ઉનાળાના દિવસોમાં તડકામાં ફરવાને કારણે લૂ લાગી જાય છે. એમાં તાવ અને બેચેની થવા ઉપરાંત ઉલ્ટી થઈ શકે છે. શરીરમાં પાણીની માત્રા ઓછી થઈ જાય છે. તેથી માથાનો દુ:ખાવો, ચક્કર, હાથ પગ-કાંપવા, નબળાઈ જેવા લક્ષણ જોવા મળે છે. અમે તમને એવા જ થોડા ઘરેલૂ ઉપાય જણાવી રહ્યા છીએ. જેનો ઉપયોગ કરીને તમે લૂથી બચી શકો છો.
* કાચા બટાટાના રસમાં મધ મિક્સ કરી પીવાથી લૂ થી બચાવ થાય છે.
* લૂ લાગી જાય તો કાચા બટાટાનો રસ કાઢી શરીર પર લગાવો.
* લૂ લાગતા ડુંગળીનો રસ કાઢી શરીર પર ઘસો.
* કોથમીરના રસમાં ખાંડ અને પાણી મિક્સ કરીને પીવાથી લૂથી બચાવ થાય છે.
* લૂ લાગતા કોથમીરના રસમાં બરફનું પાણી મિકસ કરી પગના તળિયે લગાવવાથી આરામ મળે છે.
* શરબતમાં બરફ નાખી પીવાથી લૂથી બચાવ થાય છે.
* લૂ લાગતા બરફના પાણીમાં સ્પંજ કરો કે બરફના પાણીમાં ચાદર પલાળી શરીર પર લપેટી લો.
* ફુદીનાના શરબતમાં જીરું અને લવિંગના પાવડર મિક્સ પીવાથી લૂથી બચાવ થાય છે.
* લૂ લાગતા ફુદીનાના પાનને વાટીને શરીર પર લેપ કરો.
* કાચી કેરીનું શરબત(પનું) બનાવીને પીવાથી લૂથી બચાવ થાય છે.
* લૂ લાગતા કેરીની ગોટલીના પાવડરને દહીં માં મિક્સ કરી ખાવ.