Webdunia - Bharat's app for daily news and videos

Install App

તો આનંદીબેન ફરીવાર સીએમ થઈ શકે, નહીં તો બહારના બે ચહેરા નક્કી

Webdunia
મંગળવાર, 22 ઑગસ્ટ 2017 (13:41 IST)
ગુજરાતમાં હાલમાં ચૂંટણીનો માહોલ ચારેબાજુ ફેલાઈ રહ્યો છે. ટોચના કેન્દ્રીય નેતાઓ પણ હવે ગુજરાતમાં ધામા નાંખવાની તૈયારીઓ કરી રહ્યાં છે. ત્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી કોણ બનશે એની ચર્ચાઓએ જોર પકડ્યું છે. એક મીડિયા રીપોર્ટ પ્રમાણે ગુજરાતમાં હાલમાં 75 વર્ષ પુરાં કરી ચૂકેલા નેતાઓમાં ફરીથી પ્રાણ ફૂંકાયા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ભોપાલ ખાતેની સભામાં જે 75 વર્ષની નિવૃત્તિને લઈને નિવેદન આપ્યું તેનાથી સમીકરણો પણ બદલાઈ શકે છે. હવે ભાજપમાં કોઈ કદાવર નેતા ના હોવાથી ચૂંટણી ભલે રૂપાણીના નેતૃત્વમાં લડાય પણ સવાલ ત્યાં છે કે તેઓ રીપીટ નહીં થઈ શકે, કારણ કે પાટીદાર સમાજને મનાવવા માટે ફરીવાર આનંદીબેનનો સીએમ પદ માટે ઉપયોગ થઈ શકે છે. અથવા તો મહિલાઓને પ્રાધાન્ય આપવા માટે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીને ગુજરાતની વહુના રૂપમાં ઉપયોગમાં લઈ શકાય છે. એવા મત સાથે ભાજપ દક્ષિણ ગુજરાતમાં પ્રચાર પણ કરશે. તો બીજી બાજુ સંઘની વાત આવે ત્યારે સંઘના ટોતના નેતા સંજય જોશી પણ હવે આ પદ માટે દાવેદાર માનવામાં આવે છે. આમતો ગુજરાતમાં કોઈ બહારનો નેતા કે પક્ષ ક્યારેય ચાલ્યો નથી પણ હવે ભાજપ આ નવો ચીલો ચીતરે એમાં કોઈ નવાઈ નથી.
વધુ જુઓ..

જરૂર વાંચો

તજ અને વરિયાળીનું પાણી આરોગ્ય માટે છે લાભકારી, ખાલી પેટ પીશો તો વજન અને શુગર રહેશે કંટ્રોલમાં

કુટીનો દારો નો ચીલા

Jade Plant- જેડના પ્લાંટમાં આ એક વસ્તુ નાખી દેવાથી છોડ

કાગડા અને કોયલ

મીઠું નાખતા જ ઝેર બની જાય છે આ 5 વસ્તુઓ, ભૂલથી પણ ન ખાશો નહીંતર સહન કરવું પડશે નુકસાન

વધુ જુઓ..

નવીનતમ

CID માં ACP પ્રદ્યુમનની થશે મોત ? બીજી સીજનમાં જોવા મળશે મોટું ટ્વીસ્ટ, જાણો શું છે હકીકત

હંસિકા મોટવાણીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો, ભાભીના આરોપો ખોટા ગણાવ્યા

Bahuchar mataji mandir- અષ્ટમીના દિવસે લોકો સુરતના બહુચર માતાના મંદિરે દર્શન માટે જાય છે, તેને સંતાન પ્રાપ્તિ માટે શુભ માનવામાં આવે છે.

શશિ કપૂર - ધર્મેન્દ્ર લાલચી છે.. મનોજ કુમારનો જ્યારે ફુટ્યો ગુસ્સો, બંને એક્ટરને માર્યો હતો ટોણો

RIP Manoj Kumar: આ ફિલ્મને જોતા જ મનોજ કુમારે બદલી નાખ્યુ હતુ પોતાનુ નામ, આ હતુ અસલી નામ

આગળનો લેખ
Show comments