Webdunia - Bharat's app for daily news and videos

Install App

Karnataka News - જમ્મુ-કાશ્મીર પછી હવે કર્ણાટક ઈચ્છે છે અલગ ધ્વજ, કમિટી ડિઝાઈન ફાઈનલ કરવામાં લાગી

Webdunia
બુધવાર, 19 જુલાઈ 2017 (10:22 IST)
કર્ણાટક સરકાર રાજ્ય માટે જુદો ઝંડો અને સિંબોલ માટે એક્શનમાં આવી ગઈ છે. સરકારે 9 સભ્યોની એક કમિટી બનાવી છે. જેને જેને ઝંડા ડિઝાઈન કરવા અને સિંબલ નક્કી કરવાની જવાબદારી આપવામાં આવી છે. કમિટી પોતાની રિપોર્ટ સોંપશે. જ્યારબાદ તેને કાયદાકીય માન્યતા અપાવવાનુ કામ થશે. જો આ નિર્ણય લાગૂ થઈ જાય છે તો જમ્મુ કાશ્મીર પછી દેશનુ બીજુ રાજ્ય હશે. જેનો પોતાનો ઝંડો રહેશે. આ પગલુ એવા સમય ઉઠાવવામાં આવ્યુ છે જ્યારે થોડાક જ મહિનામાં રાજ્યમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. કેન્દ્રીય મંત્રી સદાનંદ ગૌડાએ આ પગલાને રદ્દ કરતા કહ્યુ કે ભારત એક રાષ્ટ્ર છે અને તેના બે ઝંડા નથી હોઈ શકતા. 
 
જ્યા એક બાજુ બીજેપીની સરકાર એક રાષ્ટ્ર અને એક નિશાનની વાત કરે છે તો બીજી બાજુ કર્ણાટક સરકાર દ્વારા જુદા ઝંડાની માંગ કરવો મોટા વિવાદને જન્મ આપી શકે છે. આ પહેલા જ્યારે 2012માં આ મુદ્દો રાજ્યની વિધાનસભામાં ઉઠાવવામાં આવ્યો તો એ સમયે મંત્રી ગોવિંદ એમ કરજોલે કહ્યુ હતુ.. ફ્લૈગ કોડ અમને રાજ્ય માટે જુદા ઝંડાની મંજુરી આપતુ નથી. આપણો રાષ્ટ્રીય ધ્વજ દેશની એકતા અખંડતા અને સંપ્રભુતાનુ પ્રતીક છે.  
 
સમાચાર મુજબ કર્ણાટકને સિદ્ધારમૈયા સરકારે આ પગલુ આ વર્ષમાં થનારા વિધાનસભા ચૂંટણીને જોતા ઉઠાવ્યુ છે. કર્ણાટકમાં જુદા ઝંડાની માંગ ખૂબ પહેલાથી ઉઠતી રહી છે જેને રદ્દ કરવામાં આવી હતી. 

Dahi Tadka- હીંગ દહીં તીખારી

આ Good Manners બાળકોને અત્યારેથી શીખડાવશો તો જીવનભર રહેશે નમ્ર

ઉનાળામાં ચહેરા પર ચમક લાવવા માટે આ જાંબુનો રસ પીવો

Rajiv Gandhi- કેવી રીતે ખબર પડી કે રાજીવ ગાંધીની હત્યા એક મહિલા દ્વારા કરવામાં આવી હતી

International Tea Day 2024- આંતરરાષ્ટ્રીય ચા દિવસનું ઇતિહાસ, મહત્વ અને ભારતમાં ઉપલબ્ધ પ્રખ્યાત ચા

Baby Bump છુપાવીને વોટ આપવા આવી દીપિકા પાદુકોણ, પતિ રણવીર સિંહ તેનો હાથ પકડીને ભીડથી બચાવતા જોવા મળ્યા

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

આગળનો લેખ
Show comments