Webdunia - Bharat's app for daily news and videos

Install App

રેડક્રોસ દ્વારા કેમ સોંપવામાં આવે યુદ્ધબંદી, અભિનંદનને પણ આ જ રીતે મુક્ત કરશે પાકિસ્તાન

Webdunia
ગુરુવાર, 28 ફેબ્રુઆરી 2019 (17:51 IST)
વિંગ કમાંડર અભિનંદનની પાકિસ્તાનથી સકુશળ કમબેક માટે આખો દેશ દુઆ કરી રહ્યા છે. દિલ્હી યૂનિવર્સિટીમાં પોલીટિકલ સાયંસના એસોસિએટ પ્રોફેસર સુબોધ કુમારનુ કહેવુ છે કે જિનેવા સમજૂતી હેઠળ દુશ્મન દેશ ન તો અભિનંદનને તંગ કરી શકે છે કે ન તો તેને ડરાવી ધમકાવી શકે છે. ન તો અપમાનિત કરે શકે છે.  તેથી વિગ કમાંડર અભિનંદનને પરત કરવ જ પડશે.  જો કે પાકિસ્તાન અભિનંદનને સીધી રીતે નહી સોંપ. પાકિસ્તાન તેમને રેડક્રોસને સોંપશે. રેડક્રોસના પ્રતિનિધિ તેમને ભારત લઈ આવશે. મતલબ આ મામલે થર્ડ પાર્ટી સામેલ રહેશે.  
 
શુ હોય છે રેડક્રોસ 
 
રેડક્રોસ એક સ્વતંત્ર સંસ્થા છે. જે કોઈ દેશની સરકારના દબાણમાં કામ નથી કરતી. તેનો સિદ્ધાંત માનવતાની સેવા છે. દુનિયામાં ક્યાય પણ યુદ્ધ ચાલી રહ્યુ હોય તો ત્યા રેડક્રોસ ઘાયલ સિપાહીઓ, સૈનિકોની નિસ્વાર્થ ભાવે સેવા કરે છે. તેની સ્થાપના હેનરી ડ્યૂનેન્ટ એ 9 ફેબ્રુઆરી 1863માં સ્વિટ્ઝરલેંડના જિનેવા શહેરમાં કરી હતી. એ સમયે પાંચ લોકોની કમિટી હતી. એ વર્ષે જિનેવામાં જ એક આંતરરાષ્ટ્રીય સંમેલન થયુ જેમા 18 દેશોએ હાજરી આપી. બીજી બાજુ રેડક્રોસ સોસાયટીને કાયદાનુ રૂપ મળ્યુ.  હેનરી ડ્યુનેન્ટને 1901માં શાંતિનો પ્રથમ નોબેલ પુરસ્કાર મળ્યો. 
 
કારગિલ યુદ્ધ દરમિયાન પણ જ્યારે ભારતીય વાયુસેનાના  ફાઈટર પાયલટ નચિકેતા પાકિસ્તાનના કબજામાં જતા રહ્યા હતા ત્યારે તેમની મુક્તિ માટે ભારત સરકારે કોશિશ કરી. ત્યારે પણ પાકિસ્તાને તેમને રેડક્રોસના હવાલે કરી દીધા હતા, જે તેમને ભારત પરત લઈ આવ્યા હતા. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

થિલાઈ નટરાજ મંદિર

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

ગુજરાતી જોક્સ - પતિ-પત્ની વચ્ચે ઝઘડો

ગુજરાતી જોક્સ - પત્ની સાથે લગ્ન

ગુજરાતી જોક્સ - હોરર ફિલ્મમાં,

વધુ જુઓ..

નવીનતમ

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

આગળનો લેખ
Show comments