Webdunia - Bharat's app for daily news and videos

Install App

Mangal in Kundali - પત્રિકામાં મંગળ છે એવુ ક્યારે કહેવાય છે ?

Webdunia
મંગળવાર, 28 ઑગસ્ટ 2018 (10:01 IST)
વિવાહ સંબંધમાં મંગળ દોષ મુખ્ય અવરોધ હોય છે અને ઘણીવાર અજાણતા પણ મંગળવાળી કુંડળીને લઈને ઉહાપોહ ઉભો કરવામાં આવે છે અને જાતકનુ લગ્ન થઈ જ નથી શકતુ. મંગળ સ્વભાવથી તામસી અને ઉગ્ર ગ્રહ છે. આ જે સ્થાન પર બેસે છે તેનો પણ નાશ કરે છે.  જેને જુએ છે તેને પણ નુકશાન કરે છે. ફક્ત મેષ અને વૃશ્ચિક રાશિ (સ્વગ્રહી) હોવાથી આ નુકશાન નથી કરતુ. જ્યારે કુંડળીમાં મંગળ પ્રથમ, ચતુર્થ, સપ્તમ અને અષ્ટમ કે દ્વાદશ સ્થાનમાં હોય તો તે પત્રિકા માંગલિક માનવામાં આવે છે. 
 
- પ્રથમ સ્થાનનો મંગળ સાતમી દ્રષ્ટિથી સપ્તમને અને ચતુર્થ દ્રષ્ટિથી ચોથા ઘરને જુએ છે. આની તામસિક વૃત્તિથી વૈવાહિક જીવન અને ઘર બંને પ્રભાવિત થાય છે. 
 
- ચતુર્થ મંગલ માનસિક સંતુલન બગાડે છે, ગૃહ સૌખ્યમાં બાધા પહોંચાડે છે જીવનને સંઘર્ષમય બનાવે છે. ચોથી દ્રષ્ટિથી આ સપ્તમ સ્થાન મતલબ વૈવાહિક જીવનને પ્રભાવિત કરે છે.  
 
-  સપ્તમ મંગલ જીવનસાથી સાથે મતભેદ ઉભો કરે છે અને મતભેદ અનેક વાર છુટાછેડા સુધી પહોંચી શકે છે. 
 
- અષ્ટમ મંગલ સંતતિ સુખને પ્રભાવિત કરે છે. જીવનસાથીની આયુ ઓછી કરે છે. 
 
- દ્વાદશ મંગલ વિવાહ અને શૈયા સુખને નષ્ટ કરે છે. વિવાહથી નુકશાન અને શોકનો કારક છે. 
 
મંગળનો દોષ ક્યારે નષ્ટ થાય છે ? 
 
* મંગલ ગુરૂની શુભ દ્રષ્ટિમાં હોય 
* કર્ક અને સિંહ લગ્નમાં (મંગલ રાજયોગકારક ગ્રહ છે) 
* ઉચ્ચ રાશિ (મકર)માં હોવાથી 
* સ્વ રાશિનો મંગળ હોવાથી 
* શુક્ર ગુરૂ અને ચંદ્ર શુભ હોવાથી પણ મંગળનો પ્રકોપ ઓછો થઈ જાય છે.  
* પત્રિકા મિલાન કરતી સમયે જો બીજા જાતકની કુંડળીમાં આ સ્થાનો પર મંગળ, શનિ કે રાહુ હોય તો આ દોષ ઓછો થઈ જાય છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગ્રીન ટી શૉટ ઘરે જ તૈયાર કરો, તમને સ્વાદની સાથે પોષણ પણ મળશે.

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

Essay on Artificial Intelligence અથવા AI નુ ભવિષ્ય, તકો અને સંકટ અને સ્વાસ્થ્ય ક્ષેત્રમા AI ના યોગદાન પર નિબંધ

દ્રૌપદીએ પાંચ પાંડવો સાથે કેવી રીતે સંબંધો જાળવી રાખ્યા?

રામાયણની વાર્તા: ભગવાન રામનું મૃત્યુ

વધુ જુઓ..

નવીનતમ

Maha Kumbh Live Updates: મહાકુંભમાં નાસભાગ વચ્ચે 11 વાગ્યા પછી શરૂ થશે શાહી સ્નાન, અખાડાઓનો મોટો નિર્ણય

મહાકુંભમાં જઈ રહેલા લોકો, ધ્યાનમાં રાખો, જાણો ટ્રેનમાંથી ઉતર્યા પછી તમારે કેટલા કિલોમીટર ચાલવું પડશે.

Prayagraj Mahakumbh Stampede : પ્રત્યક્ષદર્શીઓ પાસેથી જાણો કેવી રીતે મચી અફરાતફરી, શું હતું કારણ

Maha Kumbh Stampedes: નાસભાગમાં ગભરાયા વિના તમારી જાતને કેવી રીતે સુરક્ષિત કરવી? નોંધ 4 સલામતી Tips

Mahakumbh: મહાકુંભમાં ભાગદોડ પછી હવે અમૃત સ્નાન ક્યારે થશે? જાણો શું બોલ્યા અખાડા પરિષદના પ્રમુખ

આગળનો લેખ
Show comments