Festival Posters

ગુજરાત દેશની સ્વતંત્રતામાં અગ્રસ્થાને રહ્યું પણ શહીદો ભૂલાઈ ગયાં

Webdunia
મંગળવાર, 9 ઑગસ્ટ 2016 (12:59 IST)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્ય પ્રદેશના અલીરાજપુર જિલ્લામાં મહાન ક્રાંતિકારી ચંદ્રશેખર આઝાદના જન્મસ્થાન ભાબરા ગામમાં ભારત છોડો આંદોલનની જંયતી પર "70 વર્ષ આઝાદી- જરા યાદ કરો કુરબાની" કાર્યક્રમ શરૂ કર્યો. આ કાર્યક્રમ ભારત છોડો આંદોલનના 75 વર્ષ પૂર્ણ થવા પર આયોજીત કરવામાં આવ્યો.આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ દરેક વ્યક્તિમાં દેશ ભક્તિની ભાવના વિકસાવવાનો છે. ત્યારે દેશની આઝાદીમાં તો ગુજરાતનો સૌથી મોટો ફાળો રહ્યો છે. ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ સાથે અનેક એવા નેતાઓ છે જેમણે આ સંગ્રામમાં ભાગ લીધો અને તેઓ શહીદ થયાં પણ એવા કેટલાક લોકો છે જેમણે લેખન અને બાહુબળ દ્વારા દેશની સ્વાતંત્રતામાં મહત્વનો ફાળો આપ્યો.

આ સિવાય આપણે જોઈએ તો દાદા ભાઈ નવરોજી, વિઠ્ઠલભાઈ પટેલ, મૃદુલા સારાભાઈ જેવા અનેક નેતાઓએ દેશની સ્વાતંત્રતા માટે પોતાનું બલિદાન આપ્યું છે. અમદાવાદના યુવા નેતાઓ જયંતી ઠાકોર, વિષ્ણુ દવે, બાબુ રાણા, વાસુદેવ ભટ્ટ, હરિવદન દેસાઈ  સહિત કચ્છની વાત કરીએ તો કચ્‍છનું પાણી પીવાથી ધીંગાણામાં અડિખમ રહે તેવા શૂરવીરો પાકે છે તે વાત પંડિત શામજી કૃષ્‍ણવર્માના સંદર્ભમાં  અર્થપૂર્ણ લાગે.એક તરફ તો મહાત્‍મા ગાંધીની દોરવણી હેઠળ અહિંસક માર્ગે દેશને સ્‍વાધિનતા તરફ લઇ જવા નોંધપાત્ર પ્રયાસો થયા હતા. સમગ્ર વિશ્વની નજર સત્‍ય  અને અહિંસાના આ નૂતન પ્રયોગ તરફ મંડાયેલી હતી. તેજ સમયકાળમાં સંપૂર્ણ સમર્પણ તેમજ અનન્‍ય રાષ્‍ટ્રભક્તિથી પ્રેરાઇને કેટલાક મરજીવાઓએ  હથિયાર ધારણ કરીને મહાસંગ્રામનું રણશિંગુ વીરતાપૂર્વક અને નિર્ભયતાથી ફૂંકયું હતું. વીર સાવરકર, પંડિત શામજી કૃષ્‍ણવર્મા તથા ગુજરાતના ઝાલાવાડના સપૂત સરદારસિંહ રાણા જેવા વીરપુરૂષોએ દેશની બહાર રહીને પણ અમાનુષિ અંગ્રેજી શાસનની  હકીકતો વિશ્વ સામે કૂળશતાપૂર્વક રજૂ કરી હતી. એ રીતે તેઓ સમગ્ર વિશ્વમાં એક અસરકારક લોકમતનું નિર્માણ કરતા હતા. ક્રાંતિકારીઓનો આ વર્ગ  શિક્ષિત હતો અને પોતાના ઉચ્‍ચ શિક્ષણ તથા આવડતને કારણે આરામદાયક જીવન જીવી શકે તેમ હતો. પરંતુ સ્‍વાધિનતાને જીવનમંત્ર બનાવી તેમણે પોતાનું જીવનહોડમાં મૂક્યું હતું. બલિદાનના રંગે રંગાયેલા આ વીરપુરૂષોની યાદીમાં કચ્‍છના સપુત શામજી કૃષ્‍ણવર્માનું નામ અગ્રસ્‍થાને શોભાયમાન છે.

