Webdunia - Bharat's app for daily news and videos

Install App

લૂથી બચાવશે કાચા બટાટાનો રસ, જાણો આવા જ અન્ય 10 ઘરેલૂ ઉપાય

Webdunia
શનિવાર, 14 મે 2016 (10:22 IST)
ઉનાળાના દિવસોમાં તડકામાં ફરવાને કારણે લૂ લાગી જાય છે. એમાં તાવ અને બેચેની થવા ઉપરાંત ઉલ્ટી થઈ શકે છે. શરીરમાં પાણીની માત્રા ઓછી થઈ જાય છે.  તેથી માથાનો દુ:ખાવો, ચક્કર,  હાથ પગ-કાંપવા, નબળાઈ જેવા લક્ષણ જોવા મળે છે. અમે તમને એવા જ થોડા ઘરેલૂ ઉપાય જણાવી રહ્યા છીએ. જેનો ઉપયોગ કરીને તમે લૂથી બચી શકો છો. 
* કાચા બટાટાના રસમાં મધ મિક્સ કરી પીવાથી લૂ થી બચાવ થાય છે. 
* લૂ લાગી જાય તો કાચા બટાટાનો રસ કાઢી શરીર પર લગાવો. 
 
* લૂ લાગતા ડુંગળીનો રસ કાઢી શરીર પર ઘસો. 

 
* કોથમીરના રસમાં ખાંડ અને પાણી મિક્સ કરીને પીવાથી લૂથી બચાવ થાય છે.  
* લૂ લાગતા કોથમીરના રસમાં બરફનું પાણી મિકસ કરી પગના તળિયે લગાવવાથી આરામ મળે છે. 

 
* શરબતમાં બરફ નાખી પીવાથી લૂથી બચાવ થાય છે. 
* લૂ લાગતા બરફના પાણીમાં સ્પંજ કરો કે બરફના પાણીમાં ચાદર પલાળી શરીર પર લપેટી લો. 

* ફુદીનાના શરબતમાં જીરું અને લવિંગના પાવડર મિક્સ પીવાથી લૂથી બચાવ થાય છે. 
* લૂ લાગતા ફુદીનાના પાનને વાટીને શરીર પર લેપ કરો. 
 

 
* કાચી કેરીનું શરબત(પનું)  બનાવીને પીવાથી લૂથી બચાવ થાય છે. 
* લૂ લાગતા કેરીની ગોટલીના પાવડરને દહીં માં મિક્સ કરી ખાવ. 

 
* લૂ લાગતા આમલીના ગુદાને માથા અને હાથ પગના તળિયે લગાવો. 
* આમલીના ગુદાને પાણીમાં મસળીને પીવાથી પણ લૂથી બચાવ થાય છે. 
 
* મેથીના પાનનાના રસમાં પાણી અને મધ મિક્સ કરી પીવાથી પણ લૂથી બચાવ થાય છે. 
 
* બકરીના દૂધમાં શાકર નાખી પીવાથી લૂમાં આરામ મળે છે. 
 
* લૂ લાગતા બકરીનું  દૂધ હાથ-પગના નખ અને પગના તળિયે લગાવો. 

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments