Webdunia - Bharat's app for daily news and videos

Install App

પરથમપુર ગામે ચૂંટણી પંચના આદેશ અનુસાર 1224 મતદારોનું આજે ફરી મતદાન

Webdunia
શનિવાર, 11 મે 2024 (11:48 IST)
દાહોદ લોકસભા સમાવિષ્ટ મહીસાગર જિલ્લાના સંતરામપુર વિધાનસભાના બેઠક પર ગત 7 મેના રોજ પરમથપુર ગામે મતદાન દરમિયાન ભાજપ નેતાના પુત્ર દ્વારા બુથ કેપ્ચરિંગનો મામલો સામે આવ્યો હતો. વિજય ભાભોર નામક યુવાન દ્વારા સોસિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર સમગ્ર બુથ કેપ્ચરિંગ અંગે લાઈવ કર્યું હતું. જે બાદ સમગ્ર દેશમાં હડકંપ મચી જવા પામ્યો હતો. ત્યારે મહીસાગર જિલ્લા તંત્ર દ્વારા સંતરામપુર પોલીસ મથક ખાતે વિજય ભાભોર અને વીડિયોમાં દેખાતા અન્ય એક ઇસમ મગન ડામોર વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

જે બાદ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા પણ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇ બંને આરોપીઓને તાત્કાલિક ધોરણે ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે આજે પરથમપુર બેઠક પર ફરી મતદાન શરૂ થયું છે. જ્યાં 11 વાગ્યા સુધીમાં 24.50% મતદાન નોંધાયું છે. લોકો ઉત્સાહ સાથે લોકો મતદાન કરી રહ્યા છે.આ સમગ્ર ઘટનાને લઈ ચૂંટણી પંચ દ્વારા સંતરામપુરના પરથમપુર બુથ નંબર 220 પર ફરીથી મતદાબ કરવાના આદેશ કરવા આવ્યા હતા. ત્યારે આજે 11 મેના રોજ સવારે 7 કલાકથી અહીંયા પોલીસના ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મતદાન પ્રક્રિયા યોજાઈ રહી છે.

આ બુથ પર કુલ 1224 મતદારો છે, જેમાં 618 પુરુષ અને 606 મહિલા મતદારો છે. મતદાન મથક ખાતે જિલ્લા કલેક્ટર નેહા કુમારી, ચૂંટણી ઓબ્ઝર્વર સહિત ASPની ઉપસ્થિતમાં મતદાન પ્રક્રિયા પ્રારંભ થયો છે. મતદાન મથક બહાર તેમજ આજુબાજુના સમગ્ર વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. 11 વાગ્યા સુધીમાં 24.50% મતદાન નોંધાયું છે. લોકો ઉત્સાહ સાથે લોકો મતદાન કરી રહ્યા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

અમેરિકાએ ઘણા ભારતીયોને ભાડાના ચાર્ટર્ડ પ્લેનથી પરત મોકલ્યા, જાણો કારણ

લખનૌની અનેક હોટલોને બોમ્બથી હોટલને ઉડાવવાની ધમકી મળી

હિમાચલના મંડીમાં દુઃખદ અકસ્માત, કાર 300 મીટર ખાઈમાં પડી, પાંચ લોકોએ જીવ ગુમાવ્યા

સુરતના ઉધનામાં સવારની ટ્રેન માટે રાતથી લોકો કતારમાં ઉભા છે, ભીડના કારણે સ્ટેશનની હાલત ખરાબ્

ટોરન્ટોમાં ગાડી અથડાતા ગોધરાના ભાઈ બેન સહિત 4નાં મૃત્યુ

આગળનો લેખ
Show comments