Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં તહેવારો પૂર્ણ થતાં જ સિંગતેલ અને પામોલિન તેલના ભાવમાં ભડકો, સિંગતેલના ભાવમાં 50નો વધારો

Webdunia
મંગળવાર, 23 ઑગસ્ટ 2022 (17:32 IST)
તહેવારો પૂર્ણ થતા ખાદ્યતેલોના ભાવમાં મોટા પાયે વધઘટ જોવા મળી છે. જ્યાં પામોલીનના ભાવમાં ડબ્બે રૂ.175નો ઘટાડો થયો છે. જયારે સિંગતેલના ભાવમાં 50નો વધારો નોંધાયો છે.તહેવારો પૂર્વે જે પામોલીન તેલ નો ભાવ 2050 થી વધુ હતો તે હાલ ઘટીને રૂપિયા 1920 1925 પર આવી પહોંચ્યો છે. પામોલીન તેલમાં તહેવારો પૂર્ણ થવાના કારણે માંગમાં ઘટાડો થયો છે. જેના કારણે ડબ્બે રૂપિયા 150 થી 175 નો ઘટાડો નોંધાયો છે. તો બીજી તરફ સોયાબીન તેલમાં પણ ડબ્બે રૂપિયા 50 નો ઘટાડો નોંધાયો છે જ્યારે કે કપાસિયા તેલમાં રૂપિયા 15 નો ઘટાડો નોંધાયો છે.નોંધનીય છે કે સનફ્લાવર તેલમાં રૂપિયા 20 થી 30 રૂપિયાનો ઘટાડો નોંધાયો હોવાનું સામે આવ્યું છે. જ્યારે કે સિંગતેલમાં રૂપિયા 30 થી 40 નો વધારો જોવા મળ્યો છે.

રજાના માહોલના કારણે સિંગતેલની મિલો બંધ હોવાના કારણે ભાવમાં વધારો હોવાનું વેપારી જણાવી રહ્યા છે. ત્યારે આગામી 15 દિવસથી 30 દિવસમાં નવી મગફળીની આવક શરૂ થતા સિંગતેલના ભાવમાં આગામી એક મહિના બાદ સારો એવો ઘટાડો જોવા મળી શકે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Diwali Muhurat Trading: મુહૂર્ત ટ્રેડિંગ પર ફોલો કરો આ 5 ટિપ્સ, 1 કલાકમાં થઈ જશો માલામાલ

5 + Happy Diwali 2024 Wishes: દિવાળીના દિવસે આ સુંદર મેસેજીસ દ્વારા તમારા પ્રિયજનોને દિવાળી આપો હાર્દિક શુભકામના

રાજકોટની 10 હોટલમાં બોમ્બની ધમકી મળતા ખળભળાટ

પુણેમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હાર, ન્યુઝીલેન્ડે પ્રથમ વખત ભારતમાં ટેસ્ટ શ્રેણી જીતી

ગુજરાત સરકારના આ નિર્ણયથી પ્રોપર્ટી થશે સસ્તી, મધ્યમવર્ગીય ફેમિલીને થશે મોટો લાભ

આગળનો લેખ
Show comments