Webdunia - Bharat's app for daily news and videos

Install App

વેસ્ટઈંડિઝ વિરુદ્ધ વનડે શ્રેણીમાંથી અચાનક બહાર થયા સિરાજ, સામે આવ્યુ આ મોટુ કારણ

Webdunia
ગુરુવાર, 27 જુલાઈ 2023 (15:45 IST)
ભારત અને વેસ્ટઈંડિજ વચ્ચે ત્રણ મેચોની વનડે શ્રેણી રમાવાની છે. આ સીરીઝમાં પહેલો મુકાબલો આજે રમાશે. આ સીરીજના શરૂ થતા પહેલા જ ટીમ ઈંડિયાને ખૂબ જ મોટો ઝટકો લાગ્યો જ્યારે મોહમ્મદ સિરાજ અચાનક જ સ્વદેશ   પરત ફર્યા. સિરાજની ગેરહાજરી થી ટીમ ઈન્ડિયાની બોલિંગ ટીમને ખૂબ નુકશાન થઈ શકે છે.  ટીમ ઈન્ડિયા પાસે આ શ્રેણીમાં કોઈ અનુભવી ઝડપી બોલર નથી. આવી સ્થિતિમાં સિરાજની વાપસીને લઈને ઘણી મોટી વાતો કરવામાં આવી રહી હતી, પરંતુ હવે BCCIએ તેની વતન વાપસીને લઈને મોટો ખુલાસો કર્યો છે. બોર્ડે જણાવ્યું છે કે સિરાજ કયા કારણોસર ભારત પરત ફર્યો છે.

<

UPDATE - Mohd. Siraj has been released from Team India’s ODI squad ahead of the three-match series against the West Indies.

The right-arm pacer complained of a sore ankle and as a precautionary measure has been advised rest by the BCCI medical team.

More details here… pic.twitter.com/Fj7V6jIxOk

— BCCI (@BCCI) July 27, 2023 >
 
BCCI એ આપ્યુ નિવેદન 
 
વેસ્ટ ઈન્ડિઝ સામેની ODI મેચ પહેલા ગુરુવારે મીડિયા રિપોર્ટ્સમાં સમાચાર આવ્યા હતા કે ટીમ ઈન્ડિયાનો સ્ટાર ફાસ્ટ બોલર આ સિરીઝમાં રમી શકશે નહીં. આ પછી ઘણા સવાલો ઉભા થવા લાગ્યા હતા, પરંતુ હવે BCCIએ તેની વાપસી પાછળનું સાચું કારણ જાહેર કર્યું છે. બીસીસીઆઈએ પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને જાણકારી આપી છે કે સિરાજ ઈજાના કારણે હાલમાં ટીમ ઈન્ડિયાની બહાર છે. બોર્ડે માહિતી આપી હતી કે મોહમ્મદ સિરાજને વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રણ મેચની શ્રેણી પહેલા ટીમ ઈન્ડિયાની ODI ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. જમણા હાથના ફાસ્ટ બોલરે પગની ઘૂંટીમાં દુખાવાની ફરિયાદ કરી હતી અને બીસીસીઆઈની મેડિકલ ટીમે સાવચેતીના પગલા તરીકે આરામ કરવાની સલાહ આપી છે. બીસીસીઆઈના આ અપડેટ પછી તે સંપૂર્ણ રીતે સ્પષ્ટ થઈ ગયું કે તેને ટીમ ઈન્ડિયામાંથી કેમ બહાર કરવામાં આવ્યો.
 
બોર્ડે માહિતી આપી હતી કે મોહમ્મદ સિરાજને વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રણ મેચની શ્રેણી પહેલા ટીમ ઈન્ડિયાની ODI ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. જમણા હાથના ફાસ્ટ બોલરે પગની ઘૂંટીમાં દુખાવાની ફરિયાદ કરી હતી અને બીસીસીઆઈની મેડિકલ ટીમે સાવચેતીના પગલા તરીકે આરામ કરવાની સલાહ આપી છે. બીસીસીઆઈના આ અપડેટ પછી તે સંપૂર્ણ રીતે સ્પષ્ટ થઈ ગયું કે તેને ટીમ ઈન્ડિયામાંથી કેમ બહાર કરવામાં આવ્યો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

રાજસ્થાનના સિરોહી જિલ્લામાં માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના પાંચ લોકોના મોત

વાવાઝોડા 'દાના'નો કહેર: આગામી 24 કલાક ખતરનાક, રેડ એલર્ટ જારી, તોફાની પવન સાથે ભારે વરસાદ

આઈસ્ક્રીમ મોંઘી થશે, હવે તમારે 18 ટકા જીએસટી ચૂકવવો પડશે

ઝિમ્બાબ્વેએ ટી20 માં હાંસલ કરી અત્યાર સુધીની સૌથી મોટી જીત, રેકૉર્ડ બનાવ્યો, ફટકાર્યા 344 રન

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીની રાષ્ટ્રપતિ જિનપિંગ વચ્ચે થઈ દ્વિપક્ષીય બેઠક

આગળનો લેખ
Show comments