આપણા દેશની આઝાદી માટેની લડત પૂર જોશમાં શરૂ થઈ ચૂકી હતી ત્યારે, ૧૯૩૦માં, આપણા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ આ શબ્દો ગાયા હતા. એક કવિની કવિતા છે.. જે એક લેખક મિત્રએ પોતાના બ્લોગ પર લખી છે.

“નિસ્તેજ થયેલી સ્વતંત્રતાને સતેજ કાંતિમાન કરવાની જરૂર છે કે નહિ? આપણા હક્ક આપણને મુખ્તેસર મળે નહિ અને એક નબળા ગુલામની માફક આપણા પર જુલમની ઝોંસરી ભેરવે, ત્યારે આપણે આપણા ખરા હક્કને સારું સ્વતંત્ર ન થવું? આ ઓશિયાળો અવતાર ક્યાં સુધી ભોગવવો? અહા! વહાલી સ્વતંત્રતા! તારા યશ સદા સુખદાયી છે. અને તે સુખના મીઠ્ઠા સાગરમાં અમને રમતા મૂક, કે જેથી અમે અમારી નિસ્તેજ થયેલી યશસ્વી કીર્તિ પાછી સંપાદન કરીએ.”

ઉપરોક્ત આ શબ્દો  ૧૮૮૫માં મુંબઈમાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના થઈ તેના કરતાં ય પહેલાં, ૧૮૭૮ના જાન્યુઆરીમાં આ શબ્દો લખાયા હતા અને એ છપાયા હતા સુરતથી પ્રગટ થતા ‘સ્વતંત્રતા’ નામના માસિકમાં. અને તે લખનાર હતા ગુજરાતી પત્રકારત્ત્વના એક અગ્રણી ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ. લેખક અને સામયિક પર અદાલતમાં રાજદ્રોહનો કેસ ચાલ્યો. બચાવપક્ષે વકીલ તરીકે ઊભા રહ્યા હતા સર ફિરોઝશાહ મહેતા. પાંચ મહિના ચાલેલા ખટલાને અંતે બધા આરોપીઓને અદાલતે નિર્દોષ જાહેર કર્યા હતા. આ જ ઈચ્છારામે ૧૮૮૦માં મુંબઈમાં ‘ગુજરાતી’ નામનું સાપ્તાહિક શરૂ કર્યું. એટલે માત્ર કોઈ ક્રાંતિકારીઓ જ નહીં પણ લેખકો અને કવિઓએ પણ દેશની સ્વતંત્રતામાં મહત્વનો ફાળો આપ્યો છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

ફ્રિજમાં શાકભાજીને પ્લાસ્ટિકમાં મુકવાથી શુ થાય છે ? જાણો આરોગ્ય પર કેવો પડે છે પ્રભાવ ?

વજન ઘટાડવા માટે વધુ કેલોરી બર્ન કરવી છે તો પીવો તજ નુ પાણી, જાણી લો પીવાનો યોગ્ય સમય અને તજના ફાયદા

Breakfast Tips: ઘરે મીઠા અને ખાટા ઇન્દોરી સ્ટાઇલના પોહા બનાવો

Gujarati Love Shayari - ગુજરાતી શાયરી

Frozen Peas- આ રીતે વટાણા પ્રિજર્વ કે સ્ટોર કરવાથી વર્ષભર રહેશે તાજા

વધુ જુઓ..

નવીનતમ

Shri Tulsi Stuti: એકાદશી પર શ્રી તુલસી સ્તુતિનો પાઠ કરવાથી પુરા થશે બધા કામ, આરોગ્ય અને પારિવારિક સુખની પણ થશે પ્રાપ્તિ

કુંતીએ દ્રૌપદીને પાંડવોને ભોજન કેવી રીતે વહેંચવું તે કહ્યું

રાધાને કાન કરે વાત લિરિક્સ ગુજરાતીમાં

શ્રી ગણપતિ અથર્વશીર્ષ - Ganesh Atharvashirsha Path In Gujarati

માઘ મહિનાની છેલ્લી એકાદશી પર આ ૩ જગ્યાએ પ્રગટાવો દિવો, જાગી જશે તમારું સુતેલું ભાગ્ય, ધન સમૃદ્ધિનું થશે આગમન

આગળનો લેખ
Show comments