Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ કરનારને હવે છ મહિના સુધીની જેલ સજા થઈ શકશે

Webdunia
શનિવાર, 14 માર્ચ 2020 (14:13 IST)
માર્ગ અકસ્માતો રોકવા માટે કેન્દ્ર સરકારે ટ્રાફીક દંડમાં અનેકગણો વધારો કરીને કાયદો કડક બનાવ્યો જ છે. ગુજરાત સરકારે પણ તેનો અમલ કર્યો છે. હવે ચાલુ વાહને મોબાઈલ પર વાત કરનારાઓનો વારો નીકળશે. આવા ગુનાને બેફામ-બેદરકારી ભર્યા ડ્રાઈવીંગની વ્યાખ્યામાં મુકવામાં આવશે અને તેમાં 6 મહિનાની જેલ સજાની જોગવાઈ છે. ટ્રાફીક પોલીસના સૂત્રોએ કહ્યું કે ચાલુ વાહને મોબાઈલની જ વાત કરવી કે કાનમાં ઈયરફોન-હેડફોન લગાવીને મોબાઈલ મારફત વાતચીત કરવી તે ગુનો જ છે. ચાલુ વાહને મોબાઈલમાં વાતચીતને કારણે અકસ્માતોની માત્રા વધુ રહેતી હોવાનું ધ્યાને આવ્યુ છે અને એટલે આગામી એપ્રિલ મહિનાથી કાયદાની કલમ 279 હેઠળ ગુનો નોંધાશે જેમાં છ માસ સુધીની જેલ સજાની જોગવાઈ છે.
 
કેન્દ્રીય પરિવહન મંત્રાલયે જારી કરેલા આંકડાકીય રીપોર્ટમાં એમ દર્શાવવામાં આવ્યું છે કે 2018માં ગુજરાતમાં ચાલુ વાહને મોબાઈલમાં વાત કરવાને કારણે થયેલા માર્ગ અકસ્માતોમાં 187 લોકો મોતને ભેટયા હતા. 2017માં આ સંખ્યા 59 તથા 2016માં 54ની હતી તેનો સીધો અર્થ એવો થાય છે કે મોબાઈલ અકસ્માત વૃદ્ધિનું મોટુ કારણ છે. અમદાવાદ ટ્રાફીક બ્રાંચના નાયબ કમિશ્ર્નર તેજસ પટેલે કહ્યું કે ચાલુ વાહને મોબાઈલમાં વાત કરનાર સામે હવે બેફામ-બેદરકારીભર્યા ડ્રાઈવીંગનો ગુનો નોંધાશે. હેડફોન ભરાવીને વાત કરનારા સામે પણ ગુનો બને જ છે. અમદાવાદ સહિત ગુજરાતભરમાં ચાલુ વાહને મોબાઈલ વાપરવાનું રીતસરનું દુષણ જ છે. 2019માં 9062 લોકોને પોલીસે પકડયા હતા અને 49.93 લાખનો દંડ વસુલ્યો હતા. 2018માં આ સંખ્યા 1871 હતી અને દંડની રકમ 17.49 લાખ હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - રોજ કસરત કરો

ગોવિંદાની પત્નીને છે દારૂ પીવાનો ખૂબ શોખ, કહ્યું- મેં મારા જન્મદિવસ પર એકલી કેક કાપીને દારૂ પીઉં છું

આંધ્રપ્રદેશનું શ્રીકાલહસ્તી મંદિર દક્ષિણ ભારતના કાશી તરીકે પ્રખ્યાત છે, શિવના કર્પૂર સ્વરૂપની પૂજા કરવામાં આવે છે.

ગુજરાતી જોક્સ - ચાલ પ્રિસિપલ પાસે

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

વધુ જુઓ..

નવીનતમ

છત્રપતિ શિવાજી મહારાજના સુવિચાર

Window Glass Cleaning- ઘરે બારીના કાચ કેવી રીતે સાફ કરવા? આ 4 સફાઈ હેક્સ તમારા માટે ઉપયોગી થશે

Maha Shivratri 2025 Bhog Recipes: મહાશિવરાત્રી પર ભાંગથી બનેલી આ વસ્તુઓ મહાદેવને પ્રસન્ન કરશે, તેને ઘરે બનાવો અને ભોગ તરીકે અર્પણ કરો

હવે કૂકરમાંથી પંજાબી રારા મીટ રેસીપીનો સ્વાદ આવશે , જાણો પૈસા વસુલની નોન વેજ રેસીપી

લગ્નની પહેલી રાત્રે આ કામ ન કરો, નહીં તો આખી જિંદગી પસ્તાવો કરશો

આગળનો લેખ
Show comments