Webdunia - Bharat's app for daily news and videos

Install App

દિવાળી બાદ હીરાના 20 ટકા કારખાના ખૂલ્યાં જ નથી: 15મીથી આંદોલન

Webdunia
ગુરુવાર, 9 મે 2019 (13:32 IST)
હીરા ઉદ્યોગમાં ફરી વેકેશન પાડવા તૈયારીઓ આદરાતા રત્નકલાકારો ફફડી ઊઠયા છે. કોઈપણ સંજોગોમાં વેકેશન નહિ પાડવા અને જો એમ થશે તો 15મીથી આંદોલન કરવા ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી હોવાનું યુનિયનના પ્રમુખે જણાવ્યું હતું. ડાયમંડ યુનિયનના પ્રમુખ રમણભાઈ જીલરિયાના જણાવ્યા અનુસાર દિવાળીના વેકેશન પછી અંદાજે 25થી 30 ટકા કારખાના તો ખૂલ્યા જ નથી. જે કારખાના ખુલ્યા તેમના કારીગરોના પણ 20થી 30 ટકા પગાર મંદીનો ભય બતાવી ઘટાડી નાખવામાં આવ્યા છે. કારીગરોનું માનસિક શોષણ કરી મફતમાં હીરા બનાવવાની એક રીત અજમાવવામાં આવી રહી છે. આવા સમયે હીરાના કારખાનાના માલિકો વધુ એક વેકેશન જાહેર કરવામાં આવે તો કારીગરો આર્થિક રીતે પડી ભાંગશે. દરમિયાન કોઈને આપઘાત કરવાનો સમય પણ આવશે તો જવાબદાર કોણ ઠરશે? દરમિયાન આપઘાત કરનાર રત્નકલાકારોના બાળકોના શિક્ષણ અને જીવનનિર્વાહની જવાબદારી કોણ ઉઠાવશે? તેવા સવાલો રત્નકલાકાર યુનિયને ઉઠાવી કોઈ સંજોગોમાં વધારાનું હીરા ઉદ્યોગનું વેકેશન નહિ પાડવા માગણી મૂકી છે.
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

'તમારા સંતરાનુ ચેકઅપ કરાવો' સ્તન કેંસરની જાહેરાત આ જાહેરાત દિલ્હી મેટ્રો પરથી હટાવી

દાના વાવાઝોડાને કારણે ઓડિશાના ભારે વરસાદ તથા પૂરની પરિસ્થિતિ

વાવ બેઠક પરથી ભાજપ અને કોંગ્રેસે ઉમેદવારો ઉભા રાખ્યા છે, આ ચહેરાઓ વચ્ચે જંગ જામશે.

અમદાવાદમાં 50થી વધુ બાંગ્લાદેશી ઘૂસણખોરોની અટકાયત

75 વર્ષનો માણસ જે બરાબર ચાલી પણ શકતો નથી, તેણે છોકરીને કરી પ્રેગનેંટ

આગળનો લેખ
Show comments