Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિપક્ષ નેતા તરીકે કમળાબેન ચાવડાની પસંદગી, દિનેશ શર્માએ આપ્યું હતું રાજીનામું

Webdunia
ગુરુવાર, 5 નવેમ્બર 2020 (07:52 IST)
અમદાવાદ મહાનગર પાલિકાના વિપક્ષના નેતા પદ પરથી દિનેશ શર્માના રાજીનામા બાદ ગુજરાત કોંગ્રેસે મનપામાં વિપક્ષના નેતાના પદ પર કમલાબેન ચાવડાની પસંદગી કરવામાં આવી છે. કમલાબેન ચાવડા બેહરામપુરાના કોર્પોરેટર છે. તે સતત ચાર વાર બહેરામપુરાથી કોર્પોરેટરના રૂપમાં ચૂંટાયા છે. પહેલીવાર એક દલિત મહિલાને કોંગ્રેસે વિપક્ષના નેતા બનાવ્યા છે. 
 
અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસમાં વિપક્ષના નેતા રહી ચૂકેલા દિનેશ શર્માને લઇને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે બંને ધારાસભ્યોના દબાણ બાદ દિનેશ શર્માએ વિપક્ષના નેતા પદ પરથી રાજીનામું આપી દીધું છે. ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ બેહરામપુરાના કોર્પોરેટર કમલાબેન કાંતિભાઇ ચાવડાને વિપક્ષના નેતા તરીકે ચૂંટ્યા છે. 
 
વિપક્ષના નેતા પદેથી રાજીનામા બાદ દિનેશ શર્માના સમર્થકોમાં આક્રોશ ફેલાઇ ગયો છે. તેમનો આરોપ છે કે ધારાસભ્યોના દબાણના કારણે કોંગ્રેસે તેમની રાજીનામું લઇ લીધું છે. સમર્થકોનું કહેવું છે કે 6 નવેમ્બરના દિવસે અમદાવાદમાં શક્તિ પ્રદર્શન કરવામાં આવશે. આખા શહેરમાં દિનેશ શર્માના સમર્થનમાં શક્તિ પ્રદર્શન યોજવામાં આવશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ઉત્તરકાશીમાં મસ્જિદ તોડી પાડવાના વિરોધમાં હિંદુ સંગઠનના વિરોધમાં 27 લોકો ઘાયલ

ઓડિશામાં વાવાઝોડા 'દાના'ના કહેર વચ્ચે રાહત શિબિરમાં સારા સમાચાર! 1600 ગર્ભવતી મહિલાઓએ બાળકોને જન્મ આપ્યો

જમ્મુ કાશ્મીરમાં બે સૈનિક, બે શ્રમિકનાં મૃત્યુ

Cyclone Dana landfall : ઓડિશાના ધામરા-ભીતરકણિકામાં લેન્ડફોલ દરિયાકાંઠે ટકરાયુ 'દાના' વાવાઝોડું, રસ્તાઓ ઉખડી ગયા

દિવાળીના દિવસે આ 5 જીવોનાં દર્શન થવા છે ખૂબ જ શુભ, જો દેખાય તો દેવી લક્ષ્મી વરસાવશે અપાર આશીર્વાદ

આગળનો લેખ
Show comments