Publish Date: Fri, 05 Apr 2019 (16:06 IST)
Updated Date: Fri, 05 Apr 2019 (16:08 IST)
વિરાટ કોહલઈની આગેવાનીમાં બેંગલોર રૉયલ ચેલેજર્સ આજે કલકત્તા નાઈટ રાઈડર્સના વિરુદ્ધ પોતાના ઘરેલુ મેદાનમાં થનારી આઈપીએલ 12ના મુકાબલામાં હારનો ગતિરોધ તોડવાના ઈરાદાથી ઉતરશે. આવામાં ભારતીય ટીમના પૂર્વ કપ્તાન સુનીલ ગાવસ્કરે કહ્યુ કે વિરાટની ટીમે મહેન્દ્દ્ર સિંહ ધોનીની ટીમ ચેન્નઈ પાસેથી શીખ લેવી જોઈએ.
એક અંગ્રેજી છાપામાં આપેલ ઈંટરવ્યુમાં ગાવસ્કરે જણાવ્યુ કે ચેન્નઈને મુંબઈએ અગાઉના હરીફાઈમાં ભલે હરાવી દીધુ હોય પણ ધોનીની ટીમ જાણે છે કે તેને પાડીને કોણે ઉભા રહેવાનુ છે. પૂર્વ ખેલાડી લખે છેકે બંને સારા બેટ્સમેન આઉટ થયા પછી એવુ લાગે ચ હે કે ટીમમા કમબેક કરવાની શક્તિ જ નથી. ગાવસ્કરે આગળ લખ્યુ, 'ટીમની પાસે કોઈ અટેકિંગ બોલર ન હોવો એ પણ કોહલીની પરેશાની છે. ચહલ ઉપરાંત કોઈ બોલર એવો નથી જે વિપક્ષી ટીમને રન બનાવવાથી રોકી શકે. બેંગલોરની પાસે નવદીપ સૈની અને મોહમ્મદ સિરાજ જેવા બિન અનુભવી બોલર છે.