Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુર્જર આંદોલનથી બંને રાજધાની ટ્રેનો ડાયવર્ટ, આજે સુરત બે કલાક લેટ પહોંચશે

Webdunia
સોમવાર, 2 નવેમ્બર 2020 (11:23 IST)
અનામતની માંગને લઇને રાજસ્થાનમાં હાલ ગુર્જર સમાજ આંદોલન કરી રહ્યો છે. તેની અસર રેલવે યાતાયાત પર પડી રહી છે. આંદોલનના લીધે મુંબઇ-દિલ્હી મેન લાઇન પ્રભાવિત થઇ છે. ઉત્તર રેલવે ઝોનમાં આવનાર ટ્રેનો રાજસ્થાનમાં પ્રભાવિત થઇ રહી છે. 
 
તેનાથી પશ્વિમ રેલવેની ટ્રેનો પણ પ્રભાવિત થઇ રહી છે. 1 નવેમ્બરના રોજ 02952 નવી દિલ્હી-મુંબઇ સેંટ્રલ રાજધાની એક્સપ્રેસને આ આંદોલના લીધે અચાનક ડાયવર્ટ કરવી પડી. આ ટ્રેન દિલ્હીથી મુંબઇ તરફ આવી રહી છે. 
 
તેને વાયા મથુરા, આગરા, ઝાંસી, બીના, નાગદા રૂટ પર ડાયવર્ટ કરી દેવામાં આવી. આ રૂટ પર ઓગસ્ટ ક્રાંતિ રાજધાની અને પશ્વિમ એક્સપ્રેસને પણ ડાયવર્ટ કરવામાં આવી. આ ડાયવર્જનથી આ ટ્રેનોને લગભગ 400 કિમી વધારાનું અંતર કાપવું પડે છે. તેનાથી આ ટ્રેનો 2 નવેમ્બરના રોજ સુરત અને મુંબઇ પોતાના નિર્ધારિત સમયના બદલે બે ત્રણ કલાક મોડી પહોંચશે. ગુર્જર આંદોલન લાંબો સમય ખેંચાતા આગામી દિવસોમાં પણ દિલ્હીથી મુંબઇ આવનાર ટ્રેનોને મોડી પહોંચવાની આશંકા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

રાજસ્થાનના સિરોહી જિલ્લામાં માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના પાંચ લોકોના મોત

વાવાઝોડા 'દાના'નો કહેર: આગામી 24 કલાક ખતરનાક, રેડ એલર્ટ જારી, તોફાની પવન સાથે ભારે વરસાદ

આઈસ્ક્રીમ મોંઘી થશે, હવે તમારે 18 ટકા જીએસટી ચૂકવવો પડશે

ઝિમ્બાબ્વેએ ટી20 માં હાંસલ કરી અત્યાર સુધીની સૌથી મોટી જીત, રેકૉર્ડ બનાવ્યો, ફટકાર્યા 344 રન

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીની રાષ્ટ્રપતિ જિનપિંગ વચ્ચે થઈ દ્વિપક્ષીય બેઠક

આગળનો લેખ
Show comments