Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાહુકાળ સમાપ્ત થતા જ બીજેપી કર્ણાટકમાં બનાવશે સરકાર

Webdunia
બુધવાર, 16 મે 2018 (13:31 IST)
કર્ણાટકમાં બીજેપીને સૌથી મોટી પાર્ટી બન્યા પછી પણ સરકાર બનાવવામાં અસમંજસની સ્થિતિ ને દૂર કરી શકે છે.  બીજેપીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર બીએસ યેદિયુરપ્પા બુધવારે દિલ્હી પહોંચશે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે તેમના રહેઠાણ પર મુલાકાત કરશે. આ દરમિયાન બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને કેટલાક વરિષ્ઠ કેન્દ્રીય મંત્રી પણ હાજર રહેશે. 
 
સૂત્રોના જણાવ્યા મુજબ આ નિર્ણય એટલા માટે અટવાયો છે કારણ કે આજે બપોરે 12 થી 2 વાગ્યા સુધીનો સમય રાહુકાળનો માનવામાં આવ્યો છે.  વૈદિક જ્યોતિષ શાસ્ત્ર મુજબ રાહુકાળનો સમય અશુભ માનવામાં આવે છે. કોઈ શુભ કાર્યને રાહુ કાલના દરમિયાન કરવામાં આવતુ નથી.  રાહુકાળમાં કરવામાં આવેલ શુભ કાર્ય ક્યારેય પૂર્ણ થતા નથી. 
શુ છે રાહુ કાળ 
 
ઉલ્લેખનીય છે કે રાહુ કાળનો દિવસ એક એવો સમય છે જ્યારે રાહુ પોતાના પૂર્ણ પ્રભાવમાં રહે છે. એ દરમિયાન જો કોઈ શુભ કાર્ય કરવામાં આવે તો સફળતની શંકા રહે છે. તેથી પંડિત અને જ્યોતિષ એ સમયને ટાળવાની સલાહ આપે છે. આવો જાણીએ શુ છે રાહુ કાળ. રાહુને પાપનો ગ્રહ માનવામા6 આવે છે. કોઈપણ શુભ કાર્ય કે યાત્રા પ્રસ્થાન ન કરવી જોઈએ. કારણ કે ગ્રહોના ગોચરમા6 બધા ગ્રહોનો દરેક દિવસ એક ચોક્કસ સમયનો હોય છે. તેથી રોજ એક સમય રાહુ માટે પણ હોય છે.  જેને રાહુ કાલ કહે છે. જુદા જુદા સ્થાન પર સૂર્યોદય અને સૂર્યાસ્તના સમય મુજબ રાહુ કાળની અવધિ પણ જુદી જુદી હોય છે. 
ક્યા દિવસે અને ક્યારે હોય છે રાહુ કાળ - રાહુ કાળ ક્યારેય પણ દિવસના પ્રથમ ભાગમાં નથી હોતો. આ ક્યારેય બપોરે તો ક્યારેય સાંજે હોય છે અને સૂર્યાસ્ત પહેલા જ પડે છે. રાત્રે પણ નથી આવતો. 

સંબંધિત સમાચાર

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

આગળનો લેખ
Show comments