Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાણો 5 ધર્મના એ 5 જજો વિશે જેમણે ટ્રિપલ તલાક પર સંભળાવ્યો ઐતિહાસિક નિર્ણય

Webdunia
મંગળવાર, 22 ઑગસ્ટ 2017 (16:16 IST)
સુપ્રીમ કોર્ટે આજે ત્રણ તલાક પર મુખ્ય નિર્ણય સંભળાવતા તેને અસંવૈધાનિક બતાવ્યો અને તેને દેશમાં ખતમ કરવાનુ એલાન કર્યુ.. જો કે 5 માંથી 3 જજ એ ત્રણ તલાક ખોટો કરાર આપ્યો... આ મામલાની સુનાવણી કરી રહેલ પાંચ જજ વિશે સૌથી ખાસ વાત એ છે કે પાંચેય જજ જુદા જુદા ધર્મ સાથે સંબંધિત છે... પ્રધાન ન્યાયાધીશ ખેહર ઉપરાંત પીઠમાં ન્યાયમૂર્તિ કુરિયન જોસેફ,, ન્યાયમૂર્તિ યૂ યૂ લલિત અને ન્યાયમૂર્તિ એસ અબ્દુલ નજીરનો સમાવેશ છે. 
 
આવો જાણીએ આ પાચ પંચ પરમેશ્વર વિશે..... 
1. જસ્ટિસ જગદીશ સિંહ ખેહર - જસ્ટિસ ખેહર સિખ સમુહના  છે અને તેઓ દેશના પ્રથમ સિખ ચીફ જસ્ટિસ છે. તેઓ દેશના 44માં ચીફ જસ્ટિસ છે.. 2011 માં તેઓ સુપ્રીમ કોર્ટના જજ બન્યા હતા અને આ વર્ષે 27 ઓગસ્ટના રોજ રિટાયર થવાના છે. 

2. જસ્ટિસ કુરિયન જોસફ - જસ્ટિસ જોસફ ક્રિશ્ચિયન છે અને કેરલના છે. 1979માં તેમને કેરલ હાઈકોર્ટમાં વકાલત શરૂ કરી. 2000માં કેરલ હાઈકોર્ટના જજ બનેલ અને આ હાઈકોર્ટમાં બે વાર કાર્યકારી ચીફ જસ્ટિસ બન્યા. 2010-13 દરમિયાન હિમાચલ પ્રદેશના ચીફ જસ્ટિસ રહેલા અને આઠ માર્ચ 2013ના રોજ સુપ્રીમ કોર્ટના જજ બન્યા. જસ્ટિસ જોસફ 29 નવેમ્બર 2018ના રોજ રિટાયર થશે. 
3. રોહિંગ્ટન ફલી નરીમન - નરીમન પારસી છે. 1956માં જન્મેલા નરીમન માત્ર 37 વર્ષની વયમાં જ સુપ્રીમ કોર્ટના સીનિયર કાઉંસિલ બન્યા. જોકે એ સમયે આ પદ માટે ઓછામાં ઓછા 45 વર્ષની વય હોવી જરૂરી હતી પણ જસ્ટિસ વેંકટચેલૈયાના નરીમન માટે નિયમોમાં સંશોધન કર્યુ. નરીમનને પશ્ચિમી શાસ્ત્રીય સંગીતમાં રસ છે અને તેના સારા માહિતગાર છે. 
4. જસ્ટિસ ઉદય ઉમેશ લલિત - 1957 માં જન્મેલા જસ્ટિસ લલિત હિન્દુ ધર્મ સાથે સંબંધ છે.. જસ્ટિસ લલિતે 1983માં બોમ્બે હાઈકોર્ટથી વકાલત શરૂ કરી. એપ્રિલ 2004માં સુપ્રીમ કોર્ટના સીનિયર એડવોકેટ બન્યા. તેઓ 2જી મામલાના સીબીઆઈની તરફથી વિશેષ અભિયોજક રહ્યા.  2014 માં સુપ્રીમ કોર્ટના જજ બન્યા. જસ્ટિસ લલિત 2022માં રિટાયર થશે. 
5. જસ્ટિસ એસ અબ્દુલ નજીર -  1958માં  જન્મેલા જસ્ટિસ નજીર મુસ્લિમ છે. તેમણે 1983માં કર્ણાટક હાઈ કોર્ટમાં વકાલત શરૂ કરી. 2003માં કર્ણાટક હાઈકોર્ટના અતિરિક્ત જજ બન્યા અને તેના બીજા જ વર્ષે સ્થાયી જજ બન્યા. આ વર્ષ ફેબ્રુઆરીમાં સુપ્રીમ કોર્ટના જજ નિયુક્ત થયા. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

આ રાજ્યમાં 2 હજારથી વધુ કોન્સ્ટેબલની જગ્યાઓ માટે ભરતી, જાણો કોણ કરી શકે છે અરજી

LIVE | India vs New Zealand 2nd Test: ભારતે લંચ સુધી ગુમાવી 7 વિકેટ પર 107 રન, ન્યુઝીલેંડ હજુ પણ 152 રનથી આગળ

અમરોહામાં ચાલતી સ્કુલ બસ પર ફાયરિંગ, હુમલાવરોએ ઈંટ-પત્થર પણ માર્યા, 30-35 બાળકો હતા સવાર

મોંઘવારીની કડાહીમાં સૌથી વધારે મોંઘુ સરસવનુ તેલ ડુંગળી અને ટમેટા પણ ઉછાળો

તિરુપતિમાં બ્લાસ્ટની ધમકી, હોટલોને ઉડાવી દેવાનો ઈમેલ આવ્યો, પોલીસ આખી રાત સર્ચ કરતી રહી

આગળનો લેખ
Show comments