Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદમાં રહેતા પતિએ પત્નીને ધમકી આપી,દહેજ નહીં લાવે તો લંગડી બનાવી દઈશ,તું વાંઝણી છે કહીને મારઝૂડ કરતો

Webdunia
શનિવાર, 1 જાન્યુઆરી 2022 (11:55 IST)
આજના યુગમાં સમાજ શિક્ષિત બન્યો છે. શિક્ષણનું પ્રમાણ વધ્યું છે. છતાંય સમાજમાં દહેજના દૂષણને ડામી નથી શકાયું. અમદાવાદ શહેરમાં દહેજના અનેક મામલાઓ પોલીસ ચોપડે નોંધાતા હોય છે. ત્યારે ફરીવાર દહેજના એક કિસ્સાએ પરીણિતાનું જીવન દુષ્કર બનાવ્યું છે.

શહેરના દરિયાપુરમાં રહેતી પરીણિતાને તેના પતિએ દહેજ નહીં લાવે તો લંગડી બનાવી દેવાની ધમકી આપી હતી. પરીણિતાએ પતિથી કંટાળીને દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં રહેતી મહિલાના લગ્ન 2017માં થયાં હતાં. લગ્ન બાદ યુવતી તેની સાસરીમાં સંયુક્ત પરિવારમાં રહેતી હતી. થોડા સમય સુધી તેને સારી રીતે રાખવામા આવી હતી. પરંતું સમય જતાં તું વાંઝણી છે એમ કહીને સાસરિયાઓ મહેણાં ટોણાં મારવા માંડયા હતાં. તે ઉપરાંત સાસરીયાઓની ચઢામણીથી પતિ પણ તેની પત્નીને માર મારતો હતો. જો કે ઘરસંસાર ના બગડે તે માટે યુવતી મુંગા મોઢે બધું સહન કરતી  હતી. થોડા સમય બાદ તેના પતિએ દોઢ લાખ રૂપિયાની દહેજ પેટે માંગણી કરી હતી. જો કે યુવતીએ દહેજ આપવાની ના પાડતાં પતિએ માર મારીને તને લંગડી બનાવી દઈશ એવી ધમકી આપી હતી. પતિના આકરા વલણથી કંટાળેલી પત્ની છેવટે તેના પિયરમાં રહેવા માટે આવી ગઈ હતી. પરંતું વડીલોની સમજાવટ બાદ યુવતી સાસરે જવા માટે તૈયાર થઈ ગઈ હતી. આ સમયે સાસરિયાઓએ યુવતીને રાખવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. આ મામલે જેમ તેમ કરીને સમાધાન થયું અને ત્યાર બાદ સાસરિયાઓએ થોડો સમય રાખીને ફરીવાર કાઢી મુકી હતી. જેથી કંટાળેલી પત્નીએ તેના પતિ અને સાસરિયાઓ સામે દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ઈરાન પર ઈઝરાયેલનો મોટો હુમલો, અનેક શહેરોમાં વિસ્ફોટ

શિવસેના-યુબીટીએ 15 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને અને ક્યાંથી મળી ટિકિટ?

Dhanteras 2024 - ધનતેરસના દિવસે તમારી રાશિ પ્રમાણે કરો ખરીદી, કુંડળીના ક્રૂર ગ્રહો શાંત થશે, માતા લક્ષ્મી પણ વરસાવશે આશીર્વાદ.

'તમારા સંતરાનુ ચેકઅપ કરાવો' સ્તન કેંસરની જાહેરાત આ જાહેરાત દિલ્હી મેટ્રો પરથી હટાવી

દાના વાવાઝોડાને કારણે ઓડિશાના ભારે વરસાદ તથા પૂરની પરિસ્થિતિ

આગળનો લેખ
Show comments