Webdunia - Bharat's app for daily news and videos

Install App

આણંદમાં બે સમુદાયો વચ્ચે હિંસા, આગચંપીમાં 1નું મોત

Webdunia
શનિવાર, 25 જાન્યુઆરી 2020 (12:18 IST)
ગુજરાતના આણંદ જિલ્લામાં બે સમુદાયો વચ્ચે જુથ અથડામણ અને આગચંપીમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. અકબરપુર ગામમાં થયેલી હિંસામાં બે પક્ષો વચ્ચે જોરદાર મારઝૂડ થઇ. આ ગામ ખંભાત પોલીસ સ્ટેશન અંતગર્ત આવે છે. 
 
પોલીસના જણાવ્યા અનુસાર જે વ્યક્તિને ગોળી વાગી, તેની ઓળખ થઇ ગઇ છે. મૃત વ્યક્તિનું નામ વિનોદ એફ ચાવડા છે. બંને પક્ષ ત્યારે સામસામે આવી ગયા જ્યારે જુમ્માની નમાજ દરમિયાન બે જુથ એકબીજા પર પથ્થરમારો કરવા લાગ્યા. નજીકની એક સ્થાનિક મસ્જિદમાં લોકો નમાજ પઢી રહ્યા હતા. 
 
પોલીસે આ ઘટનાની સૂચના મળી, પોલીસ ઘટનાસ્થળે પહોંચી. બંને સમુદાય એકબીજા વિરૂદ્ધ હિંસા પર ઉતરી ગયા, ત્યારબાદ પોલીસે ભીડ પર કાબૂ મેળવવા માટે લાઠીચાર્જ કરવો પડ્યો. પોલીસે ભીડ પર ટીયર ગેસ પણ છોડ્યા અને હવામાં ફાયરિંગ કર્યું. 
 
પોલીસની કાર્યવાહી બાદ ભીડ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો. મામલો વધતાં વરિષ્ઠ પોલીસ અધિકારી પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સમગ્ર વિસ્તારમાં પોલીસ કાફલો ગોઠવી દેવામાં આવ્યો છે. વ્યક્તિનું મોત કેવી રીતે તે અંગે હજુ સુધી સ્પષ્ટ થઇ ગયું નથી. વ્યક્તિને ભીડમાં કોઇએ ટાર્ગેટ બનાવ્યો છે, અથવા પોલીસ ફાયરિંગમાં ભૂલથી ગોળી વાગતાં મોત નિપજ્યું છે, તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. 
 
સ્થાનિક લોકોનું  કહેવું છે કે હિંસામાં મૃત વ્યક્તિ સામેલ ન હતો. તે કોઇપણ પક્ષ તરફથી લડાઇ કરી રહ્યો ન હતો. સમગ્ર વિસ્તારમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસ કેસની તપાસ કરી રહી છે. લાશને કબજે લઇ પોલીસે પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ -

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

કેળાની સાથે ભૂલથી પણ ખાશો આ 8 વસ્તુઓ, આ ફુડ કોમ્બિનેશન આરોગ્યને પહોચાડી શકે છે નુકશાન

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

આગળનો લેખ
Show comments