Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુરતમાં 8000 લોકોને આવકવેરા વિભાગે નોટિસ ફટકારી

Webdunia
બુધવાર, 19 જુલાઈ 2017 (12:27 IST)
વિમુદ્રીકરણ બાદ માત્ર દોઢ મહિનાના સમયગાળામાં અઢી લાખ રૂપિયાથી વધુની રોકડ રકમ બેન્ક ખાતામાં જમા કરનારા ખાતેદારોને આવકવેરા વિભાગ દ્વારા નોટિસ ફટકારવામાં  આવી રહી છે. સુરતમાં 7થી 8 હજાર જેટલા ખાતેદારોને નોટિસ મોકલી એક સપ્તાહમાં ઓનલાઈન ખુલાસો કરવાનો આદેશ કરાયો હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. 

રૂપિયા 10 લાખથી વધુની રોકડ જમા કરાવનારા દેશભરના 18 લાખ લોકોને પ્રથમ તબક્કામાં આવકેવરા વિભાગ દ્વારા નોટિસ મોકલવામાં આવી હતી, તે પૈકી માત્ર 30 ટકા લોકોએ જ સંતોષકારક ખુલાસા કર્યા હતા. અન્ય તમામ કેસમાં યોગ્ય જવાબ નહીં મળતા ભવિષ્યમાં સ્ક્રૂટિનીની કેસ ખૂલવાની શક્યતા છે. સરકારે નોટબંધી દરમિયાન અઢી લાખથી વધુ રોકડ જમા કરાવનારા સામે કાર્યવાહીની ચીમકી ઉચ્ચારી હતી તે મુજબ હવે બીજા તબક્કામાં દેશભરના 5.50 લાખ ખાતેદારોને નોટિસ ઈશ્યૂ કરવાનું શરૂ કરાયું છે. સુરતમાં આવા 7થી 8 હજાર ખાતેદારોને નોટિસ મોકલવામાં આવી છે. ઓનલાઈન મોકલાયેલી નોટિસનો ખુલાસો સાત દિવસમાં ઓનલાઈન જ કરવાના આદેશ કરાયા છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ક્યારે આવશે વાવાઝોડુ દાના? પવનની ઝડપ 35થી 120KM સુધી પહોંચશે, આ 8 રાજ્યોમાં વરસાદનું એલર્ટ

દિલ્હીમાં શિયાળો શરૂ થતાં જ પ્રદૂષણ, મોટા ભાગના વિસ્તારોમાં હવા 'ખૂબ ખરાબ'

પીએમ મોદીની ડિગ્રી પર કરેલી ટિપ્પણીના મામલામાં કેજરીવાલની અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી

હિઝબોલ્લાહ પર ઇઝરાયેલે 25 જેટલાં ઠેકાણાં ઉપર હવાઈ હુમલા

કોટામાં બાળકોથી ભરેલી સ્કૂલ બસ પલટી; કાચ તોડીને બાળકોને બહાર કાઢ્યા

આગળનો લેખ
Show comments