Webdunia - Bharat's app for daily news and videos

Install App

ત્રણ દીકરીઓને કુવામાં નાખીને મારી નાંખી પછી પિતાએ આપઘાત કરી લીધો

Webdunia
બુધવાર, 18 ડિસેમ્બર 2019 (17:52 IST)
આજે 21મી સદીમાં માનવજાત ક્યાંયનો ક્યાંય પહોંચી ગયો છે ત્યારે દરેક વ્યક્તિ, સમાજ અને માનવજાતને મહાકલંકિત કરતી એક ઘટના સામે આવી છે. સમાજની ખોટી માન્યતા અને લોકમાનસમા રૂઢ થયેલા વિચારોના કારણે આજે પણ દીકરા-દીકરીના ભેદને સળગતો પ્રશ્ન બનાવી દીધો છે. ત્યારે આવી જ એક વધુ ઘટના આજે સામે આવી છે, જેમાં દીકરાની લાહ્યમાં ચાર દીકરીને જન્મ આપનાર પિતાએ દીકરીઓની હત્યા કરી આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, જુનાગઢના ભેંસાણમાં વિસ્તારમાં એક રૂવાંટા ઉભી કરી દે તેવી ઘટના બની છે. જેમાં એક પિતાએ ત્રણ દીકરીને કુવામાં નાખી હત્યા કરી દીધી, ત્યારબાદ પોતે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે.સમાજને લાંછન લગાડવાની આ ઘટના જુનાગઢના ભેંસાણના ખંભાળીયા ગામની છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ખંભાળીયા ગામમાં રહેતા રસિકભાઈ સોલંકી નામના વ્યક્તિને ત્યાં પુત્ર પ્રાપ્તિની ઘેલછામાં ચોથી દીકરીએ જન્મ લેતા આ સમગ્ર ઘટના બની છે.ઘટનાની વિગતે વાત કરીએ તો, ખંભાળીયામાં રહેતા રસિકભાઈ સોલંકી નામના વ્યક્તિની પત્ની ડિલેવરી માટે પિયરે ગઈ હતી, તેમને માહિતી મળી કે, તેમના ઘરે ચોથી દીકરીનો જન્મ થયો છે, જેને પગલે પુત્ર પ્રાપ્તિની ઘેલછા રાખી બેઠેલા પિતાએ ત્રણ દીકરીઓને કુવામાં નાખી મોતને ઘાટ ઉતારી દીધી, અને ત્યારબાદ પોતે પણ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો.આ ઘટનાની જાણ ગ્રામજનોને થતા પોલીસને જાણ કરવામાં આવી, પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ચુકી છે. હાલમાં ત્રણે બાળકીઓની લાસને કુવામાંથી બહાર કાઢી તથા પિતાની લાસને સરકારની હોસ્પિટલમાં પીએમ માટે લઈ જવામાં આવી છે. ઉલ્લેખનીય છે, આજની 21મી સદીમાં પણ આ પ્રકારે પુત્ર પ્રાપ્તિની ઘેલછામાં એક પછી એક બાળકને જન્મ આપવાની ઘટનાઓ સામે આવી, રહી છે આ પ્રકારની ઘટના ખરેખર સમાજમાં લાંછન રૂપ છે.
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

'તમારા સંતરાનુ ચેકઅપ કરાવો' સ્તન કેંસરની જાહેરાત આ જાહેરાત દિલ્હી મેટ્રો પરથી હટાવી

દાના વાવાઝોડાને કારણે ઓડિશાના ભારે વરસાદ તથા પૂરની પરિસ્થિતિ

વાવ બેઠક પરથી ભાજપ અને કોંગ્રેસે ઉમેદવારો ઉભા રાખ્યા છે, આ ચહેરાઓ વચ્ચે જંગ જામશે.

અમદાવાદમાં 50થી વધુ બાંગ્લાદેશી ઘૂસણખોરોની અટકાયત

75 વર્ષનો માણસ જે બરાબર ચાલી પણ શકતો નથી, તેણે છોકરીને કરી પ્રેગનેંટ

આગળનો લેખ
Show comments