Webdunia - Bharat's app for daily news and videos

Install App

પંજાબ પોલીસે અમૃતપાલ સિંહને ભાગેડું જાહેર કર્યા, તપાસ ચાલુ

Webdunia
રવિવાર, 19 માર્ચ 2023 (16:05 IST)
પંજાબ પોલીસે ‘વારિસ પંજાબ દે’ સંગઠનના પ્રમુખ અને ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહને ભાગેડું જાહેર કર્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, તેમને શોધવા માટે તપાસ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે.
 
જલંધરના પોલીસ કમિશનર કુલદીપસિંહ ચહલે શનિવારે મોડી રાત્રે મીડિયાને જણાવ્યું હતું કે, “અમૃતપાલ સિંહ હાલ ફરાર છે અને અમે તેમને શોધી રહ્યા છીએ અને ટૂંક સમયમાં તેમની ધરપકડ કરીશું.”
 
તેમણે જણાવ્યું હતું કે, “અમૃતપાલ સિંહની બે કાર અને બંદૂકધારીઓ જપ્ત કરવામાં આવ્યા છે. અમે એ પણ શોધ કરી રહ્યા છે કે તેમની સુરક્ષામાં રાખવામાં આવેલા હથિયાર ગેરકાયદે છે કે કેમ. તે અંગે કેસ નોંધવામાં આવ્યો છે.”
 
પંજાબ પોલીસે તેમના ટ્વિટર હૅન્ડલ પર માહિતી આપી છે કે, “વારિસ પંજાબ દે સામે કાર્યવાહીમાં અત્યારસુધીમાં 78 લોકોની ધરપકડ કરવામાં આવી છે. અમૃતપાલ ફરાર છે, પોલીસ ટીમ તેમને શોધી રહી છે. આઠ રાઇફલ, એક રિવૉલ્વર સહિત નવ હથિયાર જપ્ત કરવામાં આવ્યા છે. હાલ સ્થિતિ નિયંત્રણમાં છે અને લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવાની સલાહ આપવામાં આવી છે.”
 
વર્તમાન સ્થિતિ જોતા અમૃતપાલ સિંહના ગામ જુલ્લુપુરમાં મોટી સંખ્યામાં સુરક્ષાદળો તહેનાત કરવામાં આવ્યાં છે અને પંજાબમાં રવિવારે બપોર સુધી ઇન્ટરનેટ સેવાઓ બંધ કરવામાં આવી છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

જમ્મુ કાશ્મીરમાં બે સૈનિક, બે શ્રમિકનાં મૃત્યુ

Cyclone Dana landfall : ઓડિશાના ધામરા-ભીતરકણિકામાં લેન્ડફોલ દરિયાકાંઠે ટકરાયુ 'દાના' વાવાઝોડું, રસ્તાઓ ઉખડી ગયા

દિવાળીના દિવસે આ 5 જીવોનાં દર્શન થવા છે ખૂબ જ શુભ, જો દેખાય તો દેવી લક્ષ્મી વરસાવશે અપાર આશીર્વાદ

Maharashtra Election: કોંગ્રેસે જાહેર કરી ઉમેદવારોની યાદી, જુઓ કોને ક્યાંથી મળી ટિકિટ

લોરેન્સ બિશ્નોઈ કેમ સલમાનની પાછળ પડ્યો છે ? જાણો સમગ્ર સ્ટોરી

આગળનો લેખ
Show comments