Webdunia - Bharat's app for daily news and videos

Install App

પંજાબમાં કોંગ્રેસ હારી તો હુ રાજીનામુ આપી દઈશ - મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ

Webdunia
શુક્રવાર, 17 મે 2019 (10:44 IST)
લોકસભા ચૂંટ્ણીના અંતિમ ચરણ માટે ચૂંટણી પ્રચાર આજે થંભી જશે આ દરમિયાન પંજાબના મુખ્યમંત્રી કૈપ્ટન અમરિંદર સિંહનુ મોટુ નિવેદન સામે આવ્યુ છે. તેમણે કહ્યુ કે જો કોંગ્રેસ હારી તો સંપૂર્ણ જવાબદારી તેમની હશે અને તેઓ રાજીનામું આપી દેશે 
 
કેપ્ટન અમરિંદરે સમાચાર એજન્સી સાથેની વાતચીતમાં કહ્યું કે, લોકસભા ચૂંટણીના પરિણામમાં જો પાર્ટીનો રાજ્યમાં સફયો થયો તો હું તેની સંપૂર્ણ જવાબદારી લઇશ અને રાજીનામું પણ આપી દઇશ. બધા મંત્રી અને ધારાસભ્ય રાજ્યમાં પાર્ટીએ ચૂંટણી પ્રદર્શન માટે જવાબદાર હશે.
 
પાર્ટીએ હાઇકમાન્ડે નક્કી કર્યું છે કે, મંત્રી અને ધારાસભ્ય કોંગ્રેસ ઉમેદવારોની જીત અથવા હાર થવાની તેના જવાબદાર હશે. હું પણ તે જવાબદારી લેવા તૈયાર છું પરંતુ હું સંપૂર્ણ રીતે આશ્વસ્ત છું કે, કોંગ્રેસ પંજાબમાં બધી લોકસભા સીટ પર જીતરશે. જણાવી દઇએ કે, આગામી 19 મેના પંજાબમાં મતદાન થશે.
 
આ સાથે જ અમરિંદર સિંહે વિશ્વાસ બતાવ્યો કે પાર્ટે પંજાબની બધી લોકસભા સીટો પર્જીત મેળવશે. પંજાબમાં 19 મેના રોજ અંતિમ ચરણમાં બધી 13 લોકસભા સીટો પર મતદાન થવાનુ છે.  આ માટે શુક્રવારે સાંજે 6 વાગ્યે ચૂંટણી પ્રચાર થમી જશે. 2017મમાં કોંગ્રેસે 117માંથી 77 સીટ જીતીને પંજાબમાં સરકાર બનાવી હતી. 

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments