Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ કોરોના દર્દીઓને ઈદ ફળી, ચાર દર્દીઓ પવિત્ર ઈદના દિવસે જ થયા કોરોના મુક્ત !

Webdunia
મંગળવાર, 26 મે 2020 (12:07 IST)
જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતેથી સોમવારે મુસ્લિમ બિરાદરોના પવિત્ર તહેવાર ઈદના રોજ 4  દર્દીઓ સ્વસ્થ થતા તેમને ડિસ્ચાર્જ કરાયા હતા. આ દર્દીઓ વિસાવદર તાલુકાનાં પ્રેમપરા અને બરડિયા ગામના હતા. ડિસ્ચાર્જ થયેલા દર્દીઓમા 15 વર્ષિય દિવ્યમ વઘાસીયા તા.16 મે ના રોજ 40 વર્ષના વિલાશબેન 38 વર્ષના કિશોરભાઈ વઘાસીયા અને બરડીયાના 48 વર્ષના મુકેશભાઈ વઘાસીયા તા.17 મે ના રોજ કોરોના પોઝીટીવ થતા સિવિલ હોસ્પિટલમાં જૂનાગઢ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા.
 
આ ચાર કોરોના પોઝીટીવ દર્દીઓ ડિસ્ચાર્જ થતા જૂનાગઢ જિલ્લામાં કુલ 25 કેસ પૈકી કુલ 8 દર્દીઓ સ્વસ્થ થય ઘરે પરત ફર્યા હતા. આ દર્દીઓ હવે સાત દિવસ હોમ કોરન્ટાઇન રહેશે. સ્વસ્થ થયેલા આ દર્દીઓ એ હોસ્પિટલમાં મળેલી સારવાર સુવિધા અને ડોકટરો તથા પેરામેડિકલ સ્ટાફ દ્વારા લેવાતી કાળજી પ્રત્યે સંતોષની લાગણી વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે, સમયસર સારવાર અને આરોગ્ય વિષયક ઘનિષ્ઠ કામગીરીથી જૂનાગઢ જિલ્લામાં હજુ સુધી કોરોના વાયરસ સંદર્ભે એકપણ મૃત્યુનો કેસ નોંધાયો નથી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

'તમારા સંતરાનુ ચેકઅપ કરાવો' સ્તન કેંસરની જાહેરાત આ જાહેરાત દિલ્હી મેટ્રો પરથી હટાવી

દાના વાવાઝોડાને કારણે ઓડિશાના ભારે વરસાદ તથા પૂરની પરિસ્થિતિ

વાવ બેઠક પરથી ભાજપ અને કોંગ્રેસે ઉમેદવારો ઉભા રાખ્યા છે, આ ચહેરાઓ વચ્ચે જંગ જામશે.

અમદાવાદમાં 50થી વધુ બાંગ્લાદેશી ઘૂસણખોરોની અટકાયત

75 વર્ષનો માણસ જે બરાબર ચાલી પણ શકતો નથી, તેણે છોકરીને કરી પ્રેગનેંટ

આગળનો લેખ
Show comments