Webdunia - Bharat's app for daily news and videos

Install App

દુબઈમાં ફરી ભયંકર તોફાન સાથે ધોધમાર વરસાદ

Webdunia
ગુરુવાર, 2 મે 2024 (17:36 IST)
UAE Rain- ભારે વરસાદ અને ભારે તોફાન ફરી UAE માં આવ્ય, ઘણી ફ્લાઇટ્સ રદ કરી છે અને ઇન્ટરસિટી બસ સેવાઓ પણ અટકી ગઈ. 
 
UAE ફરી એકવાર ભારે વરસાદ અને વાવાઝોડાની ઝપેટમાં આવી ગયું છે. દુબઈમાં બુધવારે મધરાતથી ભારે વરસાદ અને તોફાન ચાલુ છે. આવી સ્થિતિમાં, સમગ્ર દેશમાં એલર્ટ જારી કરવાની સાથે તમામ ફ્લાઇટ્સ રદ કરી છે. લોકોને ઘરમાં રહેવાની અપીલ કરવામાં આવી છે અને તમામ શાળાઓ અને સંસ્થાઓ બંધ કરી દેવામાં આવી છે.
 
UAEમાં ફરી એકવાર ભારે વરસાદ અને તોફાનને કારણે અરાજકતા સર્જાઈ છે. UAEમાં ભારે વરસાદ અને તોફાનને કારણે ગુરુવારે ઓરેન્જ એલર્ટ જારી કર્યુ તું. આ સાથે ડઝનબંધ ફ્લાઈટ્સ કેન્સલ કરી અને ઈન્ટરસિટી બસ સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી. ઓફિસમાં કામ કરતા લોકોને તેમના ઘરની બહાર ન નીકળવાની સૂચના આપવામાં આવી હતી. હાલમાં દુબઈમાં ભારે વરસાદ અને વાવાઝોડાએ ત્રાટક્યું છે. દુબઈના તમામ વિસ્તારોમાં મુશળધાર વરસાદ સાથે જોરદાર તોફાન ચાલી રહ્યું છે. જેના કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.
 
UAE હવામાનના આ અસ્થિર મોજાનો સામનો કરવાની તૈયારી કરી રહ્યું છે. દુબઈમાં આગામી 48 કલાકમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. તમામ વિસ્તારોમાં સલામતી અંગેની સલાહ આપવામાં આવી છે. શાળાઓ અંતર શિક્ષણ પર છે, જ્યારે કંપનીઓને વિનંતી કરવામાં આવી છે કે તેઓ કર્મચારીઓને ઘરેથી કામ કરવા દે. પાર્ક અને બીચ બંધ કરી દેવામાં આવ્યા છે. તેની સાથે એરપોર્ટ અને એરલાઇન્સ પણ આ અસર માટે તૈયાર છે. આજે તાત્કાલિક અસરથી ઘણી ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. રસ્તાઓ પરની અવરજવર પણ બંધ કરી દેવામાં આવી છે.
 
દુબઈમાં મધરાતથી ભારે વરસાદ ચાલુ છે
નેશનલ સેન્ટર ઓફ મીટીરોલોજી (એનસીએમ) દ્વારા જારી કરવામાં આવેલા એલર્ટ મુજબ યુએઈમાં મધરાતથી ભારે વરસાદ થઈ રહ્યો છે. દુબઈમાં આજે સવારે 2.35 કલાકે વીજળીના ચમકારા સાથે વરસાદ પડ્યો હતો. હવે આગામી 48 કલાક માટે મોટું એલર્ટ જારી કરવામાં આવ્યું છે

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

દિલ્હીમાં પ્રદૂષણ ‘ગંભીર’ શ્રેણીમાં, 400 પાર એક્યૂઆઈ

મૃત્યુ પહેલા, રતન ટાટાએ શાંતનુને અમીર બનાવ્યું, મુંબઈમાં બે માળનું મકાન, રૂ. 350 કરોડની એફડી અને તેનાથી વધુ.

પરિવારના આઠ લોકો રાત્રે સૂતા હતા, જ્યારે સવારે તેમની આંખ ખુલી ત્યારે તેઓ એક વિશાળ આગથી ઘેરાયેલા હતા

મગર હરણને શા માટે છોડી દીધુ, જ્યારે આવી ઘટનાની જાણ થઈ અને તરત જ તેને છોડી દીધું. વિડિઓ જુઓ

Mann Ki Baat: 'PM મોદી 'મન કી બાત' કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા છે, આજે એપિસોડનો 115મો એપિસોડ

આગળનો લેખ
Show comments