Webdunia - Bharat's app for daily news and videos

Install App

IPL 2019: 120 માં વેચાય ગઈ આઈપીએલ ફાઈનલની ટિકિટ, ઉભા થયા સવાલ

Webdunia
ગુરુવાર, 9 મે 2019 (11:12 IST)
ઈંડિયન પ્રીમિયર લીગની 12મી સીઝનના ફાઈનલની ટિકિટ માત્ર 120 સેકંડ એટલે કે 2 મિનિટમાં વેચાય ગઈ છે. આ વાત બતાવે છે કે આ લીગને લઈને ફેંસને કેટલો રસ છે. સાથે જ તેનાથી પારદર્શિતા અને જવાબદારી પર પણ સવાલ ઉભા થઈ રહ્યા છે.  ઉલ્લેખનીય છે કે બુધવારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ટિકિટોનુ વેચાણ ઓપન કર્યુ.  એ પણ કોઈપણ જાતની નોટિસ વગર.  પણ નવાઈની વાત એ છે કે તેમ છતા થોડી જ સેકંડમાં બધા ટિકિટ વેચાય ગયા. 
 
આ વિશે હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશન (HCA)ના કાર્યકારી સમિતિના એક સભ્યએ સવાલ ઉઠાવતા કહ્યુ ફાઈનલની  બધી ટિકિટ મિનિટોમાં જ કેવી રીતે વેચાય શકે છે ? આ ખૂબ જ ચોંકાવનારી છે અને બીસીસીઆઈને ફાઈનલમાં જોવાની ઈચ્છા રાખનારા પ્રશંસકોને વંચિત કરવાનો જવાબ આપવો પડશે. રોચક વાત એ છે કે જ્યા સુધી ટિકિટો વિશે જાણ થય છે ત્યા સુધી બધી ટિકિટ વેચાય ચુકી હતી. 
 
 ટુર્નામેન્ટની ફાઇનલ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રવિવાર, 12 મેના રોજ યોજાશે. આ સ્ટેડિયમની ક્ષમતા 39,000 પ્રેક્ષકોને સમાવવાની છે. મોટાભાગની મેચોમાં 25,000થી 30,000 ટિકિટ વેચાઇ જાય છે. પરંતુ આ વખતે એવું શું થયું કે કોઇને ખબર ન પડી અને બે મિનિટમાં જ તમામ ટિકિટ વેચાઇ ગઇ. સૂત્રોના જણાવ્યા મુજબ 1000, 1500, 2000, 2500 અને 5000 રૂપિયાની ટિકિટો વેચાવાની હતી, પરંતુ EventsNow એ 1500, 2000, 2500 અને 5000 વાળી જ ટિકિટો વેચી. અન્ય 12,500, 15,000 અને 22,500 રૂપિયાની ટિકિટનું શું થયું તે ખબર નથી. આ અંગે ફેન્સ સવાલ ઉઠાવી રહ્યા છે.
 
EventsNowના સુધીર રેડ્ડીએ આ અંગે કહ્યું, હું આ અંગે કોઇ જાણકારી આપી શકું નહીં. અમને જે ટિકિટો મળી હતી તે વેચી છે. આ અંગે બીસીસીઆઈ જવાબદાર છે અમે નહીં. HCAના અધિકારીએ કહ્યું કે, ઇવેન્ટ્સનાઉ અને બીસીસીઆઈએ આ મામલે સ્પષ્ટતા કરવી જોઈએ.
 
મુંબઈ ઈન્ડિયન્સ ફાઇનલમાં પહોંચી ચુકી છે. શુક્રવારે ચેન્નઇ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાનારી બીજી ક્વોલિફાયરની ટીમ ફાઇનલમાં પહોંચશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ઘરે પર આ 5 steps માં બનાવો મલાઈ કોફતા અને સ્વાદનો લો મજા

તજ અને વરિયાળીનું પાણી આરોગ્ય માટે છે લાભકારી, ખાલી પેટ પીશો તો વજન અને શુગર રહેશે કંટ્રોલમાં

કુટીનો દારો નો ચીલા

Jade Plant- જેડના પ્લાંટમાં આ એક વસ્તુ નાખી દેવાથી છોડ

કાગડા અને કોયલ

વધુ જુઓ..

નવીનતમ

મનોજ કુમાર પંચતત્વમાં વિલીન, પુત્ર કુણાલે આપી મુખાગ્નિ, રાજકીય સમ્માન સાથે આપી વિદાય

CID માં ACP પ્રદ્યુમનની થશે મોત ? બીજી સીજનમાં જોવા મળશે મોટું ટ્વીસ્ટ, જાણો શું છે હકીકત

હંસિકા મોટવાણીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો, ભાભીના આરોપો ખોટા ગણાવ્યા

Bahuchar mataji mandir- અષ્ટમીના દિવસે લોકો સુરતના બહુચર માતાના મંદિરે દર્શન માટે જાય છે, તેને સંતાન પ્રાપ્તિ માટે શુભ માનવામાં આવે છે.

શશિ કપૂર - ધર્મેન્દ્ર લાલચી છે.. મનોજ કુમારનો જ્યારે ફુટ્યો ગુસ્સો, બંને એક્ટરને માર્યો હતો ટોણો

આગળનો લેખ
Show comments