Webdunia - Bharat's app for daily news and videos

Install App

તો આનંદીબેન ફરીવાર સીએમ થઈ શકે, નહીં તો બહારના બે ચહેરા નક્કી

Webdunia
મંગળવાર, 22 ઑગસ્ટ 2017 (13:41 IST)
ગુજરાતમાં હાલમાં ચૂંટણીનો માહોલ ચારેબાજુ ફેલાઈ રહ્યો છે. ટોચના કેન્દ્રીય નેતાઓ પણ હવે ગુજરાતમાં ધામા નાંખવાની તૈયારીઓ કરી રહ્યાં છે. ત્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી કોણ બનશે એની ચર્ચાઓએ જોર પકડ્યું છે. એક મીડિયા રીપોર્ટ પ્રમાણે ગુજરાતમાં હાલમાં 75 વર્ષ પુરાં કરી ચૂકેલા નેતાઓમાં ફરીથી પ્રાણ ફૂંકાયા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ભોપાલ ખાતેની સભામાં જે 75 વર્ષની નિવૃત્તિને લઈને નિવેદન આપ્યું તેનાથી સમીકરણો પણ બદલાઈ શકે છે. હવે ભાજપમાં કોઈ કદાવર નેતા ના હોવાથી ચૂંટણી ભલે રૂપાણીના નેતૃત્વમાં લડાય પણ સવાલ ત્યાં છે કે તેઓ રીપીટ નહીં થઈ શકે, કારણ કે પાટીદાર સમાજને મનાવવા માટે ફરીવાર આનંદીબેનનો સીએમ પદ માટે ઉપયોગ થઈ શકે છે. અથવા તો મહિલાઓને પ્રાધાન્ય આપવા માટે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીને ગુજરાતની વહુના રૂપમાં ઉપયોગમાં લઈ શકાય છે. એવા મત સાથે ભાજપ દક્ષિણ ગુજરાતમાં પ્રચાર પણ કરશે. તો બીજી બાજુ સંઘની વાત આવે ત્યારે સંઘના ટોતના નેતા સંજય જોશી પણ હવે આ પદ માટે દાવેદાર માનવામાં આવે છે. આમતો ગુજરાતમાં કોઈ બહારનો નેતા કે પક્ષ ક્યારેય ચાલ્યો નથી પણ હવે ભાજપ આ નવો ચીલો ચીતરે એમાં કોઈ નવાઈ નથી.
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

'તમારા સંતરાનુ ચેકઅપ કરાવો' સ્તન કેંસરની જાહેરાત આ જાહેરાત દિલ્હી મેટ્રો પરથી હટાવી

દાના વાવાઝોડાને કારણે ઓડિશાના ભારે વરસાદ તથા પૂરની પરિસ્થિતિ

વાવ બેઠક પરથી ભાજપ અને કોંગ્રેસે ઉમેદવારો ઉભા રાખ્યા છે, આ ચહેરાઓ વચ્ચે જંગ જામશે.

અમદાવાદમાં 50થી વધુ બાંગ્લાદેશી ઘૂસણખોરોની અટકાયત

75 વર્ષનો માણસ જે બરાબર ચાલી પણ શકતો નથી, તેણે છોકરીને કરી પ્રેગનેંટ

આગળનો લેખ
Show comments