Webdunia - Bharat's app for daily news and videos

Install App

આજથી થૂંકતા પકડાયા તો 250 ને બદલે 500નો દંડ, સુરતમાં 50 હજારનો દંડ વસૂલાયો

Webdunia
સોમવાર, 16 માર્ચ 2020 (12:23 IST)
રવિવારે જાહેરમાં થૂંકનારા વ્યક્તિઓને આરોગ્ય ખાતાની ટીમે પકડી પકડીને દંડ વસુલ્યો છે. અઠવા ઝોન વિસ્તારના ગૌરવપથ, ડૂમસ રોડ સહિતના વિસ્તારમાં અને સેન્ટ્રલ ઝોનના રેલવે સ્ટેશન-બસ સ્ટેશન, ચોક સહિતના વિસ્તારમાંથી મળી કુલ 200થી વધુ વ્યક્તિઓને જાહેરમાં થૂંકવા પકડ્યા હતાં અને વ્યક્તિ દીઠ 250 રૂપિયા પ્રમાણે 50 હજારથી વધુનો દંડની વસુલાત કરી છે. કોરોના વાયરસનો ચેપ સંક્રમિત વ્યક્તિના જાહેરમાં થૂંકવાના કારણે ફેલાવો થવાની શક્યતા રહેલી છે. તેથી જાહેરમાં થૂંકવા ઉપર સરકારે પ્રતિબંધ મુક્યો છે અને જો કે સોમવારથી જે પણ વ્યક્તિ જાહેરમાં થંૂકશે તેની પાસેથી હવે 500 દંડ લેવાશે. રાજ્ય સરકારના નોટીફિકેશનનું રવિવારથી જ અમલીકરણ હાથ ધરી દેવાનું છે ત્યારે પાલિકાનું આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું છે. ખાસ કરીને મલ્ટિપ્લેક્સ બંધ રાખવાનો આદેશ છે ત્યારે મલ્ટિપ્લેક્સોની મંજુરી કલેક્ટરાલયના મનોરંજન વિભાગ આપતું હોય ચાલુ સિનેમા હોલ-મલ્ટિપ્લેક્સને બંધ કરવાની કાર્યવાહી મનોરંજન વિભાગે કરવાની હોવાનું પાલિકાના આરોગ્ય તંત્ર જણાવી રહ્યું છે. જ્યારે મહત્ત્વની વાત એ છે કે, અમલીકરણનું પાલન કરાવવાની જવાબદારી જે મનોરંજન વિભાગની છે તે મનોરંજન વિભાગ જ રવિવારે સંપૂર્ણ બંધ હતું. જેથી રવિવારે મોલ અને મલ્ટિપ્લેકક્સ શરૂ રહ્યા હતાં.  

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

દિવાળીના દિવસે આ 5 જીવોનાં દર્શન થવા છે ખૂબ જ શુભ, જો દેખાય તો દેવી લક્ષ્મી વરસાવશે અપાર આશીર્વાદ

Maharashtra Election: કોંગ્રેસે જાહેર કરી ઉમેદવારોની યાદી, જુઓ કોને ક્યાંથી મળી ટિકિટ

Bomb Threats: 85 ફ્લાઈટને બોમ્બથી ઉડાવવાની તાજી ધમકી, બોમ્બ ઉડાવવાની તાજી ધમકી, એયર ઈંડિયા, ઈંડિગો, વિસ્તારા, અકાસા પ્રભાવિત

Collector Salary:પાવર અને રૂતબા વાળુ હોય છે કલેક્ટરનુ પદ, જાણો કેટલી હોય છે સેલેરી અને શુ શુ મળે છે સુવિદ્યાઓ ?

મુસ્લિમ સગીરે ભગવાન રામ, માતા સીતા પર અભદ્ર ટિપ્પણી કરી

આગળનો લેખ
Show comments