Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઇમરજન્સી સેવા 108 ના આંકડા મુજબ રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં સાપ કરડયાના કુલ 21,622 કેસ નોંધાયા

Webdunia
મંગળવાર, 11 ઑગસ્ટ 2020 (13:01 IST)
ગુજરાતમાં ખાસ કરીને ચોમાસામાં સાપ કરડવાના બનાવોની સંખ્યા વધી જતી હોય છે. ચાલુ વર્ષે જુલાઇ માસ સુધીમાં રાજ્યમાં સાપ કરડવાના કુલ ૨,૫૨૩ બનાવ બન્યા છે. જે ઇમરજન્સી સેવા ૧૦૮માં નોંધાયા છે. વલસાડમાં સૌથી વધુ ૨૯૧ કેસ નોંધાયા છે. ઉપરાંત ડાંગમાં ૨૪૧, નવસારીમાં ૧૬૮ કેસ સાપ કરડવાના બન્યા હતા.  અમદાવાદમાં ૩૬ કેસ નોંધાયા છે. વરસાદનું પાણી સાપના દરમાં જતું હોવાથી સાપ બહાર નિકળી જતા હોય છે. આથી બગીચામાં, ખેતરમાં ચાલતી વખતે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. ગુજરાતમાં દર વર્ષે ૪ થી ૫ હજાર કેસ સાપ કરડવાના બનતા હોય છે. જેમાં કેટલાક લોકોના મોત પણ થઇ જતા હોય છે. ચોમાસામાં સાપ કરડવાના બનાવ વધુ બનતા જોવા મળે છે. ઇમરજન્સી સેવા ૧૦૮ના અધિકારીઓના જણાવ્યા મુજબ રાજ્યમાં વર્ષ ૨૦૧૬માં ૪,૧૫૬ કેસ નોંધાયા હતા. વર્ષ ૨૦૧૭માં ૪,૫૯૨, વર્ષ ૨૦૧૮માં ૪,૮૦૬ અને વર્ષ ૨૦૧૯માં ૫,૫૪૫ કેસ ૧૦૮માં નોંધાયા હતા. કાંકરિયા પ્રાણી સંગ્રહાલયના ડાયરેક્ટર ડૉ. આર.કે.શાહુના જણાવ્યા મુજબ સાપ કરડવાના કિસ્સામાં ગભરાવાની જરૂર નથી. તાત્કાલિક નજીકના દવાખાનામાં પહોંચી જવું, સાપ કરડયાના અડધાથી ૧ કલાક પહેલા જ દવાખાને પહોંચી જવાય તે ખૂબ જરૂરી છે. સાપ કરડયો હોય ત્યાં દોરી બાંધી દેવી કે જેથી કરીને ઝેર શરીરના અન્ય ભાગોમાં ફેલાતું રોકી શકાય. સામાન્ય રીતે બધા સાપ ઝેરી હોતા નથી. કાળોતરો, કોબ્રા-નાગ, ખડચિતરો, ફોરસા ઝેરી હોય છે. આ સાપ કરડે તે માણસ મરી જઇ શકે છે. બાકીના સાપ લગભગ બિનઝેરી પ્રકારના હોય છે. ગો, પાટલા-ગો બિનઝેરી છે. તે કરડે તો બિલકુલ ગભરાવાની જરૂર નથી. સાપ કરડે તો બે મોટા દાંતના નિશાન જોવા મળે અને ઓછો દુખાવો થાય તે નિશાની ઝેરી સાપ કરડી ગયાની છે. જ્યારે સોજા આવી જાય, અસહ્ય દુખાવો થાય તેમજ સાપના બધા જ દાંતના નિશાન જોવા મળે તો તે સામાન્ય રીતે બિન ઝેરી સાપ કરડયો હોવાની નિશાની માનવામાં આવે છે. બધા જ દરિયાઇ સાપ ઝેરી હોય છે. જ્યારે પાણીનો સાપ, ધામણ, ભંફોળી વગેરે બિનઝેરી છે. ચોમાસામાં સાપ વધુ નિકળતા હોવાથી રાત્રે લાકડી, ટોર્ચ લઇને નિકળવું, બુટ પહેરવા, ફૂલ સાઇઝનું પેન્ટ પહેરવું તેમજ ખેતરમાં ઉંચો માંચડો બનાવીને તેના પર સુવું જોઇએ. સાપ કરડવાના કિસ્સામાં તાત્કાલિક ઇમજરન્સી સેવા ૧૦૮માં ફોન કરીને સારવાર લેવી જોઇએ. તેનાથી જીવ બચી શકે છે.
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

પોલીસ સ્મૃતિ દિવસ

ગૃહમંત્રી અમિત શાહે શહીદ પોલીસકર્મીઓને શ્રદ્ધાંજલિ આપી, સીએમ શિંદેએ મુંબઈમાં શ્રદ્ધાંજલિ આપી

સોનું અને ચાંદી ઓલ ટાઈમ હાઈ પર, ચાંદીમાં રૂ. 2800નો જંગી વધારો, સોનામાં પણ રેકોર્ડ હાઈ

Diwali 2024 Guru Pushya Nakshatra : દિવાળી પહેલા બની રહ્યો છે ગુરુ પુષ્ય યોગ, ખરીદો ઘરેણાં, પ્રોપર્ટી, વાહન જાણો શુભ મુહુર્ત

ગુજરાતમાં વીજળી પડવાથી પાંચ લોકોનાં મોત, વીજળી પડે ત્યારે બચવા માટે શું કરવું?

આગળનો લેખ
Show comments