Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતનો આ જવાન દેશ માટે થયો શહીદ, આજે ચોટીલા પહોંચશે પાર્થિવ શરીર

Webdunia
ગુરુવાર, 22 ઑક્ટોબર 2020 (00:34 IST)
ભારત-પાકિસ્તાન બોર્ડર પર અવાર-નવાર પાકિસ્તાન તરફથી સીઝફાયરના ઉલ્લંઘનના સમાચાર આવતા રહે છે. પાકિસ્તાનની આ નાપાક હરકતનું નુકસાન ભારત પોતાના અનમોલ સૌનિકોને ગુમાવીને ચૂકવી છે. ફરી એક્વાર એવા જ સમાચાર સામે આવ્યા છે. આ વખતે દુખદ સમાચાર ગુજરાત સાથે જોડાયેલા છે. જોકે જમ્મુ કાશ્મીરના કુપવાડામાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ સીઝફાયર ઉલ્લંઘનમાં આપણા સુરક્ષાબળોના બે જવાન શહીદ થઇ ગયા છે. સાથે જ એક સામાન્ય નાગરિકનું મોત થયું છે. 
 
જમ્મુ કાશ્મીરમાં તૈનાત ગુજરાતના એક જવાનના શહાદતના સમાચારે તેના પરિવારને આધાત પહોંચાડ્યો છે. ગુજરાતના ચોટીલાના ચોરવીરા ગામમાં રહેનાર રઘુભાઇ બાવળિયા જે સેનામાં ડ્યૂટી પર હતા, તે શહીદ થયા છે. જાણકારી અનુસાર આજે રઘુભાઇ બાવળીયાનો પાર્થિવ દેહ તેમના વતન ચોટીલા ચોરવીરા ગામ લાવવામાં આવશે. અહીં તેમને ગાર્ડ ઓફ ઓનર આપ્યા બાદ અંતિમ સંસ્કાર સંપન્ન થશે. 
 
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપી શ્રદ્ધાંજલિ
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વિટ કરીને આ જવાનને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે ટ્વિટમાં કહ્યું કે તે જમ્મૂ કાશ્મીરમાં માતૃભૂમિની રક્ષા કરતાં શહીદ થયેલા ચોટીલાના ચોરવીરા ગામના રઘુભાઇ બાવળીયાની શહદત પર અશ્રૃપૂરિત શ્રદ્ધાંજલિ અર્પિત કરે છે. આપણે હંમેશા આ વીર સૈનિકોના ઋણી રહીશું જેમણે દેશ માટે બલિદાન આપ્યું. પ્રભુ તેમની દિવ્ય આત્માને શાંતિ અને તેમના પરિવારને દુખ સહન કરવાની શક્તિ આપે. 
 
બીજી તરફ કોંગ્રેસ ઉપાધ્યક્ષ અમિત ચાવડાએ પણ ટ્વિટ કરીને શહીદ જવાનને શ્રદ્ધાંજલિ આપી. તેમણે પોતાના સંદેશમાં કહ્યું કે સુરેન્દ્રનગર જિલ્લાના સયલા તાલુકાના ચોરવીરા ગામના મૂળ નિવાસી વીર જવાન રઘુભાઇ બાવળિયા જમ્મૂ કાશ્મીરમાં પોતાનું કર્તવ્ય નિભાવતાં શહીદ થયા છે. ભગવાન તેમની અત્માને શાંતિ પ્રદાન કરે અને તેમના પરિવારને દુખ સહન કરવાની શક્તિ પુરી પાડે.

સંબંધિત સમાચાર

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

આગળનો લેખ
Show comments