Webdunia - Bharat's app for daily news and videos

Install App

Gujarat Corona Update - ગુજરાતમાં કોરોનાના કેસ સતત ઘટાડો પણ મૃત્યું આંકમાં સતત વધઘટ

Webdunia
શુક્રવાર, 28 જાન્યુઆરી 2022 (21:57 IST)
ગુજરાતમાં કોરોના સંક્રમણમાં આજે થોડી  રાહત મળી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 12,131 નવા કેસ નોંધાયા છે. તો આ દરમિયાન 30 લોકોના મૃત્યુ થયા છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાની સારવાર બાદ 22070 લોકો સાજા થયા છે. રાજ્યમાં કોરોનાને લીધે અત્યાર સુધી 10375 લોકોના મૃત્યુ થયા છે. તો કોરોનાની સારવાર બાદ 10,14,501 લોકો સાજા થયા છે. 
 
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશન 4046, વડોદરા કોર્પોરેશન 1999, રાજકોટ 958, સુરત કોર્પોરેશન 628, ગાંધીનગર કોર્પોરેશન 271, ભાવનગર કોર્પોરેશન 185, જામનગર કોર્પોરેશન 176, જુનાગઢ કોર્પોરેશન 36 કેસ સામે આવ્યા છે. 
 
જ્યારે વડોદરા 518, સુરત 443, પાટણ 286, રાજકોટ 255, કચ્છ 206, વલસાડ 166, બનાસકાંઠા 157, મહેસાણા 157, નવસારી 151, ભરૂચ 148, આણંદ 138, મોરબી 138, ખેડા 129, ગાંધીનગર 128, સાબરકાંઠા 106, જામનગર 93, પંચમહાલ 85, અમદાવાદ 78, અમરેલી 78, સુરેન્દ્રનગર 69, જુનાગઢ 48, તાપી 39, દાહોદ 35, ગીર સોમનાથ 33, દેવભૂમિ દ્રારકા 27, ભાગનગર 23, મહિસાગર 23, અરવલ્લી 18, નર્મદા 18, છોટા ઉદેપુર 14, ડાંગ 10, પોરબંદર 10, બોટાદ 5 એમ કુલ 12,131 કેસ નોંધાયા છે. 
 
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 7 લોકોના મૃત્યુ થયા છે. તો વડોદરા કોર્પોરેશનમાં 3, રાજકોટ કોર્પોરેશનમાં 4, સુરત કોર્પોરેશન 1, વડોદરા 1, સુરત 2, રાજકોટ 1, ભાવનગર કોર્પોરેશન 2, જામનગર કોર્પોરેશન 1, વલસાડ 2, ભરૂચ 2, ગાંધીનગર 1, પંચમહાલ 1, ભાવનગર 1 અને મહિસાગરમાં 1 થઇને કુલ 30 નાગરિકોનાં મોત થઇ ચુક્યાં છે. 
 
ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસ 117884 છે. જેમાં 304 દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં કોરોનાને લીધે અત્યાર સુધી 10345 લોકોના મૃત્યુ થયા છે. કોરોનાની સારવાર બાદ 992431 લોકો સાજા થયા છે. રાજ્યનો રિકવરી રેટ 88.56 ટકા છે. 
 
રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 25 ને પ્રથમ, 529 ને બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરની 4468ને પ્રથમ અને 18252 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 21798 નાગરિકોને રસીનો પ્રથમ અને 51755 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 15-18 વર્ષના નાગરિકો પૈકી 32356 ને પ્રથમ ડોઝ અપાયો હતો. 65167 નાગરિકોને પ્રીકોર્શન ડોઝ અપાયા હતા. આ પ્રકારે કુલ 1,94,350 કુલ રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 9,73,85,041 કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ઈરાન પર ઈઝરાયેલનો મોટો હુમલો, અનેક શહેરોમાં વિસ્ફોટ

શિવસેના-યુબીટીએ 15 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને અને ક્યાંથી મળી ટિકિટ?

Dhanteras 2024 - ધનતેરસના દિવસે તમારી રાશિ પ્રમાણે કરો ખરીદી, કુંડળીના ક્રૂર ગ્રહો શાંત થશે, માતા લક્ષ્મી પણ વરસાવશે આશીર્વાદ.

'તમારા સંતરાનુ ચેકઅપ કરાવો' સ્તન કેંસરની જાહેરાત આ જાહેરાત દિલ્હી મેટ્રો પરથી હટાવી

દાના વાવાઝોડાને કારણે ઓડિશાના ભારે વરસાદ તથા પૂરની પરિસ્થિતિ

આગળનો લેખ
Show comments