં ચોકીદાર શબ્દને નીચ ગણાવતા  રાજકારણ ગરમાયું છે. લોકસભા કોંગ્રેસ ઉમેદવાર મુરું કંડોરિયાએ ગઇકાલે દ્વારકામાં ચૂંટણી લક્ષી સભા યોજી હતી. જોકે આ સભામાં ઘણી ઓછી સંખ્યામાં લોકો એકઠા થયા હતાં. જેટલી બેસવાની જગ્યાની વ્યવસ્થા કરવામાં આવી હતી તેમાંથી મોટાભાગની જગ્યા ખાલી હતી. મુરૂં કંડોરિયાએ દ્વારકામાં યોજેલી સભામાં ટૂંકુ પ્રવચન આપ્યું હતું જેમાં તેમણે સીધું જ નિશાન પીએમ મોદી પર લગાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, 'હું ચોકીદાર છું. ચોકીદાર તો ખાતા નથી પીતા નથી. તમે કોઇ ચોકીદાર રાખો છો? એવા નીચ કક્ષાનાં શબ્દનો પ્રયોગ કરીને લોકોની વચ્ચે જવાની વાત કરે છે. લોકોનાં હક અને અધિકાર પર તરાપ મારવાની વાત છે. લોકશાહી સિસ્ટમને તોડી નાંખવાની વાત છે. આપણે આ વાત લઇને કોંગ્રેસનાં કાર્યકર્તાઓએ એક વિચાર લઇને લોકો વચ્ચે જવાનું છે.' મહત્વનું છે કે લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર પોતાના નામ સાથે ચોકીદાર શબ્દને જોડી દીધો છે ત્યાર બાદ અમિત શાહથી માંડીને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિતના મોટાભાગના નેતાઓ,નરેન્દ્ર મોદી સમર્થકોએ ટ્વિટર,ફેસબુક પર પોતાના નામ આગળ ચોકીદાર શબ્દ જોડયો છે. ત્યારે કોંગ્રેસે અનેકવાર 'ચોકીદાર ચોર હૈ' કહીને તેનો વિરોધ પણ કર્યો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

દિવાળીના દિવસે આ 5 જીવોનાં દર્શન થવા છે ખૂબ જ શુભ, જો દેખાય તો દેવી લક્ષ્મી વરસાવશે અપાર આશીર્વાદ

Maharashtra Election: કોંગ્રેસે જાહેર કરી ઉમેદવારોની યાદી, જુઓ કોને ક્યાંથી મળી ટિકિટ

Bomb Threats: 85 ફ્લાઈટને બોમ્બથી ઉડાવવાની તાજી ધમકી, બોમ્બ ઉડાવવાની તાજી ધમકી, એયર ઈંડિયા, ઈંડિગો, વિસ્તારા, અકાસા પ્રભાવિત

Collector Salary:પાવર અને રૂતબા વાળુ હોય છે કલેક્ટરનુ પદ, જાણો કેટલી હોય છે સેલેરી અને શુ શુ મળે છે સુવિદ્યાઓ ?

મુસ્લિમ સગીરે ભગવાન રામ, માતા સીતા પર અભદ્ર ટિપ્પણી કરી

આગળનો લેખ
Show comments