Biodata Maker

Tips To Get rid of Cockroach: ઘરના કોઈપણ ખૂણામાં જોવા નહી મળે કોકરોચ, બસ અજમાવી જુઓ આ રીત

Webdunia
સોમવાર, 4 જુલાઈ 2022 (16:45 IST)
Tips To Get rid of Cockroach: ચોમાસુ આવતા જ આપણી આસપાસ માખી, મચ્છર, કૉકરોચ અને વરસાદમાં જોવા મળતા કીડાની સંખ્યા ખૂબ વધી જાય છે.  માખી અને મચ્છર સાથે તો માણસ પણ લડી લે છે પણ કોકરોચ પહેલીવારમાં તો બધા જ ગભરાય જાય છે.  જો કે ગરમીની ઋતુમાં કોકરોચ વધુ પેદા થાય છે.  કોકરોચ ગંદકીની સાથે બીમારીઓ પણ ફેલાવે છે. આવામાં કોકરોચ ઘરના ખૂણે ખૂણે જોવામળે છે.  તેમનુ અસલી ઉદ્દેશ્ય ઘરના રસોડામાં પોતાનો અડ્ડો જમાવવાનો હોય છે. 
 
આમ તો કૉકરોચ કોઈના પર પણ હુમલો કરતો નથી કે કોઈને કરડતો નથી. પણ  પોતાના શરીર દ્વારા આ જંતુ અનેક રીતે હાનિકારક અને ઝેરીલા બેક્ટેરિયા ફેલાવે છે. ઘણીવાર લોકો ઘરમાંથી વંદો દૂર કરવા અથવા તેને સંપૂર્ણ રીતે દૂર કરવા માટે વિવિધ પ્રકારની દવાઓનો ઉપયોગ કરે છે. તેઓ બજારોમાં જઈને મારવાની દવા પણ લાવે છે. પરંતુ પછી થોડા દિવસો પછી ફરીથી વંદા દેખાવા લાગે છે. આવી સ્થિતિમાં આજે અમે તમારા માટે કેટલાક ઘરેલું ઉપાય લઈને આવ્યા છીએ. જેના ઉપયોગથી કોકરોચ પણ ભાગી જશે અને ઘરના લોકો પર તેની કોઈ ખોટી અસર નહીં પડે.
 
લવિંગનુ આયુર્વેદમાં ઘણુ મહત્વ બતાવ્યુ છે. લવિંગનો ઉપયોગ પૂજા-પાઠ, દવાઓ અને ખોરાકને સ્વાદિષ્ટ બનાવવા માટે કરવામાં આવે છે. પણ શુ તમે જાણો છો લવિંગનો ઉપયોગ  કોકરોચ ભગાડવામાં પણ કરવામાં આવે છે. સાચુ સાંભળ્યુ તમે. લવિંગની તેજ મહેક દ્વારા વંદાઓને ભગાડી શકાય છે. તમે લવિંગને ઘરના દરેક ખૂણામાં મુકી દો. રસોડાથી લઈને રૂમના દરેક ખૂણામાં લવિંગની કેટલીક કળીઓ મુક્યા બાદ તમે જ ઓશો કે તેની ખુશ્બુથી કોકરોચ ભાગવા માંડશે. 
 
જો કે તમારે તેને દરરોજ બદલી નાખવા પડશે. સાથે જ એ સ્થાનની સફાઈ પણ સારી રીતે કરવી પડશે.  જેથી એકવાર ભાગ્યા પછી ફરીથી ગંદકી જોઈને કોકરોચ પાછા ન આવી જાય્ રોજ આવુ કરવાથી થોડાક જ દિવસોમાં તમે જોશો કે ઘરમાં વંદાઓ ફરવા બંધ થઈ ગયા હશે. 
 
કોકરૉચ ભગાડવાના ઘરેલુ ઉપાય 
-કોકરોચ/વંદાને ભગાડવા માટે તમાલપત્રનો ઉપયોગ કરો 
- કેરોસીનના તેલથી પણ કોકરોચનો સફાયો કરી શકાય છે 
-  બેકિંગ પાવડર અને ખાંડ મિક્સ કરીને મુકવાથી પણ કૉકરોચ ભાગી જશે 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

બજાર ખુલતાની સાથે જ હોબાળો મચી ગયો, ચાંદીના ભાવમાં 23146 રૂપિયાનો વધારો થયો, સોનાનો ભાવ 1.58 લાખ રૂપિયાને પાર

IMD ચેતવણી! 13 રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાની શક્યતાઓ

ભારતીય ધ્વજ ઉતારતી વખતે વીજ કરંટ લાગવાથી 10મા ધોરણના વિદ્યાર્થીનું મૃત્યુ

"હનુમાન આદિવાસી હતા, ભગવાન રામ આદિવાસીઓને કારણે જીત્યા," કોંગ્રેસના નેતા ઉમંગ સિંઘરના નિવેદનથી મધ્યપ્રદેશની રાજનીતિ ગરમાઈ

પાકિસ્તાન T20 2026 ના વર્લ્ડ કપમાં રમશે કે નહીં, આ દિવસે લેવામાં આવશે નિર્ણય, PCB ચીફે જણાવી તારીખ

વધુ જુઓ..

ધર્મ

Jaya Ekadashi 2026: માઘ એકાદશી પર આ કાર્ય કરો, ધન ધાન્યમાં આવશે બરકત અને બધી સમસ્યાઓ થશે દૂર

Khodiyar Maa- ખોડિયાર માતાજી મંદિર, કેવી રીતે ખોડિયાર નામ પડ્યું?

Jaya Ekadashi Vrat Katha - બધા દાન અને યજ્ઞ કરવાનુ પુણ્ય આપતી અગિયારસ

Holi 2026:વ્રજમાં 40 દિવસ સુધી એક દિવસીય હોળીનો તહેવાર કેમ ઉજવવામાં આવે છે?

Naramada jayanti: આજે નર્મદા જયંતિ, ક્યારે કરશો પૂજન, કેમ કહે છે આને કુંવારી નદી ?

આગળનો લેખ
Show comments