Webdunia - Bharat's app for daily news and videos

Install App

સોશિયલ મીડિયા પર Virat Kohli નો LSGના વિરુદ્ધ અનોખો ખેલ, GT ના ખેલાડીઓના વખાણ કરીને ઉશ્કેરવાની કરી કોશિશ

Webdunia
સોમવાર, 8 મે 2023 (15:58 IST)
વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચેની લડાઈ અટકવાનું નામ જ નથી લઈ રહી. છેલ્લી વખત બંને મેદાનમાં ટકરાયા હોવાથી સોશિયલ મીડિયા પર પણ યુદ્ધ ચાલી રહ્યું છે. સીધી રીતે તો નહી પણ આડકતરી રીતે એકબીજાને ટોણા મારતા રહે છે. જે ગઈકાલે પણ જોવા મળ્યું. જો કે મેણા મારવા પર સચ્ચાઈને ડંકાની ચોટ કહી શકતા નથી.   પરંતુ અમારા આ સમાચાર સાંભળ્યા પછી, તમે પણ સમજી શકશો કે સોશિયલ મીડિયા પર વિરાટ કોહલીએ જે સ્ટોરી નાખી છે તેનો શુ મતલબ છે. 

<

Instagram story by Virat Kohli about the catch of Rashid. pic.twitter.com/rSPkwl3Kiw

— Johns. (@CricCrazyJohns) May 7, 2023 >
 
ઉલ્લેખનીય છે કે ગઈકાલે ગુજરાત ટાઇટન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે મેચ રમાઈ રહી હતી અને ગઈકાલની આ મેચ વિરાટ કોહલી પણ જોઈ રહ્યો હતો. આ વાત આપણને તેમની સ્ટોરી પરથી જ જાણવા મળે છે. તેમણે ગઈકાલે તેમને ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોસ્ટ કરેલી બે સ્ટોરીઓમા, પ્રથમ રિદ્ધિમાન સાહા વિશે હતી, જેણે લખનૌ સામે ગુસ્સે ભરેલી બેટિંગ કરી અને 42 બોલમાં 83 રનની શાનદાર ઇનિંગ રમી. અને બીજી સ્ટોરી રાશિદ ખાનના કેચની છે, જે તેણે લખનૌના ઓપનર બેટ્સમેન કાયલ માયર્સનો લીધો હતો. પહેલી સ્ટોરીમાં વિરાટે સાહાની તસવીર પોસ્ટ કરી અને લખ્યું, 'વન્ડરફુલ પ્લેયર રિદ્ધિ', જ્યારે બીજી સ્ટોરીમાં તેણે રાશિદ ખાનના કેચ પર લખ્યું કે તે આટલો શાનદાર કેચ પહેલીવાર જોઈ રહ્યો છે.
 
બંને સ્ટોરીમા વિરાટે ગુજરાતના ખેલાડીઓના વખાણ કર્યા છે અને સ્ટોરીની તસવીર જોઈને તમે સ્પષ્ટપણે સમજી શકશો કે વિરાટ મેચ જોઈ રહ્યો હતો અને સાથે જ તેમણે પોતાના ટીવી પરથી ફોટો લીધો અને આ તસવીર તેના પર પોસ્ટ કરી. બીજી તરફ તેમણે રાશિદ ખાનના કેચનો વીડિયો મૂક્યો છે, જે ટીવી પરથી રેકોર્ડ કરવામાં આવ્યો છે. વિરાટની સ્ટોરીને જોઈને એવું લાગે છે કે તે ગઈ કાલે ગુજરાત ટાઇટન્સનુ સમર્થન કરી રહ્યો હતો અને લખનૌ સુપરજાયન્ટ્સનુ નહીં, જેમની સાથે 1લી મેના રોજની મેચ પછી તેમનો તેના મૈટોર સાથે ઝઘડો થયો હતો જો કે સોશિયલ મીડિયા પર વિરાટ અને ગંભીર  સતત એકબીજાને ટારગેટ કરતા જોવા મળે છે.    જો કે, અહીં અફઘાનિસ્તાનના નવીન-ઉલ-હકનું પણ  નામ લેવુ  ખોટું નહીં હોય, કારણ કે તેઓ આ વોરના મુખ્ય અતિથિ છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

તજ અને વરિયાળીનું પાણી આરોગ્ય માટે છે લાભકારી, ખાલી પેટ પીશો તો વજન અને શુગર રહેશે કંટ્રોલમાં

કુટીનો દારો નો ચીલા

Jade Plant- જેડના પ્લાંટમાં આ એક વસ્તુ નાખી દેવાથી છોડ

કાગડા અને કોયલ

મીઠું નાખતા જ ઝેર બની જાય છે આ 5 વસ્તુઓ, ભૂલથી પણ ન ખાશો નહીંતર સહન કરવું પડશે નુકસાન

વધુ જુઓ..

નવીનતમ

CID માં ACP પ્રદ્યુમનની થશે મોત ? બીજી સીજનમાં જોવા મળશે મોટું ટ્વીસ્ટ, જાણો શું છે હકીકત

હંસિકા મોટવાણીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો, ભાભીના આરોપો ખોટા ગણાવ્યા

Bahuchar mataji mandir- અષ્ટમીના દિવસે લોકો સુરતના બહુચર માતાના મંદિરે દર્શન માટે જાય છે, તેને સંતાન પ્રાપ્તિ માટે શુભ માનવામાં આવે છે.

શશિ કપૂર - ધર્મેન્દ્ર લાલચી છે.. મનોજ કુમારનો જ્યારે ફુટ્યો ગુસ્સો, બંને એક્ટરને માર્યો હતો ટોણો

RIP Manoj Kumar: આ ફિલ્મને જોતા જ મનોજ કુમારે બદલી નાખ્યુ હતુ પોતાનુ નામ, આ હતુ અસલી નામ

આગળનો લેખ
Show comments