Webdunia - Bharat's app for daily news and videos

Install App

Buddha Purnima 202: આજે વૈશાખ પૂર્ણિમા અને બુદ્ધ પૂર્ણિમા, જાણો પૂજા વિધિ અને મહત્વ

Webdunia
સોમવાર, 16 મે 2022 (08:38 IST)
વૈશાખ અને બુદ્ધ  પૂર્ણિમાનુ મહત્વ 
 
વૈશાખ પૂર્ણિમા પર ગંગામાં સ્નાન કરવાનું ખૂબ મહત્વ છે. આ દિવસે ગંગા ઘાટ પર સ્નાન કરવાથી પાપમાંથી મુક્તિની સાથે જીવનમાં સુખ-શાંતિ મળે છે. આ સાથે ભગવાન વિષ્ણુની વિધિપૂર્વક પૂજા કરવામાં આવે છે.. એવુ કહેવાય છે કે મહાત્મા બુદ્ધ શ્રી હરિ વિષ્ણુનો નવમો અવતાર છે.  હિન્દુઓ ઉપરાંત બૌદ્ધ ધર્મના લોકો  આ દિવસને બુદ્ધ જયંતીના રૂપમાં ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે સ્નાન, દાન અને પૂજા કરવાથી તમારી બધી મુશ્કેલીઓ દૂર થાય છે. કારણ કે આ તહેવાર ખૂબ જ પવિત્ર અને ફળદાયી માનવામાં આવે છે. આ દિવસે મીઠું દાન કરવાથી ગૌદાન દાન કરવા જેટલું ફળ મળે છે. આ સિવાય જો તમે અજાણતાં કોઈ પાપ કર્યું હોય તો આ દિવસે ખાંડ અને તલનું દાન કરવાથી આ પાપથી મુક્તિ મળે છે.
 
આ દિવસે પૂજા કેવી રીતે કરવી 
 
 આ દિવસે પૂજા કરવા માટે પહેલા ભગવાન વિષ્ણુની પ્રતિમાની સામે ઘી ભરેલું વાસણ મૂકો. આ સાથે તલ અને ખાંડ પણ મૂકો.. ત્યારબાદ તલના તેલથી દીવો પ્રગટાવો અને ભગવાનની પૂજા કરો. આ દિવસે બોધિવૃક્ષની પૂજા કરવામાં આવે છે. તેની શાખાઓને કલરફુલ ધ્વજ અને હારથી સજાવાય છે. ઉપરાંત, તેની જડમાં દૂધ અને સુગંધિત પાણી ચઢાવાય છે. તેમજ દીવો  પ્રગટાવવામાં આવે છે.
 
વૈશાખ પૂર્ણિમાના દિવસે સવાર સવારે શ્રી હરિ વિષ્ણુની પૂજા કરવામાં આવે છે.  આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાનનુ વિશેષ મહત્વ છે. આ દિવસે ધર્મરાજની પૂજા કરવાની પણ માન્યતા છે. એવુ કહેવાય છે કે સત્યવિનાયક વ્રતથી ધર્મરાજ ખુશ હોય છે. એવુ કહેવાય છે કે ધર્મરાજ મૃત્યુના દેવતા છે તેથી તેમના પ્રસન્ન થવાથી અકાળ મોતનો ભય ઓછો થઈ જાય છે. 
 
એવી માન્યતા છે કે આજના દિવસે તલ અને ખાંડનુ દાન કરવામાં આવે છે અને પિંજરામાં બંધ પક્ષીઓને આઝાદ કરવામાં આવે છે. સ્નાન પછી વ્રતનો સંકલ્પ લઈને ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ. ખાંડ અને તલનુ દાન કરવાથી અજાણતા થયેલા પાપોનો પણ નાશ થઈ જાય છે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Diwali Muhurat Trading: મુહૂર્ત ટ્રેડિંગ પર ફોલો કરો આ 5 ટિપ્સ, 1 કલાકમાં થઈ જશો માલામાલ

5 + Happy Diwali 2024 Wishes: દિવાળીના દિવસે આ સુંદર મેસેજીસ દ્વારા તમારા પ્રિયજનોને દિવાળી આપો હાર્દિક શુભકામના

Diwali 2024 Puja Muhurat - દિવાળીના પાંચ દિવસના શુભ મુહુર્ત

Dhanteras 2024 - ધનતેરસના દિવસે તમારી રાશિ પ્રમાણે કરો ખરીદી, કુંડળીના ક્રૂર ગ્રહો શાંત થશે, માતા લક્ષ્મી પણ વરસાવશે આશીર્વાદ.

Dhanteras 2024- ધનતેરસ પર ક્યાં ક્યાં દીવા પ્રગટાવવા થી મળશે સુખ સમૃદ્ધિનુ આશીર્વાદ

આગળનો લેખ
Show comments