Webdunia - Bharat's app for daily news and videos

Install App

Video - મોહમ્મદ સિરાજ અને ઉમરાન મલિકે કપાળ પર તિલક ન લગાવતા થયા ટ્રોલ

Webdunia
શનિવાર, 4 ફેબ્રુઆરી 2023 (11:40 IST)
Mohammed Siraj and Umran Malik: ભારતીય ટીમના બેસ્ટ બોલર મોહમ્મદ સિરાજ અને ઉમરાન મલિક સોશિયલ મીડિયા પર ટ્રોલ અને વાયરલ થઈ રહ્યા છે. એટલા માટે તે પોતાની ગેમના કારણે નહીં પરંતુ એક વિવાદના કારણે યુઝર્સના નિશાના પર છે. વાસ્તવમાં બંને ખેલાડીઓએ તિલક લગાવવાની ના પાડી દીધી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, લોકો તેમને ખરુ ખોટું કહી રહ્યા છે. સાથે જ કેટલાક લોકો તેમના વખાણ પણ કરી રહ્યા છે.
<

मोहम्मद सिराज और उमरान मलिक ने स्वागत में माथे पर टीका नहीं लगवाया। वह पाकिस्तान नही हिंदुस्थानी टीम के खिलाडी हैं। अंतरराष्ट्रीय क्रिकेटर बनने के बाद भी वह अपने धर्म के प्रति कट्टर हैं। #Jago
pic.twitter.com/1sYHVlTJl1

— Suresh Chavhanke “Sudarshan News” (@SureshChavhanke) February 3, 2023 >
 
ભારતીય ક્રિકેટ ટીમ આ દિવસોમાં હોમ સીઝન રમી રહી છે. શ્રીલંકા અને ન્યુઝીલેન્ડને હરાવ્યા બાદ હવે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે સીરીઝ રમશે. આ માટે ટીમ હોટલ પહોંચી રહી હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે ખેલાડીઓ એક પછી એક હોટલમાં પ્રવેશી રહ્યા છે અને તેમને તિલક લગાવવામાં આવી રહ્યા છે. પરંતુ આ દરમિયાન મોહમ્મદ સિરાજ અને ઉમરાન મલિકને તિલક નહોતું લગાવ્યું. સિરાજે પ્રવેશતાની સાથે જ તિલક લગાવતી મહિલાને ના પાડી. સાથે જ ઉમરાન મલિક પણ આવું જ કરે છે.
 
કેટલાક લોકો ટ્રોલ કરી રહ્યા છે કે સિરાજ અને ઉમરાન મલિક મુસ્લિમ હોવાના કારણે તિલક લગાવ્યા નથી. જોકે કેટલાક યુઝર્સ બચાવમાં કહી રહ્યા છે કે સિરાજ અને ઉમરાન મલિક સિવાય કેટલાક અન્ય ખેલાડીઓ પણ છે જેમણે તિલક ન લગાવ્યુ. એક યુઝરે ટ્વીટ કર્યું કે, "સિરાજ અને ઉમરાને તિલક ન લગાવ્યું . કુલ 11 લોકો દરવાજામાંથી બહાર આવ્યા, જેમાંથી 7 લોકોએ તિલક લગાવ્યું અને 4એ ન લગાવું. સિરાજ, ઉમરાન, વિક્રમ રાઠોડ અને એક સહાયક સ્ટાફે તેને લગાવ્યું નહી. પરંતુ ભક્તોને માત્ર સિરાજ અને ઉમરાન જ દેખાતા હતા."
 
જો તમે વીડિયોને ધ્યાનથી જોશો તો મોહમ્મદ સિરાજ અને ઉમરાન મલિક સિવાય વિક્રમ રાઠોડ અને હરિ પ્રસાદ મોહને પણ તિલક લગાવ્યું નથી. આવી સ્થિતિમાં માત્ર મોહમ્મદ સિરાજ અને ઉમરાન મલિકને નિશાન બનાવવું ખોટું છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

'તમારા સંતરાનુ ચેકઅપ કરાવો' સ્તન કેંસરની જાહેરાત આ જાહેરાત દિલ્હી મેટ્રો પરથી હટાવી

દાના વાવાઝોડાને કારણે ઓડિશાના ભારે વરસાદ તથા પૂરની પરિસ્થિતિ

વાવ બેઠક પરથી ભાજપ અને કોંગ્રેસે ઉમેદવારો ઉભા રાખ્યા છે, આ ચહેરાઓ વચ્ચે જંગ જામશે.

અમદાવાદમાં 50થી વધુ બાંગ્લાદેશી ઘૂસણખોરોની અટકાયત

75 વર્ષનો માણસ જે બરાબર ચાલી પણ શકતો નથી, તેણે છોકરીને કરી પ્રેગનેંટ

આગળનો લેખ
Show comments