Webdunia - Bharat's app for daily news and videos

Install App

1993 Mumbai Blast Case - કોણ છે તાહિર મર્ચંટ અને ફિરોજ ખાન જેમને ફાંસીની સજા થઈ ?

Webdunia
ગુરુવાર, 7 સપ્ટેમ્બર 2017 (16:29 IST)
12 માર્ચ 1993ના રોજ મુંબઈમાં થયેલ સીરિયલ બ્લાસ્ટમાં આજે પાંચ દોષીઓને ટાડા કોર્ટે સજા સંભળાવી. તેમાથી બે તાહિર મર્ચંટ અને ફિરોજ ખાનને કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે.  આજે અમે તમને આ બંને વિશે અનેક મહત્વપૂર્ણ માહિતી આપી રહ્યા છીએ. તાહિર મર્ચંટ પર ષડયંત્ર રચવા, આતંકી ગતિવિધિમાં સામેલ થવા માટે દોષી ઠેરવવામાં આવ્યો છે. 
 
બોમ્બ ધમાકામાં મર્ચંટ અને ફિરોજ ખાનનો રોલ 
 
તાહિર મર્ચેંટ - તાહિર મર્ચેંટ એ આતંકી ગતિવિધિઓમાં સામેલ સહ આરોપી જેને પાકિસ્તાનમાં ટ્રેનિંગ આપવામાં આવી છે એ માટે પરિવહનની વ્યવસ્થા કરી હતી. અભિયોજન પક્ષના વકીલે કોર્ટમાં કહ્યુ હતુ કે તાહિર મર્ચંટ અને કરીમઉલ્લા ખાને આ ઉપરાંત પાસપોર્ટની પણ વ્યવસ્થા કરી હતી. અભિયોજન પક્ષના વકીલે કોર્ટમાં કહ્યુ કે તાહિર મર્ચન્ટ અને કરીમઉલ્લા ખાને આ ઉપરાંત પાસપોર્ટની પણ વ્યવસ્થા કરી હતી.  મર્ચંટ દુબઈમાં મુંબઈ બ્લાસ્ટ માટે કરવામાં આવેલ મીટિંગમાં પણ સામેલ હતા અને તેને પોતાના સહયોગીઓને મુંબઈથી લોકોને શસ્ત્ર પ્રશિક્ષણ માટે પાકિસ્તાન મોકલવાની વ્યવસ્થા કરવા માટે પ્રેરિત કર્યા હતા. મર્ચંટે હથિયાર ખરીદવા માટે ધન એકત્રિત કર્યુ અને ભારતમાં એક ગેરકાયદેસર હથિયાર નિર્માણ કારખાનુ સ્થાપિત કરવાની યોજના બનાવી. 
 
ફિરોજ ખાન 
 
8 જાન્યુઆરી 1993ના રોજ વિસ્ફોટોના બે મહિના પહેલા મોહમ્મદ ડોસા (મુસ્તફા ડોસાના ફરાર ભાઈ)એ ફિરોજ અબ્દુલ રશીદ ખાન અને અન્ય આરોપીને કસ્ટમ્સ અદિકારીઓ અને લૈંડિગ એજંટોને હથિયાર અને વિસ્ફોટક વિશે સૂચિત કરવા માટે અલબાગ અને મ્હસલા મોકલ્યા હતા.  આ સાથે ફિરોજ ખાન આતંકી હુમલા માટે કરવામાં આવેલ બેઠકોમાં પણ ભાગ લીધો. 
 
અબૂ સલેમ પર છે આ આરોપ 
 
સલેમ પર ગુજરાતથી મુંબઈ હથિયાર લઈ જવાનો આરોપ છે. સલેમે ગેરકાયદેસ રૂપે હથિયાર મુકવાના આરોપી અભિનેતા સંજય દત્તને એકે 56 રાઈફલ 250 કારતૂસ અને કેટલાક બોમ્બ 16 જાન્યુઆરી 1993ના રોજ તેમના રહેઠાણ પર તેમને સોપ્યા હતા. બે દિવસ પછી 18 જાન્યુઆરી 1993ના રોજ સલેમ અને બે અન્ય દત્તના ઘરે ગયા અને ત્યાથી બે રાઈફલ અને કેટલાક બોમ્બ લઈને પરત આવ્યા હતા. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Diwali Muhurat Trading: મુહૂર્ત ટ્રેડિંગ પર ફોલો કરો આ 5 ટિપ્સ, 1 કલાકમાં થઈ જશો માલામાલ

5 + Happy Diwali 2024 Wishes: દિવાળીના દિવસે આ સુંદર મેસેજીસ દ્વારા તમારા પ્રિયજનોને દિવાળી આપો હાર્દિક શુભકામના

રાજકોટની 10 હોટલમાં બોમ્બની ધમકી મળતા ખળભળાટ

પુણેમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હાર, ન્યુઝીલેન્ડે પ્રથમ વખત ભારતમાં ટેસ્ટ શ્રેણી જીતી

ગુજરાત સરકારના આ નિર્ણયથી પ્રોપર્ટી થશે સસ્તી, મધ્યમવર્ગીય ફેમિલીને થશે મોટો લાભ

આગળનો લેખ
Show comments