Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઘરની આર્થિક તંગી દૂર કરવા સોમવારે કરો આ ઉપાય઼

Webdunia
સોમવાર, 11 એપ્રિલ 2022 (00:20 IST)
શિવનું નામ માત્ર જ જીવન સુધારવાનો મહામંત્ર છે.  કારણ કે તે કલ્યાણકર્તા જ નહી પણ પરોપકાર અને કલ્યાણના ભાવની પ્રેરણા અને ઉર્જાથી ભરી દે છે. શાસ્ત્રોમાં બતાવેલ શિવ ચરિત્ર અદ્દભૂત ગુણ, શક્તિઓ અને મહિમાથી ભરપૂર હોવા છતા પણ વૈરાગ્ય સંપન્ન છે.
 
શિવના આ ચરિત્રમાં શિવ પરિવારનો પણ સમાવેશ છે. કારણ કે ગૃહસ્થ જીવન માટે શિવ અને તેમનો પરિવાર વિપરિત પરિસ્થિતિ હોવા છતા પણ સાથે રહેવુ તેનુ પ્રમાણ પણ છે.  આ રીતે શિવ પરિવારનો દરેક સભ્ય મા પાર્વતી. ગણેશ અને કાર્તિકની ભક્તિ સંકટમોચક અને શક્તિ સંપન્નતા આપનારી છે.
 
 
આ જ કારણ છે કે શિવ ઉપાસનાનો વિશેષ દિવસ સોમવાર ખોટી પરેશાનીઓમાંથી છુટકારો અને કામનાસિદ્ધિ માટે ભક્તો વચ્ચે વિશેષ મહત્વ રાખે છે. આ દિવસે વ્રત અને પૂજા શુભ માનવામાં આવે છે.  સોમવાર વ્રત શક્ય ન હોય તો શાસ્ત્રોમાં બતાવેલ પૂજાના કેટલાક સરળ ઉપાય શિવ પૂજામાં અપનાવવા પણ કષ્ટોનો અંત કરનારો માનવામાં આવે છે.
 
- જાણો આ સરળ ઉપાય
 
1. શિવ મંદિરમાં અડધો કિલો ચોખા લઈને જવું. આ ચોખા શિવજી સમક્ષ રાખી અને 1 માળા શિવમંત્રની કરવી અને એક મુઠ્ઠી ચોખા લઈ શિવલિંગ પર અર્પણ કરી દેવા. બાકી બચેલા ચોખાને દાનમાં આપી દેવા. આ ઉપાય 5 સોમવાર સુધી કરવો તેનાથી આર્થિક તંગીમાંથી છૂટકારો મળી જાય છે.
 
2. નોકરી ન મળતી હોય તો ઓફિસમાં સમસ્યાઓ થતી હોય તો ખીર બનાવીને કાગડાને ખવડાવવી. આ ઉપાય પણ સોમવારે કરવો તુરંત લાભ થશે.
 
3. સોમવારે દૂધમાં ખાંડ ઉમેરી અને શિવલિંગનો અભિષેક કરવો. તેનાથી બુદ્ધિ તીવ્ર થાય છે.
 
4. સોમવારે ભગવાન શંકરને ચોખા અર્પણ કરો. પરંતુ આ ચોખા ખાસ હોવા જોઈએ. એટલે કે બધા જ ચોખા અખંડ હોવા જોઈએ. ચોખા ચડાવતી વખતે “ઓમ નમ: શિવાય ” મંત્રનો જાપ કરવો.
 
5. પિતૃદોષ દૂર કરવા સોમવતી અમાસ પર કાગડાને રોટલી અને ખીર ખવડાવવી. આ ઉપાયથી પિતૃદોષ દૂર થશે અને કાર્યમાં સફળતા મળવા લાગશે.
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

દિવાળીના દિવસે આ 5 જીવોનાં દર્શન થવા છે ખૂબ જ શુભ, જો દેખાય તો દેવી લક્ષ્મી વરસાવશે અપાર આશીર્વાદ

Dhanteras 2024 Astro - ધનતેરસ પર બનશે લક્ષ્મી-નારાયણ યોગ, આ 4 રાશિઓ થશે માલામાલ, નવેમ્બરમાં મળશે ખુશખબર

Dhanteras 2024: ધનતેરસ પર શુભ હોય છે સાવરણી ખરીદવી, પણ જાણી લો આ 5 જરૂરી નિયમ

Guru pushya nakshatra 2024- ગુરૂ પુષ્ય યોગમાં કરો આ ઉપાય, દરેક કામમા મળશે સફળતા, અક્ષય અને સમૃદ્ધિ

Diwali Vastu Tips: દિવાળી પર લઈ આવો આ ચમત્કારીક છોડ, ચુંબકની જેમ ખેંચાઈને આવશે પૈસો

આગળનો લેખ
Show comments